Garuda Purana : ગરુડ પુરાણમાં જણાવેલા આ 4 કાર્યો કરવાથી બદલાશે તમારું ભાગ્ય, જાણો
ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ અને તેમના વાહન ગરુડ વચ્ચે થયેલા સંવાદનું વર્ણન મળે છે. તેમાં સૃષ્ટિની રચના, આત્માનું સ્વરૂપ અને ધર્મના સિદ્ધાંતો વિશે સમજ આપવામાં આવી છે.

માન્યતા એવી છે કે ગરુડ પુરાણમાં દર્શાવેલા ઉપદેશો પર ચાલનાર વ્યક્તિનું જીવન સુખમય બને છે. તેને દુઃખ અને કષ્ટોનો સામનો ઓછો કરવો પડે છે અને શાંતિ પ્રાપ્ત થાય છે. (Credits: - Canva)

ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે ચાર ખાસ કાર્યો એવા છે, જેનો દૈનિક જીવનમાં અમલ કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને વ્યક્તિ હંમેશા ભાગ્યશાળી રહે છે.

સવારે નિદ્રાથી જાગ્યા પછી પોતાના દિવસની શરૂઆત ઈશ્વરને સ્મરણ કરીને કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે વ્યક્તિ રોજ નિયમિત રીતે પ્રાર્થના અને ઉપાસના કરે છે, તેના જીવનમાં હંમેશા દૈવી કૃપા બની રહે છે. ( Credits: Getty Images )

ભોજન કરતા પહેલા તેનો અમુક ભાગ ઈશ્વરને અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાથે જ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિ ભૂખ્યા ન રહે તે માટે ભોજનનું વિતરણ કરવું ધાર્મિક તથા માનવીય કર્તવ્ય ગણાય છે. (Credits: - Canva)

જે માણસ પોતાની શક્તિ અનુસાર નિયમિત દાન આપવાની આદત રાખે છે, તેના જીવનમાં ઊભી થતી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી જાય છે અને માર્ગ સરળ બનતો રહે છે. (Credits: - Canva)

દરેક વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું એક વખત પોતાના કર્મો પર મનન કરવું જોઈએ. એ સમયે તેણે દિવસે કરેલા સારા કાર્ય અને થયેલી ભૂલો વિશે વિચારી આત્મમંથન કરવું જરૂરી છે. (Credits: - Canva)

આત્મવિચારની પ્રથા દ્વારા માણસ માત્ર પોતાની ખામીઓમાં સુધારો લાવી શકતો નથી, પરંતુ તે જીવનમાં આગળ વધવા અને સફળતા મેળવવા માટેનો માર્ગ પણ શોધી શકે છે. નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. (Credits: - Canva)
મંત્રોનો જાપ કરવાથી ધ્યાન અને એકાગ્રતા વધે છે, જે આધ્યાત્મિક પ્રગતિમાં સહાયક બને છે. ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો
