કાનુની સવાલ : છૂટાછેડા માટે કોર્ટની મંજૂરીમાં કેટલો સમય લાગે છે?, જાણો
એવું કહેવામાં આવે છે કે, પતિ-પત્નીની જોડી ભગવાન બનાવીને મોકલે છે પરંતુ ક્યારેક એવું પણ સામે આવે છે કે, પતિ-પત્ની વચ્ચે અમુક કારણોસર મતભેદ થતાં વાત છૂટાછેડા સીધી પહોંચી જાય છે. પતિ અને પત્ની વચ્ચેના સંબંધોને કાયદાની રીતે પૂર્ણ કરવા તેને છૂટાછેડા કહેવામાં આવે છે.

આપસી સહમતિથી છૂટાછેડા એટલે કે, મ્યુચલ છૂટાછેડા. કોર્ટમાં અરજી દાખલ કર્યા બાદ 6 મહિનાની રાહ જોવી પડે છે. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે આ રાહ વધારે જોવી પડશે નહી. જો કોર્ટને લાગે છે કે, લગ્ન આગળ વધારે ટકી શકે તેમ નથી. તો છૂટાછેડા મંજૂર કરી શકાય છે

જ્યારે કેસ કોર્ટમાં દાખલ કરવામાં આવે છે, ત્યારે પરસ્પર સંબંધ ઉકેલવા માટે છ મહિનાનો સમયગાળો (કૂલિંગ પીરિયડ) આપવામાં આવે છે. જો કોર્ટને લાગે કે તેનો ઉકેલ લાવવો મુશ્કેલ છે તો આ સમયગાળો ટુંકો કરી શકે છે.

જો પતિ અને પત્ની બંને છૂટાછેડાના નિર્ણય પર મક્કમ હોય, તો 6 મહિનાથી 18 મહિનાની અંદર છૂટાછેડા આપી શકાય છે.હિન્દુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 13બી મુજબ, જો પતિ અને પત્ની બંને સંમત થાય, તો તેઓ લગ્નના 1 વર્ષ પછી છૂટાછેડા માટે અરજી કરી શકે છે.

જો એક પક્ષ છૂટાછેડા ઈચ્છે છે, તો તે લગ્નના 1 વર્ષ બાદ અરજી કરી શકે છે. જો આ મામલો ખુબ ગંભીર છે જેમ કે, ક્રૂરતા, ત્યાગ, માનસિક ત્રાસ, વગેરે. તો કોર્ટ 1 વર્ષ પહેલા છૂટાછેડાની અરજી સ્વીકારી લે છે.આવા કેસમાં 2 થી 5 વર્ષ કે વધુનો સમય લાગી શકે છે.

ટુંકમાં જો પતિ પત્ની બંન્ને છુટાછેડા માટે સમંત છે તો 6 થી 8 મહિનામાં છૂટાછેડા મળી શકે છે. જો કોઈ ગંભીર પરિસ્થિતિ છે. તો કોર્ટ આના પર જલ્દી નિર્ણય લઈ શકે છે.

(અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image: Symbolic Image)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.
