ITR Filing : શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં ભારે નુકસાન થયું છે ? તો પણ કેમ જરુરી છે ITR ફાઈલ કરવું, જાણો નિયમ
ITR Filing : ITR ફાઇલ કરવામાં નિષ્ફળ રહેવું લાંબા ગાળે ખૂબ ખર્ચાળ સાબિત થઈ શકે છે. જો તમે નિર્ધારિત સમયમર્યાદામાં તમારું રિટર્ન ફાઇલ નહીં કરો, તો તમે આ મૂડી નુકસાનને ભવિષ્યના વર્ષોમાં આગળ વધારવાનો અધિકાર ગુમાવો છો.

ITR Filing : જો તમને શેરબજારમાં નફાને બદલે નુકસાન થાય છે તો શું તમારે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવું જોઈએ? નાણાકીય વર્ષ દરમિયાન ઇક્વિટી અથવા મ્યુચ્યુઅલ ફંડમાં નુકસાન સહન કરનારા રોકાણકારો ઘણીવાર ધારે છે કે તેમને ITR ફાઇલ કરવાની જરૂર નથી, ખાસ કરીને જો તેમની પાસે અન્ય કોઈ કરપાત્ર આવક ન હોય.

જોકે, કર નિષ્ણાતોના મતે, ખોટ કરતા વર્ષમાં ITR ફાઇલ કરવામાં નિષ્ફળ રહેવું લાંબા ગાળે ખૂબ ખર્ચાળ સાબિત થઈ શકે છે. જો તમે નિર્ધારિત સમયમર્યાદામાં તમારું રિટર્ન ફાઇલ નહીં કરો, તો તમે આ મૂડી નુકસાનને ભવિષ્યના વર્ષોમાં આગળ વધારવાનો અધિકાર ગુમાવો છો.

તેનું સીધું પરિણામ એ છે કે જ્યારે તમે ભવિષ્યમાં નફો કરો છો, ત્યારે તમે આ નુકસાન સામે તે નફાને સરભર કરી શકશો નહીં, જેના પરિણામે વધુ કર જવાબદારી થશે. ચાલો સરળ શબ્દોમાં સમજીએ કે નુકસાન થવા છતાં ITR ફાઇલ કરવું શા માટે ફાયદાકારક છે.

નુકસાન કેરિફોર્વડ કરવાનો નિયમો શું છે? : કર નિષ્ણાતોના મતે, સમયસર ITR ફાઇલ કરવાથી ભલે નુકસાન થયું હોય કાયદેસર રીતે તમને ભવિષ્યના નફા સામે તે નુકસાનને સરભર કરવાની મંજૂરી મળે છે. NA શાહ એસોસિએટ્સના ટેક્સ પાર્ટનર ગોપાલ બોહરા સમજાવે છે કે જો કરદાતા પાસે કોઈ કર જવાબદારી ન હોય અને તેણે ફક્ત ઇક્વિટી અથવા મ્યુચ્યુઅલ ફંડમાંથી મૂડી નુકસાન કર્યું હોય, તો પણ નિયત તારીખ સુધીમાં ITR ફાઇલ કરવું ખૂબ ફાયદાકારક રહે છે.

સમયસર ITR ફાઇલ કરવાથી તમે આ નુકસાનને આઠ વર્ષ સુધી આગળ ધપાવી શકો છો. ભવિષ્યના વર્ષોમાં, જ્યારે પણ તમે શેર અથવા મ્યુચ્યુઅલ ફંડમાંથી આવક મેળવો છો, ત્યારે તમે તમારા નફામાંથી આ ભૂતકાળના નુકસાનને ઘટાડી શકો છો, જેનાથી તમારી કર જવાબદારીમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અથવા તો દૂર પણ થઈ શકે છે.

લોસની વિગતો ભરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? : કરદાતાઓએ હંમેશા યાદ રાખવું જોઈએ કે સમયમર્યાદામાં ફાઇલ કરેલા રિટર્નમાં જાહેર કરાયેલા નુકસાનને જ આગળ કેરિફોર્વડ કરી શકાય છે. વધુમાં, બધા આવશ્યક દસ્તાવેજો જેમ કે કોન્ટ્રેક્ટ નોટ્સ, બ્રોકર સ્ટેટમેન્ટ્સ અને કેપિટલ ગેઈન જેવા દસ્તાવેજો સુરક્ષિત રીતે રાખો, કારણ કે જો કર અધિકારીઓ દ્વારા માગવા પર તે પુરાવા તરીકે રજૂ કરી શકાય છે.
Gold-Silver Rate Today : સોનાની તેજી પર લાગ્યો બ્રેક ! ખરીદી કરતા પહેલાં ચેક કરો આજના લેટેસ્ટ રેટ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
