તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબિતાના પતિ અય્યરનો રિયલ લાઈફનો પરિવાર જુઓ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેઠાલાલ અને અય્યરની નોકજોક બધાને ખુબ પસંદ આવે છે. તો ચાલો સીરિયલમાં તનુજની ભુમિકા નિભાવનાર અય્યરની પર્સનલ લાઈફ, કરિયર અને શૈક્ષણિક સફળ વિશે વાત કરીએ.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' જેટલી લોકપ્રિય છે, તેના પાત્રો પણ એટલા જ લોકપ્રિય છે અને ચાહકોના ફેવરિટ છે. આજે આપણે તનુજ મહાશબ્દેના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.

તનુજ મહાશબ્દે એક ભારતીય અભિનેતા અને લેખક છે, જે લોકપ્રિય કોમેડી ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કૃષ્ણન સુબ્રમણ્યમ અય્યરની ભૂમિકા ભજવવા માટે જાણીતો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મિસ્ટર અય્યરનો પરિવાર જુઓ

પ્રારંભિક કારકિર્દી વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશના દેવાસમાં જન્મેલા તનુજે લેખક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" માં જોડાતા પહેલા "સી.આઈ.ડી." અને "આહત" જેવા ટીવી શો માટે રાઈટર તરીકે કામ કર્યું હતું.

"તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" શોમાં લેખક તરીકે જોડાયા હતા. બાદમાં, તેમની પ્રતિભાને ઓળખીને, તેમને અય્યર (બબીતાજીના પતિ) તરીકે ભૂમિકા આપવામાં આવી હતી, જે ભૂમિકાએ તેમને ઘર-ઘરમાં લોકપ્રિય બનાવ્યા હતા.

રિયલ લાઈફમાં તેઓ ગ્રેજ્યુએટ છે અને ઘણીવાર મજાકમાં પોતાને "પોપટલાલ" (વાસ્તવિક જીવનનું પાત્ર) કહે છે. કારણ કે, તેઓ આજે પણ સિંગલ છે.

તેમણે કોમ્યુનિકેશનમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે મુંબઈના ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્રમાંથી થિયેટરની ઝીણવટ પુર્વક કામ શીખ્યું હતું

તનુજ મહાશબ્દેનો જન્મ 24 જુલાઈ, 1974ના રોજ મધ્યપ્રદેશના દેવાસમાં થયો હતો. તેણે તેની અભિનય કારકિર્દીની શરૂઆત ઈન્દોરમાં કરી હતી. તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે પણ લેખક રહી ચૂક્યા છે.

મિસ્ટર અય્યર એટલે કે, તનુજ મહાશબ્દે 45 વર્ષની ઉંમરે પણ કુંવારો છે, તેમણે રિયલ લાઈફમાં લગ્ન કર્યા નથી.

તે ખુદને રિયલ લાઈફનો પોપટલાલ કહે છે. જેના લગ્ન હજુ પણ થઈ રહ્યા નથી.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી પર ચાલનાર સૌથી લાંબો શો છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
