AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Doctor on Train : ચાલતી ટ્રેનમાં અચાનક કોઇની તબિયત બગડે તો આ નંબર પર કોલ કરો.. ડૉક્ટર આવશે

ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષા માટે વિશેષ તબીબી સેવા પૂરી પાડે છે. લાંબી મુસાફરીમાં તબિયત બગડે તો તેના માટે તમને સર્વ મળી રહેવાની છે અને એ પણ ટ્રેનમાં.

| Updated on: Nov 26, 2025 | 3:29 PM
Share
ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક ખાસ તબીબી સેવા પૂરી પાડે છે. જો લાંબી મુસાફરી દરમિયાન ચાલતી ટ્રેનમાં અચાનક તમારી અથવા કોઈ બીજા મુસાફરની તબિયત બગડે, તો ચિંતા કરવાની જરૂર નથી. હવે મુસાફરો ટ્રેનમાં જ ડૉક્ટરને બોલાવી શકે છે અને તેની તપાસ કરાવી શકે છે. આ સુવિધા માટે ફક્ત ₹100 ની ફી લેવામાં આવે છે, જે દરેક મુસાફર માટે ખૂબ જ ઓછી અને સસ્તી ગણાય છે.

ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક ખાસ તબીબી સેવા પૂરી પાડે છે. જો લાંબી મુસાફરી દરમિયાન ચાલતી ટ્રેનમાં અચાનક તમારી અથવા કોઈ બીજા મુસાફરની તબિયત બગડે, તો ચિંતા કરવાની જરૂર નથી. હવે મુસાફરો ટ્રેનમાં જ ડૉક્ટરને બોલાવી શકે છે અને તેની તપાસ કરાવી શકે છે. આ સુવિધા માટે ફક્ત ₹100 ની ફી લેવામાં આવે છે, જે દરેક મુસાફર માટે ખૂબ જ ઓછી અને સસ્તી ગણાય છે.

1 / 5
જ્યારે પણ કોઈ મુસાફરની તબિયત બગડે, ત્યારે સૌથી પ્રથમ પગલું TTE ને તરત જ જાણ કરવાનું છે. TTE આ ફરિયાદને ગંભીરતાથી લઈને તરત જ કંટ્રોલ રૂમને માહિતી મોકલે છે. ત્યાર પછી કંટ્રોલ રૂમ આગામી મોટા સ્ટેશન પર ડૉક્ટરની વ્યવસ્થા કરે છે. ટ્રેન સ્ટેશન પર પહોંચતાં જ ડૉક્ટર સીધા કોચમાં આવીને દર્દીની તપાસ કરે છે અને જરૂરી સારવાર આપે છે. આ સેવા મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર  તમામ પ્રકારની ટ્રેનોમાં ઉપલબ્ધ છે.

જ્યારે પણ કોઈ મુસાફરની તબિયત બગડે, ત્યારે સૌથી પ્રથમ પગલું TTE ને તરત જ જાણ કરવાનું છે. TTE આ ફરિયાદને ગંભીરતાથી લઈને તરત જ કંટ્રોલ રૂમને માહિતી મોકલે છે. ત્યાર પછી કંટ્રોલ રૂમ આગામી મોટા સ્ટેશન પર ડૉક્ટરની વ્યવસ્થા કરે છે. ટ્રેન સ્ટેશન પર પહોંચતાં જ ડૉક્ટર સીધા કોચમાં આવીને દર્દીની તપાસ કરે છે અને જરૂરી સારવાર આપે છે. આ સેવા મેલ, એક્સપ્રેસ અને પેસેન્જર  તમામ પ્રકારની ટ્રેનોમાં ઉપલબ્ધ છે.

2 / 5
ડૉક્ટર પાસે તપાસ કરાવ્યા પછી મુસાફરને ₹100 ની સલાહ ફી ચૂકવવાની હોય છે, અને ડૉક્ટર તેની રસીદ પણ પ્રદાન કરે છે. જો ડૉક્ટર દવા લખે તો તેની કિંમત મુસાફરને અલગથી ચૂકવવાની રહેશે. એટલે ₹100 ફક્ત ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહ અને તાકીદની સારવાર માટે છે, જ્યારે દવાનો ખર્ચ અલગ ગણવામાં આવે છે.

