હનુમાનજીને અર્પણ કરાતા આકડાના પાન અનેક રોગોને કરે છે દૂર, જાણો કેવી રીતે
આકડાના પાન હનુમાનજીને અર્પણ કરવામાં આવે છે. આ માહિતી લગભગ બધાને ખબર હશે. પરંતુ આકડાના પાન શરીરની અનેક સમસ્યાઓનું સમાધાન છે. આકડાના પાનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનેક રોગને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે.

આકડાને અકવાન અથવા અકોવાના નામથી પણ ઘણા લોકો ઓળખે છે. કેટલાક લોકો આ છોડને ઝેરી છોડ તરીકે પણ ઓળખે છે. આકડાના પાન ઘણી બીમારીઓ દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.

શરીરમાં વધારે પડતા સાંધાનો દુખાવો થાય ત્યારે આકડાના પાનને ગરમ કરીને દુખાવો થતો હોય તે શરીરના ભાગમાં બાંધવા લો. થોડા કલાક તેને રહેવા દો. આમ કરવાથી દુખાવામાં રાહત મળશે.

તમે ડાયાબિટીસથી પીડિત હોવ તો બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે આકડાના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે આકના પાંદડાને પગની નીચે એટલે કે તળિયા પર મૂકો અને મોજા પહેરો.

શરીરના કોઈપણ ભાગમાં ઈજા થઈ હોય તો તમે તેના પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે માત્ર મદારના પાનને ગરમ કરો, ઈજાગ્રસ્ત જગ્યા પર તેલ લગાવો અને બાંધો.

ત્વચા પર જો ખંજવાળની સમસ્યા થાય તો આકડાના મૂળ બાળીને તેની રાખને સરસવના તેલમાં મિક્સ કરીને લગાવવાથી ખંજવાળમાં રાહત મળે છે. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. )
