AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : વિસનગરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

વિસનગર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું એક મહત્વપૂર્ણ શહેર છે, જે નગરપાલિકા તરીકે કાર્યરત છે અને તાલુકા મથક તરીકે ઓળખાય છે. તેના નામનો ઉદ્ભવ, પ્રાચીન સ્થાપના, રાજકીય ઉથલપાથલ અને ઐતિહાસિક ઘટનાઓ મળીને આ શહેરનો સમૃદ્ધ ઇતિહાસ રચે છે.

| Updated on: Sep 18, 2025 | 6:28 PM
Share
ઈ.સ. 1020 થી 1050 વચ્ચેના સમયગાળામાં, વાઘેલા વંશના સ્થાપક તરીકે ઓળખાતા વિસલદેવ વાઘેલાએ સોલંકી વંશના અંતિમ શાસક ત્રિભુવન પાળને પરાજિત કર્યા બાદ વિસનગર વસાવ્યું હોવાનું માનવામાં આવે છે. આ કારણે નગરનું નામ વિસલદેવના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે.

ઈ.સ. 1020 થી 1050 વચ્ચેના સમયગાળામાં, વાઘેલા વંશના સ્થાપક તરીકે ઓળખાતા વિસલદેવ વાઘેલાએ સોલંકી વંશના અંતિમ શાસક ત્રિભુવન પાળને પરાજિત કર્યા બાદ વિસનગર વસાવ્યું હોવાનું માનવામાં આવે છે. આ કારણે નગરનું નામ વિસલદેવના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે.

1 / 7
માન્યતા મુજબ, વિસનગરનું નામ તેના સ્થાપક અજમેર વંશના રાજા વિસલદેવ પરથી પ્રેરિત છે. શહેરની સ્થાપના ઈ.સ. 953માં ‘અખાત્રીજ’ના શુભ દિવસે કરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે.

માન્યતા મુજબ, વિસનગરનું નામ તેના સ્થાપક અજમેર વંશના રાજા વિસલદેવ પરથી પ્રેરિત છે. શહેરની સ્થાપના ઈ.સ. 953માં ‘અખાત્રીજ’ના શુભ દિવસે કરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે.

2 / 7
આજના “ડેલિયા તળાવ” આસપાસનો વિસ્તાર ક્યારેક રાજા વિસલદેવની રાજ્યચોકી તરીકે ઓળખાતો હતો. તે સમયમાં અહીં લગભગ બે લાખ ચોરસ મીટર વિસ્તાર ધરાવતું વિશાળ જળાશય બનાવાયું હતું, જે વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વનું સ્થાન હતું. આ કારણે વિસનગર પર વિસલદેવ, બાબી, ઈડર રાજવી અને ગાયકવાડ વચ્ચે અનેક યુદ્ધો થયા, સમય સાથે શાસન બદલાતું ગયું  અને નગરનો વિકાસ થયો. આ જ સમયગાળામાં વિસનગરને છ દરવાજાવાળી કિલ્લેબંધી આપવામાં આવી હતી. હાલ દરવાજા અસ્તિત્વમાં નથી, પરંતુ કેટલીક જગ્યાએ તેમના અવશેષો આજે પણ જોવા મળે છે. ( Credits: AI Generated )

આજના “ડેલિયા તળાવ” આસપાસનો વિસ્તાર ક્યારેક રાજા વિસલદેવની રાજ્યચોકી તરીકે ઓળખાતો હતો. તે સમયમાં અહીં લગભગ બે લાખ ચોરસ મીટર વિસ્તાર ધરાવતું વિશાળ જળાશય બનાવાયું હતું, જે વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્વનું સ્થાન હતું. આ કારણે વિસનગર પર વિસલદેવ, બાબી, ઈડર રાજવી અને ગાયકવાડ વચ્ચે અનેક યુદ્ધો થયા, સમય સાથે શાસન બદલાતું ગયું અને નગરનો વિકાસ થયો. આ જ સમયગાળામાં વિસનગરને છ દરવાજાવાળી કિલ્લેબંધી આપવામાં આવી હતી. હાલ દરવાજા અસ્તિત્વમાં નથી, પરંતુ કેટલીક જગ્યાએ તેમના અવશેષો આજે પણ જોવા મળે છે. ( Credits: AI Generated )

