AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TMKOC : થઈ ગયુ કન્ફર્મ ! તારક મહેતા શોમાં દયાબેનની થશે વાપસી ! અસિત મોદીએ જાતે કહી આ વાત

દયા ભાભીના વાપસીના મુદ્દા પર વાત કરતા આસિત મોદીએ કહ્યું, 'દયાબેનને પાછા લાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે હું પોતે તેમને મિસ કરું છું. ક્યારેક સંજોગો એવા હોય છે કે વિલંબ થાય છે.

| Updated on: Jan 03, 2025 | 10:00 AM
Share
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 15 વર્ષથી ટીવી જગતનો સૌથી ફેવરિટ શો રહ્યો છે. લોકોને આ શો જોવો ખૂબ જ ગમે છે. આ શોના મુખ્ય પાત્રો જેઠાલાલ અને દયા ભાભી લોકોના ફેવરિટ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી દયા ભાભીનું પાત્ર આ શોમાં જોવા મળ્યું નથી. જેઠાલાલે એકલા હાથે શોની જવાબદારી સંભાળી છે. દિશા વાકાણી છેલ્લા ઘણા સમયથી ટીવી સ્ક્રીન પરથી ગાયબ છે અને તેના વાપસીને લઈને અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. આવી સ્થિતિમાં હવે શોના મેકર્સે પોતે જ ખુલાસો કર્યો છે કે દિશા ભાભી શોમાં પરત ફરશે કે નહીં. શોના પ્રોડ્યુસર અસિત મોદીએ શોશા સાથે વાત કરતા આ વિશે જણાવ્યું.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 15 વર્ષથી ટીવી જગતનો સૌથી ફેવરિટ શો રહ્યો છે. લોકોને આ શો જોવો ખૂબ જ ગમે છે. આ શોના મુખ્ય પાત્રો જેઠાલાલ અને દયા ભાભી લોકોના ફેવરિટ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી દયા ભાભીનું પાત્ર આ શોમાં જોવા મળ્યું નથી. જેઠાલાલે એકલા હાથે શોની જવાબદારી સંભાળી છે. દિશા વાકાણી છેલ્લા ઘણા સમયથી ટીવી સ્ક્રીન પરથી ગાયબ છે અને તેના વાપસીને લઈને અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. આવી સ્થિતિમાં હવે શોના મેકર્સે પોતે જ ખુલાસો કર્યો છે કે દિશા ભાભી શોમાં પરત ફરશે કે નહીં. શોના પ્રોડ્યુસર અસિત મોદીએ શોશા સાથે વાત કરતા આ વિશે જણાવ્યું.

1 / 6
દયા ભાભીના વાપસીના મુદ્દા પર વાત કરતા આસિત મોદીએ કહ્યું, 'દયાબેનને પાછા લાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે હું પોતે તેમને મિસ કરું છું. ક્યારેક સંજોગો એવા હોય છે કે વિલંબ થાય છે. ક્યારેક વાર્તા પણ લાંબા સમય સુધી ખેંચાય છે. આ વાતચીતના સંદર્ભમાં અસિત મોદીએ સ્પષ્ટતા કરી કે શું દિશા વાકાણી પરત ફરશે? અસિત મોદીએ કહ્યું હતું કે તેઓ લાંબા સમયથી અભિનેત્રીને શોમાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

દયા ભાભીના વાપસીના મુદ્દા પર વાત કરતા આસિત મોદીએ કહ્યું, 'દયાબેનને પાછા લાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે હું પોતે તેમને મિસ કરું છું. ક્યારેક સંજોગો એવા હોય છે કે વિલંબ થાય છે. ક્યારેક વાર્તા પણ લાંબા સમય સુધી ખેંચાય છે. આ વાતચીતના સંદર્ભમાં અસિત મોદીએ સ્પષ્ટતા કરી કે શું દિશા વાકાણી પરત ફરશે? અસિત મોદીએ કહ્યું હતું કે તેઓ લાંબા સમયથી અભિનેત્રીને શોમાં પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

2 / 6
શોના નિર્માતા અસિતે કહ્યું, 'હું હજી પણ મારા પ્રયત્નો ચાલુ રાખું છું, પરંતુ હું માનું છું કે દિશા વાકાણીને હવે પરત લાવી શકાય નહીં. તે બે બાળકોની માતા છે. મારી બહેન જેવી લાગે છે. આજે પણ તેના પરિવાર સાથે ગાઢ સંબંધ છે. દિશા વાકાણી મને રાખડી પણ બાંધે છે. તેના પિતા અને ભાઈ મારા પરિવારનો હિસ્સો છે. અમે 17 વર્ષથી જોડાયેલા છીએ અને સાથે કામ કર્યું છે. હવે તેના માટે શોમાં પરત આવવું ઘણું મુશ્કેલ છે.