ડૉક્ટર પાસે તપાસ કરાવ્યા પછી મુસાફરને ₹100 ની સલાહ ફી ચૂકવવાની હોય છે, અને ડૉક્ટર તેની રસીદ પણ પ્રદાન કરે છે. જો ડૉક્ટર દવા લખે તો તેની કિંમત મુસાફરને અલગથી ચૂકવવાની રહેશે. એટલે ₹100 ફક્ત ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહ અને તાકીદની સારવાર માટે છે, જ્યારે દવાનો ખર્ચ અલગ ગણવામાં આવે છે.

3 / 5
મુસાફરોને ઘણી વાર તેવા કિસ્સાઓનો સામનો કરવો પડે છે જ્યાં સમસ્યા ગંભીર ન હોવા છતાં તબિયત બગડી જાય છે, જેમ કે હળવો તાવ, પેટમાં દુખાવો, ઉલટી, શરીરમાં દુખાવો અથવા એલર્જી. આવી પરિસ્થિતિમાં પણ મુસાફરે TTE ને જાણ કરવી જોઈએ. TTE ગાર્ડના ડબ્બામાં રાખેલી ફર્સ્ટ એઇડ કીટમાંથી દવાનો એક ડોઝ લઈ મુસાફરને આપે છે, અને આ દવા સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવે છે. મુસાફરને કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી.

મુસાફરોને ઘણી વાર તેવા કિસ્સાઓનો સામનો કરવો પડે છે જ્યાં સમસ્યા ગંભીર ન હોવા છતાં તબિયત બગડી જાય છે, જેમ કે હળવો તાવ, પેટમાં દુખાવો, ઉલટી, શરીરમાં દુખાવો અથવા એલર્જી. આવી પરિસ્થિતિમાં પણ મુસાફરે TTE ને જાણ કરવી જોઈએ. TTE ગાર્ડના ડબ્બામાં રાખેલી ફર્સ્ટ એઇડ કીટમાંથી દવાનો એક ડોઝ લઈ મુસાફરને આપે છે, અને આ દવા સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવે છે. મુસાફરને કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી.

4 / 5
જો તબિયત બગડે ત્યારે TTE અથવા ગાર્ડ સુધી સંપર્ક ન થઈ શકે, તો મુસાફરો સીધા જ રેલવે હેલ્પલાઇન નંબર 138 પર કૉલ કરી શકે છે. આ નંબર પર કૉલ થતા જ કંટ્રોલ રૂમને માહિતી મળે છે અને આગલા સ્ટેશન પર તબીબી સહાયની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે છે. એટલે કે, મુસાફરો TTE ને જાણ કરે અથવા 138 પર કૉલ કરે બંને રીતે ચાલતી ટ્રેનમાં તબીબી સારવાર સરળતાથી મળી શકે છે.

જો તબિયત બગડે ત્યારે TTE અથવા ગાર્ડ સુધી સંપર્ક ન થઈ શકે, તો મુસાફરો સીધા જ રેલવે હેલ્પલાઇન નંબર 138 પર કૉલ કરી શકે છે. આ નંબર પર કૉલ થતા જ કંટ્રોલ રૂમને માહિતી મળે છે અને આગલા સ્ટેશન પર તબીબી સહાયની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે છે. એટલે કે, મુસાફરો TTE ને જાણ કરે અથવા 138 પર કૉલ કરે બંને રીતે ચાલતી ટ્રેનમાં તબીબી સારવાર સરળતાથી મળી શકે છે.

5 / 5

Railway Rules : ટ્રેનમાં આ 10 ભૂલો કરશો તો જવું પડશે જેલમાં ! જાણ્યા પછી તમે ક્યારેય નહીં કરશો

Follow Us
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
g clip-path="url(#clip0_868_265)">