ઈંગ્લેન્ડ સામે ODI શ્રેણીમાં હાર બાદ આ 3 ખેલાડીઓની ટીમ ઈન્ડિયામાંથી થશે છૂટ્ટી!
ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણીમાં હાર બાદ ટીમ ઈન્ડિયા હવે 2027 વનડે વર્લ્ડ કપની તૈયારીમાં લાગી ગઈ છે. આ દરમિયાન કેટલાક ખેલાડીઓના પ્રદર્શન પર સવાલો ઉઠી રહ્યા છે. ટીમ મેનેજમેન્ટ હવે સતત નિષ્ફળ રહેલા ખેલાડીઓની જગ્યાએ નવા વિકલ્પો પર વિચાર કરી શકે છે. ત્રણ ખેલાડીઓ માટે ODI ટીમમાં વાપસી મુશ્કેલ બની શકે છે.

ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને 2-1 થી હારનો સામનો કરવો પડ્યો હતો. લોર્ડ્સમાં રમાયેલી નિર્ણાયક મેચમાં ભારત 27 રનથી હારી ગયું હતું. આ શ્રેણીમાં કેટલાક ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું, પરંતુ કેટલાક ખેલાડીઓ મળેલી તકનો ફાયદો ઉઠાવી શક્યા નહીં.

હાર્દિક પંડ્યા અને નીતિશ કુમાર રેડ્ડીની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાએ કેટલાક નવા ખેલાડીઓને તક આપી હતી. જોકે, આ તકનો લાભ લેવામાં કેટલાક ખેલાડીઓ નિષ્ફળ રહ્યા હતા. હવે ટીમ મેનેજમેન્ટ આગામી શ્રેણીઓ માટે નવા ખેલાડીઓ તરફ નજર કરી શકે છે.

શિવમ દુબેને હાર્દિક પંડ્યાના વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, ઈંગ્લેન્ડ સામેની બે મેચમાં તે ખાસ અસર છોડી શક્યો નહીં. તેણે બે વિકેટ લીધી હતી, પરંતુ બેટિંગમાં એક ઈનિંગમાં શૂન્ય રને આઉટ થયો હતો. આવી સ્થિતિમાં તેની જગ્યા પર ફરી વિચાર થઈ શકે છે.

ઈશાન કિશનને પણ મળેલી તકનો પૂરો ફાયદો ઉઠાવી શક્યો નહોતો. અફઘાનિસ્તાન સામેની ODIમાં સદી ફટકાર્યા બાદ તેને ઈંગ્લેન્ડ શ્રેણીમાં સ્થાન મળ્યું હતું. જોકે, ત્રણ ઈનિંગમાં તે માત્ર 71 રન બનાવી શક્યો હતો. તેના પ્રદર્શનથી ટીમ મેનેજમેન્ટને તેને ભાર કરવા પર વિચાર કરી શકે છે.

ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ માટે પણ ઈંગ્લેન્ડ પ્રવાસ યાદગાર રહ્યો નથી. અંતિમ ODI માં તેને તક મળી હતી, પરંતુ તેણે 10 ઓવરમાં 79 રન આપીને માત્ર એક વિકેટ લીધી હતી. હવે આગામી ODI શ્રેણીમાં આ ત્રણેય ખેલાડીઓની પસંદગી પર સવાલો ઊભા થઈ શકે છે. (PC: PTI/X/BCCI)
શુભમન ગિલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાની હાલત કફોડી, 9 મહિનામાં ગુમાવી 3 ODI શ્રેણી
