કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે કહ્યું, તે જાણીને ચોંકી જશો
પ્રેમાનંદ મહારાજે લોનના દેવા અને તેના આધ્યાત્મિક પરિણામો વિશે મહત્વપૂર્ણ સલાહ આપી છે. જો કોઈ દેવું ચૂકવ્યા વગર મૃત્યુ પામે, તો શું પુનર્જન્મ લેવો પડે? તમે નહીં જાણતા હોવ..

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા ન આપીએ તો શું થાય? આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં ઊભો થાય છે. આજકાલ રાજકારણીઓથી લઈને સેલિબ્રિટીઓ સુધી અનેક લોકો વૃંદાવનમાં આવેલા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા આવે છે. દિવસ હોય કે રાત, હજારો લોકો તેમના આશ્રમની બહાર ભેગા થાય છે અને તેમના આશીર્વાદ મેળવવાની ઈચ્છા રાખે છે. ઘણા લોકો તો પોતાની વ્યક્તિગત સમસ્યાઓ માટે મહારાજ સાથે ખાનગી વાતચીત પણ કરે છે.

એક વ્યક્તિએ પ્રેમાનંદ મહારાજને લોન અંગે એક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો. તેણે પૂછ્યું કે, “મહારાજજી, એવું કહેવાય છે કે જો આપણે કોઈ પાસેથી ઉધાર લઈએ અને તે ચૂકવ્યા વગર મરી જઈએ, તો શું ફરી જન્મ લઈને તે દેવું ચૂકવવું પડે?”

આ પ્રશ્નના જવાબમાં પ્રેમાનંદ મહારાજે ખૂબ સરળ અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ આપ્યો. તેમણે કહ્યું કે, “માફ કરવું શીખવું જોઈએ. ભગવાન બધું સાંભળી રહ્યા છે. ચાલો આપણે પ્રાર્થના કરીએ કે જેને આપ્યું છે તેને આપણે હૃદયથી માફ કરી દઈએ. ભલે તે વ્યક્તિ સાંભળે કે ન સાંભળે, ભગવાન જરૂર સાંભળે છે.”

તેમણે આગળ કહ્યું કે, “અમે કોઈને ઉધાર આપ્યું હોય, તો તે પાછું આપે કે ન આપે, આપણે તેને માફ કરી શકીએ. જો આપણે હૃદયથી માફ કરી દઈએ, તો મરણ પછી પણ એ દેવું લેવા માટે ફરી પાછા આવવાની જરૂર નહીં પડે. પરંતુ જો આપ-લેનો હિસાબ બાકી રહેશે, તો જન્મ-મરણનો ચક્ર ચાલુ રહેશે.”

મહારાજે સમજાવ્યું કે જીવનમાં દેવું અને લેવું વહેલું પૂરું કરવું જોઈએ. જેનાથી આપણે લીધું હોય તેને શક્ય તેટલી વહેલી તકે પરત આપવું જોઈએ અને જેને આપ્યું હોય તેને માફીનો ભાવ રાખવો જોઈએ. આ રીતે આપણે મનથી હળવા બની શકીએ છીએ.

અંતમાં તેમણે કહ્યું કે, “જ્યારે આપણે આપ-લેમાંથી મુક્ત થઈએ છીએ, ત્યારે જ સાચા અર્થમાં ભગવાનના ચરણોમાં શરણ લઈ શકીએ છીએ. જો થોડું પણ બાકી રહેશે, તો ફરી આવવું પડશે. તેથી જીવનમાં હિસાબ પૂરો કરવાનો પ્રયાસ કરવો જોઈએ.” (નોંધ : અહીં આપવામાં આવેલી માહિત ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.)
Aakada leaves Benefits : આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર
