AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘વિઘ્નહર્તા’ કઈ દિશામાં બિરાજમાન થશે તો ઘરમાં આવશે ‘સુખ-શાંતિ’ ? ભૂલથી પણ આ જગ્યાએ ન રાખતા ગણેશજીનો ફોટો

ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા અને વિઘ્નોને દૂર કરવા માટે ભગવાન ગણેશની પૂજા અચૂક કરવામાં આવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ગણેશજીની મૂર્તિ કે ફોટો સાચી દિશામાં ન રાખવામાં આવે, તો તેનાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે.

| Updated on: Jun 29, 2026 | 6:50 PM
Share
ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આ જ કારણ છે કે, નવા ઘરમાં પ્રવેશ હોય, ઓફિસની શરૂઆત હોય કે કોઈ શુભ કાર્યની શરૂઆત, સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જો કે, ઘણા લોકો ઘરમાં ગણેશજીનો ફોટો કે મૂર્તિ તો લગાવી લે છે પણ એ નથી જાણતા કે, તેને કઈ દિશામાં રાખવી સૌથી શુભ માનવામાં આવે છે.

ભગવાન ગણેશને વિઘ્નહર્તા અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. આ જ કારણ છે કે, નવા ઘરમાં પ્રવેશ હોય, ઓફિસની શરૂઆત હોય કે કોઈ શુભ કાર્યની શરૂઆત, સૌથી પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જો કે, ઘણા લોકો ઘરમાં ગણેશજીનો ફોટો કે મૂર્તિ તો લગાવી લે છે પણ એ નથી જાણતા કે, તેને કઈ દિશામાં રાખવી સૌથી શુભ માનવામાં આવે છે.

1 / 6
વાસ્તુશાસ્ત્ર અનુસાર, સાચી દિશામાં રાખવામાં આવેલી ભગવાન ગણેશની તસવીર ઘરમાં સકારાત્મક ઊર્જા જાળવી રાખવામાં મદદ કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભગવાન ગણેશનો ફોટો કે મૂર્તિ ઉત્તર, પૂર્વ કે ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણો) દિશામાં લગાવવી શુભ માનવામાં આવે છે. આ દિશાઓને સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, અહીં ગણેશજીની તસવીર લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો માહોલ જળવાઈ રહે છે. જો ઘરમાં પૂજા રૂમ હોય, તો ત્યાં જ ગણેશજીની તસવીર રાખવી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, સાચી દિશામાં રાખવામાં આવેલી ભગવાન ગણેશની તસવીર ઘરમાં સકારાત્મક ઊર્જા જાળવી રાખવામાં મદદ કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભગવાન ગણેશનો ફોટો કે મૂર્તિ ઉત્તર, પૂર્વ કે ઉત્તર-પૂર્વ (ઈશાન ખૂણો) દિશામાં લગાવવી શુભ માનવામાં આવે છે. આ દિશાઓને સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, અહીં ગણેશજીની તસવીર લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનો માહોલ જળવાઈ રહે છે. જો ઘરમાં પૂજા રૂમ હોય, તો ત્યાં જ ગણેશજીની તસવીર રાખવી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

2 / 6
ઘણા લોકો ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીની તસવીર લગાવે છે. વાસ્તુ અનુસાર, જો તમે મુખ્ય દ્વાર પર ગણેશજીનો ફોટો લગાવી રહ્યા છો, તો દરવાજાની અંદરની તરફ તસવીર લગાવવી વધુ સારી માનવામાં આવે છે. કેટલીક માન્યતાઓ અનુસાર, જો દરવાજાની એક તરફ ગણેશજીની તસવીર લગાવવામાં આવે, તો બીજી તરફ પણ તે જ જગ્યાએ બીજી એક તસવીર લગાવવામાં આવે છે. એવું એટલા માટે માનવામાં આવે છે, જેથી સકારાત્મક ઊર્જાનું સંતુલન જળવાઈ રહે.

