BCCI એવોર્ડ્સમાંથી ગાયબ હતો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી, જાણો ખાસ ફંક્શનમાં કેમ ન રહ્યો હાજર

શનિવાર 1 ફેબ્રુઆરીએ BCCIએ મુંબઈમાં એક ખાસ એવોર્ડ શોનું આયોજન કર્યું હતું, જેમાં સચિન તેંડુલકર, રવિચંદ્રન અશ્વિન , જસપ્રીત બુમરાહ, સ્મૃતિ મંધાના જેવા સ્ટાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાના અનેક સ્ટાર ખેલાડીઓ હાજર હતા, પરંતુ વિરાટે હાજરી આપી ન હતી.

BCCI એવોર્ડ્સમાંથી ગાયબ હતો સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી, જાણો ખાસ ફંક્શનમાં કેમ ન રહ્યો હાજર
Virat KohliImage Credit source: PTI
Follow Us:
| Updated on: Feb 01, 2025 | 10:33 PM

પહેલી ફેબ્રુઆરી શનિવારની સાંજ ભારતીય ક્રિકેટ માટે ખાસ હતી. મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં ભારતીય ક્રિકેટ સ્ટાર્સ અને ઉભરતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એવોર્ડ જીતનાર ખેલાડીઓ સિવાય ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સહિત અન્ય સ્ટાર્સ પણ હાજર હતા, જ્યારે કોચ ગૌતમ ગંભીર પણ ટીમની સાથે હતો. જો કે, આ સ્ટાર્સથી ભરપૂર મેળાવડામાં એક મોટો ચહેરો ખૂટતો હતો અને તે હતો વિરાટ કોહલી. હવે સવાલ એ છે કે વિરાટ કોહલી BCCIની આ ઈવેન્ટમાં કેમ હાજર ન રહ્યો?

BCCI એવોર્ડસમાં વિરાટ ગાયબ

અમે તમને આનો જવાબ પણ આપીએ છીએ. BCCI દર વર્ષે આ પુરસ્કારોનું આયોજન કરે છે, જેમાં માત્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જ નહીં પરંતુ સ્થાનિક ક્રિકેટમાં પણ સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓને હંમેશા આ એવોર્ડ્સમાં સામેલ કરવામાં આવે છે અને આ વખતે પણ તેનાથી અલગ નથી. રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ જેવા ટીમના સ્ટાર્સ સાંજનો ભાગ હતા.

Pill Line Meaning : દવાની ગોળી વચ્ચે આવતી લાઇનને શું કહેવાય ? જાણી ને ચોંકી જશો
સ્મૃતિ મંધાના વેલેન્ટાઈન ડે પર કોની સાથે ડેટ પર જશે?
Miraculous mantra : કપાળ પર ચંદનનું તિલક લગાવતી વખતે કયો મંત્ર બોલવામાં આવે છે?
RCB કેપ્ટન રજત પાટીદાર પત્નીને દુનિયાથી છુપાવીને કેમ રાખે છે?
પાકિસ્તાનમાં હિન્દુઓના મૃતદેહોની અંતિમવિધિ કેવી રીતે થાય ?
Vastu Tips : લગ્ન વાળા ઘરમાં ભૂલથી આ વસ્તુઓ રાખી તો થશે નુકસાન !

દિલ્હીમાં રણજી મેચ રમી રહ્યો હતો વિરાટ

આ બધાની વચ્ચે વિરાટ કોહલીએ એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી ન હતી અને તેનું કારણ તેની રણજી ટ્રોફી મેચ હતી. જી હા, એ જ રણજી ટ્રોફી મેચ જેમાં વિરાટે 12 વર્ષ બાદ પુનરાગમન કર્યું હતું અને જેની છેલ્લા કેટલાક દિવસોથી દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. આ મેચ માટે વિરાટ દિલ્હીમાં હાજર હતો અને શનિવારે મેચનો ત્રીજો દિવસ હતો. જો કે વિરાટની ટીમ દિલ્હીએ ત્રીજા દિવસે જ રેલવેને હરાવ્યું હતું, પરંતુ વિરાટ આ એવોર્ડ માટે વિરાટ પહોંચી શક્યો નહોતો.

વિરાટને આ ખાસ ભેટ ન મળી

જો કે વિરાટને આ વખતે BCCI તરફથી કોઈ એવોર્ડ મળવાનો ન હતો કારણ કે આ વખતે તેનું પ્રદર્શન ખાસ ન હતું, પરંતુ તે ખાસ ભેટ મેળવવાથી ચૂકી ગયો. વાસ્તવમાં, BCCIના મુખ્ય સ્પોન્સર ડ્રીમ 11 દ્વારા ગત વર્ષે T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમને એક ખાસ ભેટ આપવામાં આવી હતી. આ ભેટ એક ‘પર્સનલાઈઝ્ડ રિંગ’ હતી એટલે કે દરેક ખેલાડીના નામ સાથેની રિંગ છે. વિરાટ કોહલી પણ વર્લ્ડ કપ જીતનારી ટીમ ઈન્ડિયાનો ભાગ હતો પરંતુ તેને આ રિંગ મળી શકી ન હતી.

રિંગ અલગથી મોકલવામાં આવશે

રોહિત, હાર્દિક, બુમરાહ, સૂર્યકુમાર, યશસ્વી જયસ્વાલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, રિષભ પંત, સંજુ સેમસન જેવા ખેલાડીઓ એવોર્ડમાં હાજર હતા, જેમને આ રિંગ મળી હતી. જોકે, એવું નથી કે વિરાટને આ રિંગ નહીં મળે, પરંતુ આ રિંગ તેને અલગથી મોકલવામાં આવશે. વિરાટ સિવાય રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, મોહમ્મદ સિરાજ પણ આ એવોર્ડ શોનો ભાગ ન હતા, તેમને પણ અલગથી આ રિંગ મોકલવામાં આવશે.

આ પણ વાંચો: BCCI Awards : જસપ્રીત બુમરાહ-સ્મૃતિ મંધાના બન્યા બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર, સચિન-અશ્વિનને મળ્યું વિશેષ સન્માન

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">