Breaking News : પેટ્રોલ ડીઝલને લઈ મોટા સમાચાર, 1 જુલાઈથી થશે આ ફેરફાર, જાણી લો
કેન્દ્ર સરકારે 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની દૈનિક 200 લિટર ખરીદી મર્યાદા સંપૂર્ણપણે હટાવી દીધી છે. આ નિર્ણય 12 જૂને અમલમાં મુકાયેલા નિયમનો અંત લાવશે, જે જથ્થાબંધ ખરીદદારોને રોકવા માટે લેવાયો હતો.

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 જુલાઈથી પેટ્રોલ પંપ પર પ્રતિ વ્યક્તિ અને પ્રતિ વાહન દીઠ ઇંધણ ખરીદી પર લાગુ કરાયેલી 200 લિટરની દૈનિક મર્યાદા સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે. આ નિર્ણયથી ખાસ કરીને ટ્રાન્સપોર્ટરો, ઉદ્યોગો અને અન્ય મોટા વાણિજ્યિક ગ્રાહકોને મોટી રાહત મળશે.

યુબીએસે બ્રેન્ટ ક્રૂડ માટેનો ભાવ અંદાજ ઘટાડ્યો છે. બેંકે ત્રીજા અને ચોથા ક્વાર્ટર માટે ક્રૂડના ભાવના અનુમાનમાં ઘટાડો કરતાં વૈશ્વિક બજારમાં ભાવ પર દબાણ યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે


હવે બજારમાં ઇંધણની ઉપલબ્ધતા સામાન્ય બનતા સરકારે આ પ્રતિબંધ દૂર કરવાનો નિર્ણય લીધો છે. 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પરની 200 લિટરની મર્યાદા હટાવી દેવામાં આવશે. ત્યારબાદ ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ કોઈપણ મર્યાદા વિના છૂટક પેટ્રોલ પંપ પરથી ઇંધણ ખરીદી શકશે.

સરકારના આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો ટ્રાન્સપોર્ટ કંપનીઓ, લોજિસ્ટિક્સ ક્ષેત્ર અને મોટા વાહન માલિકોને થશે. લાંબા અંતરની મુસાફરી કરતા વાહનો માટે એક જ સમયે મોટી માત્રામાં ઇંધણ ભરાવવું જરૂરી બનતું હોય છે. હવે મર્યાદા હટતા તેઓ અગાઉની જેમ સરળતાથી જરૂરી પ્રમાણમાં પેટ્રોલ અથવા ડીઝલ ખરીદી શકશે.
ભારત માટે રાહતના સમાચાર! હોર્મુઝથી LPG અને ક્રૂડ ઓઇલ ભરેલા 11 જહાજ સુરક્ષિત રીતે પસાર
