MI vs LSG Playoff Scenarios : રોહિત-રિકલ્ટનની ધમાકેદાર ઇનિંગ્સથી મુંબઈની પ્લેઓફની આશા જીવંત!
વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલ 2026ની 47મી મેચમાં મુંબઈએ લખનૌને 6 વિકેટથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા લખનૌએ 228 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો.

લખનૌ માટે નિકોલસ પૂરન (21 બોલમાં 63 રન) અને મિશેલ માર્શ (44 રન) એ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. વિશાળ ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડી રોહિત શર્મા (44 બોલમાં 85 રન) અને રાયન રિકેલ્ટન (32 બોલમાં 83 રન) ના વિસ્ફોટક ઇનિંગ્સને કારણે આઠ બોલ બાકી રહેતા મેચ જીતી લીધી.

આ જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સે સતત ચાલી રહેલા હારનો સિલસિલો તોડી નાખ્યો. જે સતત ચાર હાર પછી વાનખેડે સ્ટેડિયમ પર તેમની પહેલી જીત હતી.

જો કે આ પરિણામ છતાં બંને ટીમોના પોઈન્ટ ટેબલ રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી અને તેઓ છેલ્લા બે સ્થાન પર રહ્યા છે. પ્લેઓફમાં સ્થાન હજુ પણ તેમના માટે લગભગ અશક્ય લાગે છે.

મુંબઈ અંગે આ જીતથી તેમના પોઈન્ટની સંખ્યા 6 થઈ ગઈ છે પરંતુ તેઓ નવમા સ્થાને છે. તેને બાકીની બધી મેચ નોંધપાત્ર માર્જિનથી જીતવી પડશે. જ્યારે અન્ય ટીમોના પરિણામો પર પણ આધાર રાખવો પડશે.

લખનૌની સ્થિતિ આ મેચ પહેલા મુંબઈ જેવી જ છે. ટીમે નવમાંથી સાત મેચ હારી છે અને માત્ર ચાર પોઈન્ટ સાથે ટેબલમાં સૌથી નીચે છે. તેને બાકીની બધી મેચ જીતવી પડશે અને અન્ય ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે.
આ પણ વાંચો, Breaking News : IPL 2026 માં MI ઘર આંગણે સતત 4 મેચ હાર્યું, MI vs LSG મેચમાં અંબાણીએ બદલી નાખ્યો કેપ્ટન…
