AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉપવાસ દરમિયાન ફરાળી ભોજનમાં સિંધવ મીઠું જ કેમ ઉમેરવામાં આવે છે, જાણો તેનું શું છે ધાર્મિક કારણ ?

ઉપવાસ દરમિયાન ફરાળી ભોજનમાં સિંધવ મીઠું ઉમેરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સામાન્ય મીઠાને બદલે સિંધવ મીઠું જ કેમ ઉમેરવામાં આવે છે? શું છે તેની પાછળનું ધાર્મિક કારણો જાણો.

ઉપવાસ દરમિયાન ફરાળી ભોજનમાં સિંધવ મીઠું જ કેમ ઉમેરવામાં આવે છે, જાણો તેનું શું છે ધાર્મિક કારણ ?
Sendhav Mithu Fasting FoodImage Credit source: iStock
| Updated on: Aug 06, 2026 | 8:20 AM
Share

જ્યોતિષ મુજબ, હિંદુ ધર્મમાં ઉપવાસ કરવાથી મન, શરીર અને આત્માની શુદ્ધિ થાય છે. તેથી ઉપવાસ દરમિયાન એવા ખાદ્ય પદાર્થોનું સેવન કરવામાં આવે છે જેને સાત્વિક અને પ્રાકૃતિક માનવામાં આવે છે. તેમાં સૌથી મહત્વનું સિંધવ મીઠું પણ છે. શ્રાવણના સોમવાર, નવરાત્રી, એકાદશી, મહાશિવરાત્રી કે જન્માષ્ટમી જેવા કોઈપણ ઉપવાસના ભોજનમાં સિંધવ મીઠાનો જ ઉપયોગ કરવામાં આવે છે. આવો જાણીએ તેની પાછળનું ધાર્મિક કારણ.

સિંધવ મીઠું જ કેમ ખાવામાં આવે છે?

ધાર્મિક માન્યતાઓ અનુસાર સિંધવ મીઠું કુદરતી રીતે પર્વતોની ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. તેને તૈયાર કરવા માટે કોઈપણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા, કૃત્રિમ રંગ અથવા રિફાઇનિંગની જરૂર પડતી નથી. તેથી તેને શુદ્ધ, સાત્વિક અને પૂજા-પાઠ માટે યોગ્ય માનવામાં આવે છે. ઉપવાસનો હેતુ શરીર સાથે મનની પણ પવિત્રતા જાળવવાનો હોવાથી સિંધવ મીઠાને સૌથી યોગ્ય માનવામાં આવે છે.

ઉપવાસ દરમિયાન સામાન્ય મીઠું કેમ ખાવામાં આવતું નથી?

સામાન્ય સફેદ મીઠું સમુદ્રના પાણીમાંથી બનાવવામાં આવે છે. તેને ઉપયોગ માટે યોગ્ય બનાવવા અનેક વખત રિફાઇનિંગ, બ્લીચિંગ અને અન્ય ઔદ્યોગિક પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. ઉપરાંત તેમાં કેટલાક રાસાયણિક તત્ત્વો પણ ઉમેરવામાં આવે છે. ધાર્મિક દૃષ્ટિએ એવી માન્યતા છે કે સમુદ્રમાંથી મીઠું મેળવવાની પ્રક્રિયા દરમિયાન અનેક સૂક્ષ્મ જળચરોનું નુકસાન થાય છે. તેથી તેને સંપૂર્ણ સાત્વિક માનવામાં આવતું નથી. આ જ કારણથી ઉપવાસ દરમિયાન સામાન્ય સફેદ મીઠું ન ખાવાની સલાહ આપવામાં આવે છે.

ધાર્મિક શાસ્ત્રો શું કહે છે?

ધાર્મિક શાસ્ત્રો ઉપવાસ દરમિયાન સાત્વિક આહાર પર વિશેષ ભાર મૂકે છે. સાત્વિક ખોરાક મનને શાંત, કેન્દ્રિત અને સંતુલિત રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે. સિંધવ મીઠું આ શ્રેણીમાં આવે છે. જેના કારણે તેને ઉપવાસ દરમિયાન સ્વીકારવામાં આવે છે. તેથી ધાર્મિક માન્યતાઓમાં સિંધવ મીઠું ઉપવાસનું મીઠું માનવામાં આવે છે.

ઉપવાસનો સાચો હેતુ શું છે?

જ્યોતિષના મતે, ઉપવાસનો સાચો હેતુ ઇન્દ્રિયો પર નિયંત્રણ, ભગવાન પ્રત્યેની ભક્તિ અને મનની શુદ્ધિ પ્રાપ્ત કરવાનો છે. તેથી ઉપવાસ દરમિયાન સાત્વિક ખોરાક, સંયમિત વર્તન, પૂજા અને દાન ખાસ કરીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સિંધવ મીઠાનું સેવન પણ આ સાત્વિક લાઇફસ્ટાઇલનો એક ભાગ માનવામાં આવે છે. તેથી જ ઉપવાસ દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવે છે.

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, શિવજીના ચરણોમાં હાજરીથી લઈને સમર્પણ સુધી, શિવલિંગ સામે 3 વાર તાળી પાડવાનું શું છે મહત્વ?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">