AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી મુંબઈ સાથેનો રેલવે વ્યવહાર ખોરવાયો

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી મુંબઈ સાથેનો રેલવે વ્યવહાર ખોરવાયો

| Updated on: Jul 22, 2026 | 6:04 PM
Share

વલસાડ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે ઉદવાડા-પારડી વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાતાં મુંબઈ-અમદાવાદ રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે. મુંબઈ જતી સયાજીનગરી એક્સપ્રેસ રદ કરાઈ છે, જ્યારે ડબલડેકરને નવસારી શોર્ટ ટર્મિનેટ કરાતાં અનેક મુસાફરો અટવાયા છે.

વલસાડ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે રેલવે વ્યવહાર ભારે પ્રભાવિત થયો છે. ઉદવાડા અને પારડી વચ્ચે રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતાં રેલવે પ્રશાસન દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વરસાદના કારણે મુંબઈ જતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનને નવસારી રેલવે સ્ટેશન પર અટકાવીને રદ કરવામાં આવી છે.

આ ઉપરાંત, મુંબઈ-અમદાવાદ ડબલડેકર એક્સપ્રેસને નવસારી સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, જે સાંજે 5:45 વાગ્યે નવસારીથી અમદાવાદ તરફ રવાના થશે. બીજી તરફ, અમદાવાદ તરફ જતી અન્ય ટ્રેનો પણ એકથી દોઢ કલાક જેટલી મોડી ચાલી રહી છે. ટ્રેનો રદ થવા અને મોડી પડવાને કારણે મુંબઈ અને અમદાવાદ જતાં અનેક મુસાફરો નવસારી સ્ટેશન પર અટવાઈ પડ્યા છે અને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

Breaking News: ACB ના DIG પણ ન બચી શક્યા ઠગાઈથી ! ફ્લેટ વેચવાના નામે ₹61 લાખ ઓળવી જનાર દંપતી સામે FIR

Follow Us
g clip-path="url(#clip0_868_265)">