એક પણ સફાઈ કર્મચારી નહીં, છેલ્લા 22 વર્ષથી દેશના સૌથી સ્વચ્છ ગામ તરીકે મેળવે છે એવોર્ડ
ભારતનુ સૌથી સ્વચ્છ ગામ કયું એવુ પુછ્યુ હોય તો સ્વાભાવિક છે કે સામે વાળો એકવાર તો માથું ખંજવાળે. શું તમે જાણો છો ભારતનું સૌથી સ્વચ્છ ગામડું કયું. આ ગામમાં એક પણ સફાઈ કામદાર નથી છતા, છેલ્લા 22 વર્ષથી દેશના સૌથી સ્વચ્છ ગામ તરીકેનો એવોર્ડ મેળવી રહ્યું છે.

દેશનું સૌથી સ્વચ્છ ગામ મેઘાલયના શિલોંગમાં આવેલું છે, જેનું નામ માવલીનોંગ છે. 2003 માં, ડિસ્કવર ઈન્ડિયા મેગેઝિન દ્વારા આ ગામને દેશનું સૌથી સ્વચ્છ ગામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2005 માં પણ તેને ભારતનું સૌથી સ્વચ્છ ગામ જાહેર કરવામાં આવ્યું હતું.

દેશનું સૌથી સ્વચ્છ ગામ બનાવવામાં ગામના વડીલોનો સૌથી મોટો ફાળો રહેલો છે. આ ગામમાં કોઈ સફાઈ કામદાર નથી. માવલીનોંગ ગામના વડીલો, ગામના બાળકોને ભેગા કરે છે અને આસપાસના વિસ્તારોમાં ફરવા લઈ જાય છે. આ સમય દરમિયાન, તેઓ વાર્તાઓ, લોકકથાઓ અને કવિતાઓ કહીને તેમને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરે છે.

માત્ર આટલું જ નહીં, વડીલો બાળકોને તેમની સંસ્કૃતિ, ભાષા, ખાસ કરીને સાહિત્ય અને પરંપરાઓનો પરિચય કરાવે છે. આ રીતે, બાળકોથી વડીલો સુધી પેઢી દર પેઢી સ્વચ્છતાનો વિચાર વધતો જાય છે. વડીલોની વાર્તાઓ તેમના હૃદય અને મનને અસર કરે છે અને તેઓ તેમને જીવનભર યાદ રાખે છે.

આ ગામના લોકો કહે છે કે, જ્યારે બાળકોને વાર્તાઓ કહેવામાં આવે છે, ત્યારે તેમને પર્યાવરણનો આદર કરવાનું શીખવવામાં આવે છે અને તેની જવાબદારી સોંપવામાં આવે છે. તેઓએ કહ્યું કે આપણા રિવાજો જંગલ, નદી અને પર્વત સાથે સંબંધિત છે.

આ ગામના લોકોને સ્વચ્છતાની આદત છે, જેને તેઓ લોકકથાઓની ભેટ કહે છે. 2003 થી તેમના ગામની આ જ પરંપરા રહી છે. પહેલા, પ્રવાસીઓ આ ગામની સ્વચ્છતા જોવા આવતા હતા. પરંતુ હવે લોકો સંસ્કૃતિને પણ સમજવા લાગ્યા છે.

આ ગામમાં દર શનિવારે સામૂહિક સફાઈ કરવામાં આવે છે. બાળકો દર શનિવારે શાળાએ જતા પહેલા સામૂહિક સફાઈમાં ભાગ લે છે. આ દરમિયાન, તેમને કહેવામાં આવે છે કે સ્વચ્છતા શા માટે મહત્વપૂર્ણ છે અને તેમના વડીલો વર્ષોથી તે કેવી રીતે કરી રહ્યા છે. આ બધું લોકવાયકા દ્વારા કરવામાં આવે છે.

આ ગામની વસ્તી 516 છે અને 2003 થી, આ ગામમાં પરિવારોની સંખ્યામાં 7 નો વધારો થયો છે. પહેલા ગામમાં ફક્ત એક હોમસ્ટે હતું. હવે 27 હોમસ્ટે છે. અહીં વાંસ અને લાકડાના બનેલા ઘરો છે. આખા ગામમાં વાંસના બનેલા ડસ્ટબિન પણ મૂકવામાં આવ્યા છે.
જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી છે. આવા જ સમાચાર એક ક્લિક કરીને વાંચો અને તમારૂ નોલેજ વધારો.