શોના નિર્માતા અસિતે કહ્યું, 'હું હજી પણ મારા પ્રયત્નો ચાલુ રાખું છું, પરંતુ હું માનું છું કે દિશા વાકાણીને હવે પરત લાવી શકાય નહીં. તે બે બાળકોની માતા છે. મારી બહેન જેવી લાગે છે. આજે પણ તેના પરિવાર સાથે ગાઢ સંબંધ છે. દિશા વાકાણી મને રાખડી પણ બાંધે છે. તેના પિતા અને ભાઈ મારા પરિવારનો હિસ્સો છે. અમે 17 વર્ષથી જોડાયેલા છીએ અને સાથે કામ કર્યું છે. હવે તેના માટે શોમાં પરત આવવું ઘણું મુશ્કેલ છે.

3 / 6
અસિત મોદીએ કહ્યું સ્ત્રીઓ માટે લગ્ન પછીનું જીવન સરળ નથી હોતું પણ ઘણું બદલાઈ જાય છે. નાના બાળકો રાખવા સાથે શોમાં કામ કરવું અને ઘર સંભાળવું તેમના માટે મુશ્કેલ બની જાય છે. હજુ પણ હું હકારાત્મક છું. મને હજુ પણ આશા છે અને લાગે છે કે ભગવાન કંઈક ચમત્કાર કરશે અને દિશા શોમાં પરત ફરશે અને તે સારી વાત હશે. જો તે પાછા ન આવી શકે તો મારે બીજી દયા બેન લાવવી પડશે. આ રીતે અસિત મોદીએ કન્ફર્મ કર્યું છે કે દિશા વાકાણીનું શોમાં પરત ફરવુ મુશ્કેલ છે આથી તેમને બીજી દયા શોધવી પડશે

અસિત મોદીએ કહ્યું સ્ત્રીઓ માટે લગ્ન પછીનું જીવન સરળ નથી હોતું પણ ઘણું બદલાઈ જાય છે. નાના બાળકો રાખવા સાથે શોમાં કામ કરવું અને ઘર સંભાળવું તેમના માટે મુશ્કેલ બની જાય છે. હજુ પણ હું હકારાત્મક છું. મને હજુ પણ આશા છે અને લાગે છે કે ભગવાન કંઈક ચમત્કાર કરશે અને દિશા શોમાં પરત ફરશે અને તે સારી વાત હશે. જો તે પાછા ન આવી શકે તો મારે બીજી દયા બેન લાવવી પડશે. આ રીતે અસિત મોદીએ કન્ફર્મ કર્યું છે કે દિશા વાકાણીનું શોમાં પરત ફરવુ મુશ્કેલ છે આથી તેમને બીજી દયા શોધવી પડશે

4 / 6
તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી લોકો દિશા વાકાણીના શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. દિશા વાકાણીએ લગ્ન કર્યા બાદ બ્રેક લીધો હતો, પરંતુ તે પછી તે પાછી આવી ગઈ હતી. તેની પ્રથમ પુત્રીને જન્મ આપ્યા પછી, અભિનેત્રી બ્રેક પર ગઈ હતી અને શોમાં પરત ફરી શકી નહોતી.

તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી લોકો દિશા વાકાણીના શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. દિશા વાકાણીએ લગ્ન કર્યા બાદ બ્રેક લીધો હતો, પરંતુ તે પછી તે પાછી આવી ગઈ હતી. તેની પ્રથમ પુત્રીને જન્મ આપ્યા પછી, અભિનેત્રી બ્રેક પર ગઈ હતી અને શોમાં પરત ફરી શકી નહોતી.

5 / 6
જે બાદ બીજી વખત પુત્રીની માતા બની, જેના પછી તેના પછી તેના શોમાં પાછા ફરવાની શક્યતાઓ પર રોક લગાવવામાં આવી. ઘણીવાર શોમાં એવા વળાંક આવે છે કે દિશા વાકાણી કમબેક કરી રહી છે, પરંતુ તે કમબેક કરી શકતી નથી અને દર્શકો નિરાશ જ થાય છે. હાલમાં, દિશા ફેમિલી સાથે સમય વિતાવી રહી છે અને લાઇમલાઇટથી દૂર રહે છે.

જે બાદ બીજી વખત પુત્રીની માતા બની, જેના પછી તેના પછી તેના શોમાં પાછા ફરવાની શક્યતાઓ પર રોક લગાવવામાં આવી. ઘણીવાર શોમાં એવા વળાંક આવે છે કે દિશા વાકાણી કમબેક કરી રહી છે, પરંતુ તે કમબેક કરી શકતી નથી અને દર્શકો નિરાશ જ થાય છે. હાલમાં, દિશા ફેમિલી સાથે સમય વિતાવી રહી છે અને લાઇમલાઇટથી દૂર રહે છે.

6 / 6

તારક મહેતા શોને લગતા બીજા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">