History of city name : પરબધામના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
પરબધામ માત્ર ભૌતિક સ્થળ નહીં, પણ તે એક આધ્યાત્મિક અભ્યાસસ્થળ છે. તેવા પવિત્ર સ્થાનનું નામ પણ એની શક્તિ, પરમાત્મા સાથેના સંકળાણ અને સંતોની હાજરી દર્શાવે છે. તેથી "પરબધામ" એટલે "પરમાત્માનું ધામ" જ્યાં આધ્યાત્મિકતાનો પ્રકાશ સતત પ્રકાશિત રહે છે.

પરબધામ, જેને સંત દેવીદાસ બાપુનું પવિત્ર તીર્થસ્થળ માનવામાં આવે છે, તે 18મી સદીના સમયગાળામાં ઉભરેલા સૌરાષ્ટ્રના મહાન સંત દેવીદાસને સમર્પિત તીર્થધામ છે. માન્યતા મુજબ, આશરે 350 વર્ષ પહેલાં સંત દેવીદાસે આ ધર્મધામની સ્થાપના કરી હતી. અહીં પ્રાચીન સમાધી સ્થળ પર મંદિરની રચના કરવામાં આવી છે.

આ પવિત્ર ધામ માત્ર સંત દેવીદાસ સુધી સીમિત નથી. અહીં દાદા મેકરણનો અને સાદુળ પીરનો ઢોલીયો, પરબકુંડ, કરમણપીર તથા દાનેવપીર જેવી વિવિધ સમાધીઓ સ્થિત છે. ઉપરાંત સંત કવિ દાસી જીવણ સાહેબની સ્મૃતિમાં બનાવાયેલો કુવો પણ અહીં જોવા મળે છે. પરબધામમાં કુલ 9 મહાન સંતો અને પવિત્ર આત્માઓની સમાધિઓ આવેલી છે, જેમા દેવીદાસ બાપુ, અમર માતા, જશાપીર, વરદાનપીર, સાદુલપીર, કરમણપીર, અમરીમા, દાનેવપીર અને સાંઈ સેલાણીબાપુના પવિત્ર સ્થાનનો સમાવેશ થાય છે.

ઈ.સ 18મી સદીના સમયમાં, જ્યારે કચ્છ અને સિંધ પ્રદેશો ભારે દુષ્કાળથી પીડાઈ રહ્યા હતા, ત્યારે અનેક લોકોએ સૌરાષ્ટ્ર તરફ સ્થળાંતર કર્યું હતું. એ સમયે સંત દેવીદાસે દયાની ભાવનાથી દુષ્કાળગ્રસ્ત લોકોને આશ્રય અને સહારો આપ્યો.તેમની સેવાથી પ્રસન્ન થયેલા યાત્રિકો અને સંતોએ તેમના માનવતાવાદી કાર્યોના સન્માનરૂપે આ યાત્રાધામનું રૂપ આપ્યું.

કહેવામાં આવે છે કે દેવીદાસ બાપુને રામનાથથી દસ ગૌ દૂર મહાભારત કાળના ઋષિ સરભંગના જૂના આશ્રમમાં પહોંચવા માટે સંકેત મળ્યો, જ્યાં દત્તમહારાજના સૂના પડેલા ધૂણાને ફરીથી સજીવન બનાવવાનો સંદેશો મળ્યો હતો. ત્યાં પહોંચીને તેમણે લોકસેવાના હેતુથી પીડિતોને અન્નરૂપે રોટલાની વિતરણ સેવા શરૂ કરી.

આ વિસ્તારમાં તેઓ આવ્યા ત્યારે ન મંદિર હતું કે કોઈ મૂર્તિ. માત્ર એક લીમડાનું વૃક્ષ હતું, જેના નીચે મેકરણ કાપડીનો ધુણો, ત્રિશૂળ અને ત્રણ અત્યંત સાદા આરામગાહો હતી. સંત દેવીદાસે ત્યાં ધૂણી પ્રગટાવી, લીમડાની ડાળ પર ધ્વજ ફરકાવ્યો અને તેનું આધ્યાત્મિક મહાત્મ્ય સ્થાપિત કર્યું. પરબધામ ખાતે નવા મંદિરની રચનાનું કાર્ય ઈ.સ. 1982માં આરંભાયું હતું અને તેનું નિર્માણ કાર્ય 1999માં પૂર્ણ થયું હતું.

સાથે સાથે એ પણ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમનાસમાધિના દિવસ એટલે કેઅષાઢી બીજના દિવસે ગિરનારથી સર્વે દૈવી શક્તિઓ અને અમરાત્માઓ પરબમાં ઉપસ્થિત રહે. આ જ કારણસર, દરેક વર્ષ અષાઢી બીજના દિવસે પરબધામમાં ભવ્ય મેળો ભરાય છે, જ્યાં શ્રદ્ધાળુઓ વિશેષ ભક્તિભાવથી પધારે છે.

"પરબધામ" એટલે એવું સ્થાન જ્યાં પરમાત્માનું નિવાસ છે અને આધ્યાત્મિક મુક્તિનો માર્ગ મળે છે. પરબધામમાં એવું માનવામાં આવે છે કે અહીં સંતોના આશીર્વાદથી મનુષ્યના કર્મો શુદ્ધ થાય છે, માનસિક શાંતિ મળે છે અને આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.)
Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































