Breaking News : નવા બિઝનેસમાં એન્ટ્રી કરશે મુકેશ અંબાણી, Tata, Bajaj અને LIC ને આપશે ટક્કર, જાણો કેરે આપશે સરપ્રાઈઝ
મુકેશ અંબાણીની Jio Financial Services 2026 સુધીમાં જીવન અને સામાન્ય વીમા ક્ષેત્રમાં પ્રવેશની તૈયારીમાં છે, જે નિયમનકારી મંજૂરીઓ પર નિર્ભર

મુકેશ અંબાણીની કંપની Jio Financial Services હવે વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. કંપની 2026 સુધીમાં જીવન અને સામાન્ય વીમા બંને સેગમેન્ટમાં પ્રવેશવાનો પ્લાન બનાવી રહી છે. હાલ કંપની જરૂરી નિયમનકારી મંજૂરીઓની રાહ જોઈ રહી છે, ત્યારબાદ આ નવા વ્યવસાયની સત્તાવાર શરૂઆત થશે.

બુધવારે જે ધનીક વ્યક્તિઓની સંપત્તિમાં વધારો થયો તેમાં માર્ક ઝુકરબર્ગ ટોચ પર છે. તેમની સંપત્તિમાં $12.8 બિલિયનનો વધારો થયો, જેનાથી તેમની વર્તમાન નેટવર્થ $217 બિલિયન થઈ ગઈ. બર્નાર્ડ આર્નોલ્ટ $9.89 બિલિયન વધ્યા, જેનાથી તેમની નેટવર્થ $165 બિલિયન થઈ ગઈ.(ફોટો ક્રેડિટ-Google)

કંપનીના મેનેજમેન્ટ મુજબ, Jio Financial Services આ વર્ષે જ જીવન અને સામાન્ય વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરવાની તૈયારીમાં છે. જોકે, હાલમાં કંપની અનસિક્યોર્ડ લોન અથવા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માટે લોન માર્કેટમાં પ્રવેશ કરવાની કોઈ તાત્કાલિક યોજના ધરાવતી નથી.

કંપનીના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર Hitesh Sethiaએ જણાવ્યું હતું કે, “અમે 2026 સુધીમાં વીમા વ્યવસાય શરૂ કરવાની આશા રાખીએ છીએ, જે સંપૂર્ણપણે નિયમનકારી મંજૂરીઓ પર આધારિત રહેશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે કંપની આ ક્ષેત્રમાં વૈશ્વિક ભાગીદાર Allianz સાથે મળીને કામ કરશે. મહત્વનું છે કે JFS પહેલેથી જ પુનર્વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરી ચૂકી છે અને હવે તે પોતાના વીમા વ્યવસાયને મજબૂત બનાવવા માટે ટીમ બિલ્ડિંગ અને ભરતી પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

જો Jio Financial Services વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરશે, તો તેને દેશની મોટી કંપનીઓ સાથે કઠોર સ્પર્ધાનો સામનો કરવો પડશે. આમાં Tata Group, Bajaj Finserv, Life Insurance Corporation of India, તેમજ SBI અને HDFC જેવી સ્થાપિત કંપનીઓનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં આવેલી મુકેશ અંબાણીની Reliance રિફાઇનરીમાં એક દિવસમાં કેટલો LPG ગેસ બનાવવાની ક્ષમતા છે ?