3 / 7
વિસનગરમાં અનેક પ્રાચીન અવશેષો, પુરાતત્ત્વીય સ્થળો અને મંદિરો જોવા મળે છે. અહીં મળેલા બૌદ્ધ સ્તૂપો, શિલાલેખો અને પાતાળ મંગળા શહેરના સમૃદ્ધ અને ઊંડા ઐતિહાસિક પરંપરાનો પુરાવો આપે છે. વિસનગરની જૂની જળસંચય વ્યવસ્થા  જેમાં તળાવો, વાવો અને નાળાઓનો સમાવેશ થાય છે.  તે સમયના ઉત્તમ આયોજન અને સ્થાપત્ય કળાનું પ્રતિબિંબ છે. ( Credits: AI Generated )

વિસનગરમાં અનેક પ્રાચીન અવશેષો, પુરાતત્ત્વીય સ્થળો અને મંદિરો જોવા મળે છે. અહીં મળેલા બૌદ્ધ સ્તૂપો, શિલાલેખો અને પાતાળ મંગળા શહેરના સમૃદ્ધ અને ઊંડા ઐતિહાસિક પરંપરાનો પુરાવો આપે છે. વિસનગરની જૂની જળસંચય વ્યવસ્થા જેમાં તળાવો, વાવો અને નાળાઓનો સમાવેશ થાય છે. તે સમયના ઉત્તમ આયોજન અને સ્થાપત્ય કળાનું પ્રતિબિંબ છે. ( Credits: AI Generated )

4 / 7
ગાયકવાડ શાસન દરમિયાન વિસનગર ઉત્તર ગુજરાતનું એવું પ્રથમ નગર બન્યું, જ્યાં ભૂગર્ભ પાણીની લાઇન અને ગટર વ્યવસ્થા શરૂ કરવામાં આવી. શહેરના વીજ પુરવઠા માટે રેલ્વે વિભાગે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બ્રિટિશ શાસનકાળમાં અહીંથી અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ ઊભા થયા. વિસનગરના વિકાસમાં પ્રખ્યાત શિક્ષકો, ચિત્રકારો, નાટ્યકારો અને સાહિત્યકારોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. (Credits: - Wikipedia)

ગાયકવાડ શાસન દરમિયાન વિસનગર ઉત્તર ગુજરાતનું એવું પ્રથમ નગર બન્યું, જ્યાં ભૂગર્ભ પાણીની લાઇન અને ગટર વ્યવસ્થા શરૂ કરવામાં આવી. શહેરના વીજ પુરવઠા માટે રેલ્વે વિભાગે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બ્રિટિશ શાસનકાળમાં અહીંથી અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ ઊભા થયા. વિસનગરના વિકાસમાં પ્રખ્યાત શિક્ષકો, ચિત્રકારો, નાટ્યકારો અને સાહિત્યકારોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. (Credits: - Wikipedia)

5 / 7
વિસનગરમાં સબમર્સિબલ પંપ, થ્રેશર્સ, હીરા તેમજ તાંબાના વાસણોના ઉત્પાદન જેવી ઉદ્યોગિક પ્રવૃત્તિઓએ સમગ્ર દેશમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. શહેરનો ઔદ્યોગિક વિકાસ, સાથે રિયલ એસ્ટેટનો વિસ્તાર, ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને આરોગ્યસંબંધિત સુવિધાઓ મળીને આસપાસના ગામોના લોકોને અહીં વસવાટ કરવા પ્રોત્સાહિત કરે છે. ( Credits: AI Generated )

વિસનગરમાં સબમર્સિબલ પંપ, થ્રેશર્સ, હીરા તેમજ તાંબાના વાસણોના ઉત્પાદન જેવી ઉદ્યોગિક પ્રવૃત્તિઓએ સમગ્ર દેશમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. શહેરનો ઔદ્યોગિક વિકાસ, સાથે રિયલ એસ્ટેટનો વિસ્તાર, ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને આરોગ્યસંબંધિત સુવિધાઓ મળીને આસપાસના ગામોના લોકોને અહીં વસવાટ કરવા પ્રોત્સાહિત કરે છે. ( Credits: AI Generated )

6 / 7
વિસનગરમાં આવેલું પારેખ વલ્લભ હેમચંદ જનરલ લાઇબ્રેરી ગુજરાતની પ્રાચીન લાઇબ્રેરીઓમાંની એક ગણાય છે. આ પુસ્તકાલયની સ્થાપના 3 માર્ચ 1878ના રોજ કરવામાં આવી હતી. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

વિસનગરમાં આવેલું પારેખ વલ્લભ હેમચંદ જનરલ લાઇબ્રેરી ગુજરાતની પ્રાચીન લાઇબ્રેરીઓમાંની એક ગણાય છે. આ પુસ્તકાલયની સ્થાપના 3 માર્ચ 1878ના રોજ કરવામાં આવી હતી. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)

7 / 7

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">