AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શ્રીલંકા સામેની 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 262 દિવસ પછી આ ખેલાડીની વાપસી થઈ

Team India Squad: ભારતીય ક્રિકેટ બોર્ડે આજે એટલે કે, 28 જુલાઈના રોજ શ્રીલંકા વિરુદ્ધ રમાનારી ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં 2 ટેસ્ટ મેચ રમાશે. આ ખેલાડીની 262 દિવસ પછી વાપસી થઈ છે.

Breaking News : શ્રીલંકા સામેની 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 262 દિવસ પછી આ ખેલાડીની વાપસી થઈ
| Updated on: Jul 28, 2026 | 9:41 AM
Share

India Squad for Sri Lanka: શ્રીલંકા વિરુદ્ધ 2 ટેસ્ટની સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વોશિગ્ટન સુંદર પહેલી ટેસ્ટ ટીમમાંથી બહાર છે. 15 સભ્યોની ટીમમાં એક નવા ચહેરાની એન્ટ્રી થઈ છે. ટીમમાં 4 સ્પેશલિસ્ટ ફાસ્ટ બોલરને સ્થાન મળ્યું છે. તો અફઘાનિસ્તાન વિરુદ્ધ પોતાનું ડેબ્યુ ટેસ્ટમાં ધમાકો કરનાર માનવ સુથારને પણ શ્રીલંકા પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

રવિન્દ્ર જાડેજાની ટીમમાં વાપસી

શ્રીલંકાના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં રવિન્દ્ર જાડેજાની વાપસી થઈ છે. તેમને અફઘાનિસ્તાન વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. તેમજ ગુરનુર બ્રાર જે અફઘાનિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ ટીમ માટે પહેલી વખત પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ તેમને ડેબ્યુની તક મળી ન હતી. આશા છે કે,શ્રીલંકામાં તેના ટેસ્ટ ડેબ્યુની રાહ પૂર્ણ થાય.

ટીમમાં મધ્યપ્રદેશના ઓલરાઉન્ડર સારાંશ જૈનનું નામ પણ પસંદ કરવામાં આવ્યું છે. સારાંસ બેટસ્મેનની સાથે ઓફ સ્પિનર પણ છે. ફર્સ્ટ ક્લાસ કરિયરમાં તેમણે 54 મેચમાં 2200 થી વધારે રન બનાવવા સિવાય 188 વિકેટ લીધી છે.

શ્રીલકા વિરુદ્ધ ભારતીય ટેસ્ટ ટીમ

શુભમન ગિલ, ઋષભ પંત,યશસ્વી જ્યસ્વાલ, કે.એલ રાહુલ, સાંઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, દેવદત્ત પેડિક્કલ, માનવ સુથાર, રવિન્દ્ર જાડેજા,કુલદીપ યાદવ,જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ,પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બરાડ અને સારાંશ જૈન

જો આપણે ભારત અને શ્રીલંકાના શેડ્યુલની વાત કરીએ તો. પહેલી મેચ 15 થી 19 ઓગસ્ટ વચ્ચે રમાશે. ત્યારબાદ બીજી ટેસ્ટ મેચ 23 ઓગસ્ટના રોજ રમાશે. આ તમામ મેચ ભારતીય સમયઅનુસાર 10 કલાકે શરુ થશે.

શ્રીલંકા સામે 2 ટેસ્ટની સીરિઝ

ભારતને શ્રીલંકા પ્રવાસ પર 2 ટેસ્ટ સીરિઝ રમવાની છે. પહેલી ટેસ્ટ મેચ 15 ઓગસ્ટથી ગોલમાં શરુ થશે. તો બીજી ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. ટીમ ઈન્ડિયા 4 ઓગસ્ટના રોજ શ્રીલંકાના પ્રવાસ પર છે. અહી 7 ઓગ્સ્ટથી કોલંબોમાં એક દિવસની વોર્મ અપ મેચ રમશે.

Team India : ટીમ ઈન્ડિયા 19 દિવસના બ્રેક પર, જાણો ક્યારે અને કોની સામે મેદાનમાં ઉતરશે અહી ક્લિક કરો

Follow Us
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત
દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની
દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ
દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ
બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી
બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">