AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મની પ્લાન્ટ ઝડપથી વધારવો છે? રસોડાની આ એક વસ્તુ ઉકાળીને આપો, પાંદડા થશે લીલાછમ અને વેલ બનશે ઘેરી

જો મની પ્લાન્ટની વૃદ્ધિ અટકી ગઈ હોય અથવા પાંદડા પીળા પડતા હોય, તો મોંઘા ખાતરની જરૂર નથી. બાગાયત નિષ્ણાતે રસોડામાં રાખવામાં આવતી એવી વસ્તુના વિશે જણાવ્યું છે જેનાથી છોડ ઝડપથી વધે છે. ચાલો જાણીએ...

| Updated on: Jun 28, 2026 | 9:30 PM
Share
ઘરની સુંદરતા વધારવા અને હવા શુદ્ધ રાખવા માટે મની પ્લાન્ટ સૌથી લોકપ્રિય છોડોમાંનો એક છે. ઘણા લોકો માને છે કે ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા આવે છે. પરંતુ ઘણી વખત સારી સંભાળ છતાં તેની વૃદ્ધિ અટકી જાય છે, પાંદડા પીળા પડી જાય છે અથવા વેલ લાંબી અને ઘેરી બનતી નથી.

ઘરની સુંદરતા વધારવા અને હવા શુદ્ધ રાખવા માટે મની પ્લાન્ટ સૌથી લોકપ્રિય છોડોમાંનો એક છે. ઘણા લોકો માને છે કે ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જા આવે છે. પરંતુ ઘણી વખત સારી સંભાળ છતાં તેની વૃદ્ધિ અટકી જાય છે, પાંદડા પીળા પડી જાય છે અથવા વેલ લાંબી અને ઘેરી બનતી નથી.

1 / 6
જો તમારા મની પ્લાન્ટમાં પણ આવી સમસ્યા હોય, તો મોંઘા કેમિકલ ખાતરની જરૂર નથી. બાગાયત નિષ્ણાતોના જણાવ્યા મુજબ રસોડામાં રહેલી તાજી ચા પત્તીથી કુદરતી લિક્વિડ ખાતર બનાવી છોડની વૃદ્ધિ ઝડપથી વધારી શકાય છે.

જો તમારા મની પ્લાન્ટમાં પણ આવી સમસ્યા હોય, તો મોંઘા કેમિકલ ખાતરની જરૂર નથી. બાગાયત નિષ્ણાતોના જણાવ્યા મુજબ રસોડામાં રહેલી તાજી ચા પત્તીથી કુદરતી લિક્વિડ ખાતર બનાવી છોડની વૃદ્ધિ ઝડપથી વધારી શકાય છે.

2 / 6
આ માટે એક લિટર સ્વચ્છ પાણીમાં એક મોટી ચમચી તાજી ચા પત્તી ઉમેરો. આ મિશ્રણને સારી રીતે ઉકાળો અને પછી ધીમી આંચ પર 2થી 3 મિનિટ સુધી વધુ ઉકળવા દો. આ પ્રક્રિયા દરમિયાન ચા પત્તીમાં રહેલા નાઇટ્રોજન અને ટેનિક એસિડ પાણીમાં ભળી જાય છે, જે છોડ માટે કુદરતી પોષક તત્વોનું કામ કરે છે.

આ માટે એક લિટર સ્વચ્છ પાણીમાં એક મોટી ચમચી તાજી ચા પત્તી ઉમેરો. આ મિશ્રણને સારી રીતે ઉકાળો અને પછી ધીમી આંચ પર 2થી 3 મિનિટ સુધી વધુ ઉકળવા દો. આ પ્રક્રિયા દરમિયાન ચા પત્તીમાં રહેલા નાઇટ્રોજન અને ટેનિક એસિડ પાણીમાં ભળી જાય છે, જે છોડ માટે કુદરતી પોષક તત્વોનું કામ કરે છે.

3 / 6
પાણી સંપૂર્ણ ઠંડું થયા બાદ તેને ગાળી લો. ત્યારબાદ તેમાં વધુ એક લિટર સાદું પાણી ઉમેરી તેને પાતળું બનાવો. આ દ્રાવણને સીધું જ છોડમાં નાંખવું નહીં, કારણ કે વધુ સાંદ્રતા માટીને વધુ એસિડિક બનાવી શકે છે.

પાણી સંપૂર્ણ ઠંડું થયા બાદ તેને ગાળી લો. ત્યારબાદ તેમાં વધુ એક લિટર સાદું પાણી ઉમેરી તેને પાતળું બનાવો. આ દ્રાવણને સીધું જ છોડમાં નાંખવું નહીં, કારણ કે વધુ સાંદ્રતા માટીને વધુ એસિડિક બનાવી શકે છે.

4 / 6
આ લિક્વિડ ખાતર મહીનામાં માત્ર એક જ વખત આપવું. ખાતર આપતા પહેલા કૂંડાની માટીને હળવેથી ઢીલી કરી દેવાથી દ્રાવણ મૂળ સુધી સરળતાથી પહોંચે છે અને છોડને વધુ ફાયદો થાય છે.

આ લિક્વિડ ખાતર મહીનામાં માત્ર એક જ વખત આપવું. ખાતર આપતા પહેલા કૂંડાની માટીને હળવેથી ઢીલી કરી દેવાથી દ્રાવણ મૂળ સુધી સરળતાથી પહોંચે છે અને છોડને વધુ ફાયદો થાય છે.

5 / 6
ખાતર સાથે યોગ્ય વાતાવરણ પણ એટલું જ મહત્વનું છે. મની પ્લાન્ટને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતો તેજ પ્રકાશ મળે, પરંતુ સીધા તડકાથી બચાવો. વધુ ગરમ સૂર્યપ્રકાશથી પાંદડા પીળા અથવા ભૂરા પડી શકે છે. યોગ્ય સંભાળ અને આ સરળ ઉપાયથી મની પ્લાન્ટના પાંદડા વધુ લીલાછમ બનશે અને તેની વેલ ઝડપથી લાંબી તથા ઘેરી બનશે.

ખાતર સાથે યોગ્ય વાતાવરણ પણ એટલું જ મહત્વનું છે. મની પ્લાન્ટને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતો તેજ પ્રકાશ મળે, પરંતુ સીધા તડકાથી બચાવો. વધુ ગરમ સૂર્યપ્રકાશથી પાંદડા પીળા અથવા ભૂરા પડી શકે છે. યોગ્ય સંભાળ અને આ સરળ ઉપાયથી મની પ્લાન્ટના પાંદડા વધુ લીલાછમ બનશે અને તેની વેલ ઝડપથી લાંબી તથા ઘેરી બનશે.

6 / 6

ડિસ્ક્લેમર: આ માહિતી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વીડિયો પર આધારિત છે. ઉપયોગ કરતા પહેલા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.

Potato Pickle Recipe: દરરોજ બટાકાનું શાક ખાઈને કંટાળી ગયા છો? આજે જ બનાવો ચટપટું બટાકાનું અથાણું, દાળ-રોટલીનો સ્વાદ થઈ જશે ડબલ

Follow Us
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી પરંપરાને ફરી કરી જીવંત
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
અનંત અંબાણીએ તિરુપતિ બાલાજી મંદિરની પરંપરાને અનુસરતા કર્યુ કેશ દાન
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">