Breaking News : Canada માં રહેતા ભારતીયો માટે મોટી ખુશખબર, 20,000 લોકોને મળશે PR, જાણો લાયકાત
કેનેડા સરકારે ભારતીય કામદારો સહિત હજારો વિદેશી કામદારો માટે કાયમી રહેઠાણ (PR) મેળવવું સરળ બનાવ્યું છે. 'TR to PR Pathway' પહેલ હેઠળ, ટેમ્પરરી રેસિડેન્ટને કાયમી નિવાસી બનવાની તક મળશે.

Canada PR: કેનેડામાં કામ કરતા ભારતીયો માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેનેડા સરકારે કાયમી રહેઠાણ એટલે કે PR સંબંધિત એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેનો લાભ હજારો વિદેશી કામદારોને મળશે. ખાસ કરીને ભારતીય કામદારો માટે આ અપડેટ રાહતરૂપ માનવામાં આવી રહી છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘ઇન-કેનેડા વર્કર્સ ઇનિશિયેટિવ’ કાર્યક્રમ હેઠળ આગામી બે વર્ષમાં હજારો લોકોને PR આપવામાં આવશે.

આ કાર્યક્રમને સામાન્ય ભાષામાં ‘TR to PR Pathway’ તરીકે ઓળખવામાં આવે છે. અહીં TRનો અર્થ Temporary Resident અને PRનો અર્થ Permanent Resident થાય છે. હાલ કેનેડામાં કામ કરતા ઘણા વિદેશી કામદારો ટેમ્પરરી રેસિડેન્ટ તરીકે રહે છે, પરંતુ હવે તેમને કાયમી રહેઠાણ મેળવવાની તક સરળ બનશે.

કેનેડાની ઇમિગ્રેશન એજન્સી IRCC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શરૂઆતમાં એવા કામદારોને ઝડપી PR આપવામાં આવશે જેમણે પહેલેથી જ કેટલાક ખાસ ઇમિગ્રેશન કાર્યક્રમો હેઠળ અરજી કરી છે. તેમાં Provincial Nominee Program (PNP), Atlantic Immigration Program (AIP), Rural Community Immigration Pilot (RCIP), Francophone Community Immigration Pilot (FCIP), Caregiver Pilots અને Agri-Food Pilot જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

સરકારે ખાસ કરીને એવા કામદારોને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે, જે છેલ્લા ઓછામાં ઓછા બે વર્ષથી કેનેડાના નાના શહેરો અથવા ગ્રામ્ય વિસ્તારોમાં રહીને કામ કરી રહ્યા છે. આવા વિસ્તારોમાં કામદારોની અછત હોવાથી સરકાર હવે ત્યાં કામ કરતા લોકોને ઝડપી PR આપવાની યોજના પર કામ કરી રહી છે.

IRCCએ સ્પષ્ટ કર્યું છે કે જેમણે પહેલેથી જ PR માટે અરજી કરી દીધી છે, તેમણે હાલમાં કોઈ નવી પ્રક્રિયા કરવાની જરૂર નથી. વિભાગ અગાઉથી સબમિટ કરેલી અરજીઓમાંથી જ પાત્ર ઉમેદવારોને પસંદ કરીને PR મંજૂર કરશે.

સરકારી આંકડા અનુસાર, 1 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન લગભગ 3,600 વિદેશી કામદારોને PR આપવામાં આવી ચૂક્યું છે. આ આંકડો વર્ષ 2026 માટે નક્કી કરાયેલા લક્ષ્યનો લગભગ 18 ટકા ભાગ છે. સરકારનું લક્ષ્ય છે કે આ વર્ષે કુલ 20,000 લોકોને PR આપવામાં આવે, જ્યારે બાકીના સ્લોટ 2027 દરમિયાન પૂર્ણ કરવામાં આવશે.

જો કોઈ ભારતીય કામદારે PNP, AIP, RCIP, FCIP, Caregiver અથવા Agri-Food Pilot જેવા કાર્યક્રમો હેઠળ અરજી કરી હોય, તો તેમને પણ ટૂંક સમયમાં કેનેડિયન PR મળવાની શક્યતા છે. આ નિર્ણયથી કેનેડામાં રહેતા અને કામ કરતા હજારો ભારતીય પરિવારોને મોટી રાહત મળશે.
America vs Canada… ભારતીય વિદ્યાર્થીઓ માટે કયો દેશ અભ્યાસ માટે છે બેસ્ટ?
