Stock Market: રોકાણકારો માલામાલ થશે! આ કંપનીઓ આપી રહી છે ‘500 રૂપિયા’ કે તેથી વધુનું દમદાર ડિવિડન્ડ, જાણો છેલ્લી તારીખ કઈ
આવતા અઠવાડિયે 100 થી વધુ કંપનીઓના ડિવિડન્ડની એક્સ-ડેટ આવવાની છે, જેમાંથી મોટાભાગની કંપનીઓની એક્સ-ડેટ મંગળવાર અથવા તો તે પછીની છે. સરળ રીતે કહીએ તો, ડિવિડન્ડનો લાભ લેવાની રોકાણકારો પાસે હજુ પણ તક છે.

આવતા અઠવાડિયે ઘણી કંપનીઓના ડિવિડન્ડની એક્સ-ડેટ આવવાની છે. તેમાંથી કેટલીક કંપનીઓના ડિવિડન્ડનો લાભ લેવાની તક રોકાણકારો પાસે હજુ છે. આવતા અઠવાડિયે, 100 થી વધુ કંપનીઓના ડિવિડન્ડની એક્સ-ડેટ છે. જો કે, આમાંની કેટલીક કંપનીઓએ રોકાણકારોનું ધ્યાન ખેંચી લીધું છે.

આ 100 કંપનીઓમાંથી 4 કંપની એવી છે કે, જેને તેના રોકાણકારોને 100 રૂપિયાથી વધુનું ડિવિડન્ડ આપ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે, 2 કંપનીઓએ 500 રૂપિયા કે તેથી વધુનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.

Bosch ના ડિવિડન્ડની એક્સ-ડેટ 29 જુલાઈ છે. કંપનીએ તેના રોકાણકારોને 512 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. શુક્રવારે બોશનો શેર 37,819 રૂપિયા પર બંધ થયો હતો. આ સ્ટોક BSE 200 માં સમાવિષ્ટ છે.

The Yamuna Syndicate Ltdના ડિવિડન્ડની એક્સ-ડેટ 28 જુલાઈ છે. આ કંપનીએ પણ 500 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. યમુના સિન્ડિકેટનો સ્ટોક 39,999 રૂપિયા પર બંધ થયો હતો. શુક્રવારે જ સ્ટોક 1600 રૂપિયા વધ્યો હતો. આ સ્ટોક એક્સ ગ્રુપમાં સામેલ છે.

હોકિન્સ કૂકર્સ લિમિટેડના ડિવિડન્ડની એક્સ-ડેટ 30 જુલાઈની છે. કંપનીએ 130 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. હોકિન્સ કૂકર્સનો સ્ટોક શુક્રવારે 9400 રૂપિયા પર બંધ થયો હતો. આ સ્ટોક સ્મોલકેપમાં સામેલ છે.

મારુતિ સુઝુકી ઇન્ડિયાના ડિવિડન્ડની એક્સ-ડેટ 1 ઓગસ્ટ છે. કંપનીએ 135 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાનો શેર 12,400 રૂપિયા પર બંધ થયો.

આ ઉપરાંત, અપાર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (રૂ. 51), રાણે હોલ્ડિંગ્સ (રૂ. 38), જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ (રૂ. 7), વીઆરએલ લોજિસ્ટિક્સ (રૂ. 10), કોફોર્જ (રૂ. 4), ગોદરેજ એગ્રોવેટ (રૂ. 11), આઇટીડી સિમેન્ટેશન ઇન્ડિયા (રૂ. 2), ટીટીકે પ્રેસ્ટિજ (રૂ. 6), અમરા રાજા એનર્જી એન્ડ મોબિલિટી લિમિટેડ (રૂ. 5.2) ની એક્સ-ડેટ મંગળવાર અથવા તો તે પછીની છે. આનો અર્થ એ થયો કે, ડિવિડન્ડ મળવાની શક્યતા હજુ પણ છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
