મેઘાલય
મેઘાલય એ ભારતનું પૂર્વ પ્રદેશમાં આવેલ રાજ્ય છે. મેઘાલય એ દેશના ઉત્તર પૂર્વીય ભાગમાં આવેલું છે. ઉત્તર અને ઉત્તરપૂર્વમાં ભારતના આસામ રાજ્ય અને દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમમાં બાંગ્લાદેશની સાથે જોડાયેલ છે. મેઘાલય રાજ્યની રાજધાની શિલોંગ છે. જે પર્વતીય શહેર છે, શિલોંગ પૂર્વ-મધ્ય મેઘાલયમાં સ્થિત છે.
મેઘાલય એ બે જોડાયેલા શબ્દથી બનેલ એક શબ્દ છે. મેઘ એટલે વાદળો અને આલય એટલે નિવાસ સ્થાન, વાદળનુ નિવાસસ્થાન એટલે મેઘાલય એવુ સ્થાનિક ભાષામાં પ્રચલિત છે. સુંદર, મન મોહી લેતા પર્વતીય પ્રદેશ એટલે મેઘાલય.
1972માં મેઘાલય એક રાજ્ય બન્યું. તે 8,660 ચોરસ માઇલ વિસ્તારમાં ફેલાયલ છે. જેની વસ્તી 2011ની ગણતરી અનુસાર 29,64,007 છે.
મેઘાલયમાં આવેલ પર્વતમાળાઓને ખાસી ટેકરીઓ અને જયંતિયા ટેકરીઓ તરીકે ઓળખવામાં આવે છે. અહીં જગલ, પર્વત, નદી અને ખીણ પ્રદેશ આવેલ છે.
Breaking News: ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવ ! હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે જાહેર કર્યું એલર્ટ, જાણો ગુજરાતની સ્થિતિ
દેશભરમાં અત્યારે હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ દક્ષિણ અને પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદનું એલર્ટ છે, તો બીજી તરફ ગુજરાત અને રાજસ્થાનમાં ગરમીનો પારો આસમાને પહોંચવાની શક્યતા છે.
- Ravi Prajapati
- Updated on: May 11, 2026
- 8:04 pm
Breaking News : દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં વલસાડ સહિત દેશમાં 10 સ્થળોએ NIA ના દરોડા, ટેરર ફંડિંગ અંગે મોટો ખુલાસો
NIA એ ગુજરાતના વલસાડ સહિત 10 સ્થળોએ અલકાયદા ઈન્ડિયાના ટેરર ફંડિંગ નેટવર્કને ભંડોળ પૂરું પાડવાના સંદર્ભમાં દરોડા પાડ્યા.
- Sachin Kolte
- Updated on: Nov 12, 2025
- 9:47 pm
દિવાળી વેકેશનમાં ફરવા જઈ રહ્યા છો ? તો આ લિવિંગ રુટ બ્રિજની મુલાકાત અવશ્ય લેજો
ભારત વિવિધતાની ભૂમિ તરીકે ઓળખાય છે. તેમાં ફરવા માટે અનેક સુંદર સ્થળો છે. અનેક રેલવે સ્ટેશનો અને એરપોર્ટ પણ સુંદર રીતે સચવાયેલા છે. જોકે, દુનિયાભરમાં ઘણા સુંદર પુલ પણ છે જેની સુંદરતા અટલ છે. જ્યારે પુલનું નિર્માણ સામાન્ય રીતે ઇજનેરોની જવાબદારી હોય છે, ત્યારે ભારતમાં એક પુલ છે જે કુદરત અને સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવ્યો હતો.
- Disha Thakar
- Updated on: Oct 22, 2025
- 9:03 am
ના હોય ! ભારતમાં આ ગામની અંદર મહિલાઓ રાજ કરે છે અને પુરુષો ઘરના બધા કામ કરે છે
દુનિયાભરમાં એવી ઘણી જાતિઓ છે કે, જેમના પોતાના અલગ અલગ રીતરિવાજો હોય છે. એવામાં ચાલો જાણીએ કે, ભારતમાં કયા ગામની અંદર મહિલાઓનું રાજ ચાલે છે અને પુરુષો ઘરનું કામ કરે છે...
- Ravi Prajapati
- Updated on: Aug 12, 2025
- 4:07 pm
ગુજરાતના એ વેપારી કોણ ? જેને મળવા માંગે છે જેલમાં કેદ રહેલ રાજા રધુવંશીની હત્યારી પત્ની સોનમ
Sonam Raghuvanshi latest news : મધ્યપ્રદેશથી મેધાલયના શિલોગમાં હનીમુન પર ગયેલા રાજા રઘુવંશીની તેની જ પત્નિ સોનમ રઘુવંશીએ, અન્યોની મદદથી કરપીણ હત્યા કરી નાખી હતી. શિલોંગ જેલમાં બંધ સોનમ રઘુવંશીએ ગુજરાતના એક વેપારીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે રાજા રઘુવંશી હત્યા કેસમાં એક નવો વળાંક આવ્યો. આ વેપારી તેના વ્યવસાયિક ભાગીદાર હોવાનું કહેવાય છે.
- TV9 Gujarati
- Updated on: Jul 25, 2025
- 9:43 pm
એક પણ સફાઈ કર્મચારી નહીં, છેલ્લા 22 વર્ષથી દેશના સૌથી સ્વચ્છ ગામ તરીકે મેળવે છે એવોર્ડ
ભારતનુ સૌથી સ્વચ્છ ગામ કયું એવુ પુછ્યુ હોય તો સ્વાભાવિક છે કે સામે વાળો એકવાર તો માથું ખંજવાળે. શું તમે જાણો છો ભારતનું સૌથી સ્વચ્છ ગામડું કયું. આ ગામમાં એક પણ સફાઈ કામદાર નથી છતા, છેલ્લા 22 વર્ષથી દેશના સૌથી સ્વચ્છ ગામ તરીકેનો એવોર્ડ મેળવી રહ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jul 14, 2025
- 6:29 pm
રાજા રઘુવંશીની હત્યા પહેલા સોનમે તંત્ર-મંત્રના મેસેજ મોકલ્યા હતા, પોલીસ તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
રાજા રઘુવંશી હત્યા કેસ પાછળનો હેતુ અત્યાર સુધી સોનમ અને રાજની પ્રેમકથા અથવા વ્યવસાય માનવામાં આવતો હતો. દરમિયાન, મેઘાલય પોલીસને કેટલાક પુરાવા મળ્યા છે જે આ કેસમાં તંત્ર-મંત્ર વિધિ તરફ ઈશારો કરી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 25, 2025
- 8:24 pm