AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સચિન-યુવરાજ અને ગાંગુલી જે કરી ગયા, એ જ લિસ્ટમાં હવે આવી ગયું ‘બાપુ’ નું નામ; વન-ડેમાં રચ્યો ‘મોટો ઇતિહાસ’

ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ વન-ડે મેચમાં ભારતે 6 વિકેટથી શાનદાર જીત મેળવી છે. આ જીતની સાથે જ ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે બોલિંગ અને બેટિંગ બંનેમાં કમાલનું પ્રદર્શન કરીને ઇતિહાસ રચી દીધો છે. તેણે મેચમાં 4 વિકેટ ઝડપવાની સાથે અણનમ અડધી સદી ફટકારી અને સચિન-યુવરાજ જેવા દિગ્ગજોની બરોબરી કરી છે.

| Updated on: Jul 15, 2026 | 5:11 PM
Share
ઈંગ્લેન્ડ સામે ભારતે પ્રથમ વન-ડેમાં 6 વિકેટથી શાનદાર જીત મેળવી છે, જેમાં શુભમન ગિલે 80 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. વધુમાં, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે અણનમ અર્ધશતકીય ઇનિંગ્સ રમી હતી. આ પહેલા અક્ષર પટેલે બોલિંગમાં પણ કમાલનું પ્રદર્શન કર્યું હતું અને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી, જેના દમ પર ભારત ઇંગ્લેન્ડને 258 રનના સ્કોર પર રોકવામાં સફળ રહ્યું હતું.

ઈંગ્લેન્ડ સામે ભારતે પ્રથમ વન-ડેમાં 6 વિકેટથી શાનદાર જીત મેળવી છે, જેમાં શુભમન ગિલે 80 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. વધુમાં, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરે અણનમ અર્ધશતકીય ઇનિંગ્સ રમી હતી. આ પહેલા અક્ષર પટેલે બોલિંગમાં પણ કમાલનું પ્રદર્શન કર્યું હતું અને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી, જેના દમ પર ભારત ઇંગ્લેન્ડને 258 રનના સ્કોર પર રોકવામાં સફળ રહ્યું હતું.

1 / 5
આ મેચમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલે કંઈક એવું કર્યું કે, જે આ પહેલા ભારતના માત્ર 5 જ ખેલાડીઓ કરી શક્યા હતા. એજબેસ્ટનમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુરનૂર બ્રારે બંને ઓપનર્સ બેન ડકેટ (43) અને જેકબ બેથેલ (14) ને આઉટ કર્યા હતા, જ્યારે હેરી બ્રુકને 1 રનના સ્કોર પર જસપ્રિત બુમરાહે બોલ્ડ કર્યો હતો.

આ મેચમાં ઓલરાઉન્ડર અક્ષર પટેલે કંઈક એવું કર્યું કે, જે આ પહેલા ભારતના માત્ર 5 જ ખેલાડીઓ કરી શક્યા હતા. એજબેસ્ટનમાં રમાયેલી પ્રથમ વન-ડેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુરનૂર બ્રારે બંને ઓપનર્સ બેન ડકેટ (43) અને જેકબ બેથેલ (14) ને આઉટ કર્યા હતા, જ્યારે હેરી બ્રુકને 1 રનના સ્કોર પર જસપ્રિત બુમરાહે બોલ્ડ કર્યો હતો.

2 / 5
લિયામ ડોસન સહિત ઇંગ્લેન્ડના 4 બેટ્સમેનોને અક્ષર પટેલે પોતાના શિકાર બનાવ્યા હતા. આ સિવાય બેટિંગમાં અર્ધશતક ફટકારીને અક્ષર પટેલે ઇતિહાસ રચ્યો અને સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, યુવરાજ સિંહ સાથે એક ખાસ ક્લબમાં જોડાઈ ગયો.

લિયામ ડોસન સહિત ઇંગ્લેન્ડના 4 બેટ્સમેનોને અક્ષર પટેલે પોતાના શિકાર બનાવ્યા હતા. આ સિવાય બેટિંગમાં અર્ધશતક ફટકારીને અક્ષર પટેલે ઇતિહાસ રચ્યો અને સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, યુવરાજ સિંહ સાથે એક ખાસ ક્લબમાં જોડાઈ ગયો.

3 / 5
વાત એમ છે કે, એક વન-ડે મેચમાં 4 કે તેથી વધુ વિકેટ લેવા અને 50 થી વધુ રન બનાવનાર અક્ષર પટેલ ભારતના છઠ્ઠો ખેલાડી બની ગયો છે. આ પહેલા ક્રિસ શ્રીકાંત, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, યુવરાજ સિંહ અને હાર્દિક પંડ્યા જ આવું કરી શક્યા છે.

વાત એમ છે કે, એક વન-ડે મેચમાં 4 કે તેથી વધુ વિકેટ લેવા અને 50 થી વધુ રન બનાવનાર અક્ષર પટેલ ભારતના છઠ્ઠો ખેલાડી બની ગયો છે. આ પહેલા ક્રિસ શ્રીકાંત, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, યુવરાજ સિંહ અને હાર્દિક પંડ્યા જ આવું કરી શક્યા છે.

4 / 5
ગાંગુલી અને પંડ્યાએ પોતાના વન-ડે કરિયરમાં 2-2 વખત આવું કર્યું હતું. હવે અક્ષર પટેલ પણ દિગ્ગજો સાથે આ યાદીમાં જોડાઈ ગયો છે. પ્રથમ વન-ડેમાં અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. અક્ષર પટેલ એક મેચમાં 4 કે તેથી વધુ વિકેટ અને 50 થી વધુ રન બનાવનાર ભારતનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. આ પહેલા યુવરાજ સિંહ સૌથી મોટી ઉંમરના ખેલાડીમાંનો એક હતો.

ગાંગુલી અને પંડ્યાએ પોતાના વન-ડે કરિયરમાં 2-2 વખત આવું કર્યું હતું. હવે અક્ષર પટેલ પણ દિગ્ગજો સાથે આ યાદીમાં જોડાઈ ગયો છે. પ્રથમ વન-ડેમાં અક્ષર પટેલને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. અક્ષર પટેલ એક મેચમાં 4 કે તેથી વધુ વિકેટ અને 50 થી વધુ રન બનાવનાર ભારતનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે. આ પહેલા યુવરાજ સિંહ સૌથી મોટી ઉંમરના ખેલાડીમાંનો એક હતો.

5 / 5

Breaking News : ઈંગ્લેન્ડ સામે ‘બાપુ’ અક્ષર પટેલનું ઓલરાઉન્ડર પ્રદર્શન, આ ખેલાડી જીત્યા-હીરો રહ્યા

Follow Us
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">