ઘણા લોકો ઘરના મુખ્ય દરવાજા પર ગણેશજીની તસવીર લગાવે છે. વાસ્તુ અનુસાર, જો તમે મુખ્ય દ્વાર પર ગણેશજીનો ફોટો લગાવી રહ્યા છો, તો દરવાજાની અંદરની તરફ તસવીર લગાવવી વધુ સારી માનવામાં આવે છે. કેટલીક માન્યતાઓ અનુસાર, જો દરવાજાની એક તરફ ગણેશજીની તસવીર લગાવવામાં આવે, તો બીજી તરફ પણ તે જ જગ્યાએ બીજી એક તસવીર લગાવવામાં આવે છે. એવું એટલા માટે માનવામાં આવે છે, જેથી સકારાત્મક ઊર્જાનું સંતુલન જળવાઈ રહે.

3 / 6
વાસ્તુ માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશની તસવીરને દક્ષિણ દિશામાં લગાવવાથી બચવું જોઈએ. આ સિવાય, સીડીઓની નીચે, બાથરૂમની નજીક કે એવી જગ્યા જ્યાં સાફ-સફાઈ ન રહેતી હોય, ત્યાં પણ ગણેશજીનો ફોટો કે મૂર્તિ ન રાખવી જોઈએ. આ જગ્યાઓ પર ભગવાનની તસવીર રાખવી શુભ માનવામાં આવતી નથી.

વાસ્તુ માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશની તસવીરને દક્ષિણ દિશામાં લગાવવાથી બચવું જોઈએ. આ સિવાય, સીડીઓની નીચે, બાથરૂમની નજીક કે એવી જગ્યા જ્યાં સાફ-સફાઈ ન રહેતી હોય, ત્યાં પણ ગણેશજીનો ફોટો કે મૂર્તિ ન રાખવી જોઈએ. આ જગ્યાઓ પર ભગવાનની તસવીર રાખવી શુભ માનવામાં આવતી નથી.

4 / 6
જો તમે ઘર માટે ગણેશજીનો ફોટો પસંદ કરી રહ્યા છો, તો બેઠેલી મુદ્રાવાળી તસવીર શુભ માનવામાં આવે છે. ઓફિસ માટે ઊભેલા ગણેશજીની તસવીર પણ સારી માનવામાં આવે છે, કારણ કે તે સક્રિયતા અને પ્રગતિનું પ્રતીક ગણાય છે. આ સિવાય એવી તસવીર પસંદ કરો કે, જેમાં ભગવાન ગણેશનો ચહેરો શાંત અને પ્રસન્ન દેખાતો હોય. તૂટેલી, ફાટેલી કે ઝાંખી તસવીરનો ઉપયોગ કરવાનું ટાળો.

જો તમે ઘર માટે ગણેશજીનો ફોટો પસંદ કરી રહ્યા છો, તો બેઠેલી મુદ્રાવાળી તસવીર શુભ માનવામાં આવે છે. ઓફિસ માટે ઊભેલા ગણેશજીની તસવીર પણ સારી માનવામાં આવે છે, કારણ કે તે સક્રિયતા અને પ્રગતિનું પ્રતીક ગણાય છે. આ સિવાય એવી તસવીર પસંદ કરો કે, જેમાં ભગવાન ગણેશનો ચહેરો શાંત અને પ્રસન્ન દેખાતો હોય. તૂટેલી, ફાટેલી કે ઝાંખી તસવીરનો ઉપયોગ કરવાનું ટાળો.

5 / 6
વાસ્તુ માન્યતાઓ અનુસાર, એક જ જગ્યાએ બહુ બધી ગણેશજીની મૂર્તિઓ કે તસવીરો રાખવાથી બચવું જોઈએ. સારું રહેશે કે, એક કે બે તસવીરો જ રાખો અને તેની નિયમિત રીતે સાફ-સફાઈ અને પૂજા કરો.

વાસ્તુ માન્યતાઓ અનુસાર, એક જ જગ્યાએ બહુ બધી ગણેશજીની મૂર્તિઓ કે તસવીરો રાખવાથી બચવું જોઈએ. સારું રહેશે કે, એક કે બે તસવીરો જ રાખો અને તેની નિયમિત રીતે સાફ-સફાઈ અને પૂજા કરો.

6 / 6

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.

Follow Us
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, 2.13 લાખની ઉચાપતનો દાવો
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
150+ મગરોનું અનોખું મલાતજ ગામ, 'ડેન્જરસ' નહીં પરંતુ 'માણસમિત્ર'
150+ મગરોનું અનોખું મલાતજ ગામ, 'ડેન્જરસ' નહીં પરંતુ 'માણસમિત્ર'
g clip-path="url(#clip0_868_265)">