દિવાળી પર ઘરે જઈ રહ્યા છો ? ટ્રેનમાં ભૂલથી પણ આ 7 કામ ના કરતા, તહેવારની મીઠાઈ તો નહીં મળે પણ જેલની રોટલી ખાવી પડશે !
શું તમે જાણો છો કે, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે કેટલીક ભૂલો કરવાથી તહેવારની યાત્રા જેલમાં ફેરવાઈ શકે છે? ભારતીય રેલવે અધિનિયમ, 1989 માં ઘણી જોગવાઈઓ છે, જેનું ઉલ્લંઘન કરવામાં આવે તો તમારી ધરપકડ થઈ શકે છે અને તમને સજા પણ થઈ શકે છે.

દિવાળી અને છઠની સીઝન આવતાની સાથે જ લાખો લોકો ઘરે જવા માટે ટ્રેનનો ઉપયોગ કરે છે. જણાવી દઈએ કે, દિવાળીની સીઝનમાં રેલવે સ્ટેશનો પર ભીડ થઈ જાય છે અને ટ્રેન ટિકિટની માંગ આસમાને પહોંચી જાય છે.

લોકો ઘણીવાર દિવાળી પર ફટાકડા ઘરે લઈ જાય છે પરંતુ તેને ટ્રેનમાં લઈ જવું એ 'રેલવે અધિનિયમ'ની કલમ 164 હેઠળ ગંભીર ગુનો છે. ગેસ સિલિન્ડર, કેમિકલ અથવા પેટ્રોલ-ડીઝલ જેવી વસ્તુઓ લઈ જવા પર પણ પ્રતિબંધ છે. એવામાં જો તમે પકડાયા તો ત્રણ વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે.

રેલવે અધિનિયમની કલમ 167 હેઠળ ટ્રેનમાં ધૂમ્રપાન કરવું એ ગુનો છે. સિગારેટ કે બીડી પીવાથી દંડ અથવા કેદ થઈ શકે છે. ઘણા કિસ્સાઓમાં, મુસાફરોની તાત્કાલિક ધરપકડ પણ કરવામાં આવે છે.

ટિકિટ વિના ટ્રેનમાં ચઢવું અથવા ખોટી ટિકિટ ખરીદવી એ કલમ 137 હેઠળ ગુનો છે. આવા કેસમાં મુસાફરો પાસેથી ભાડાના 10 ગણા સુધીનો ચાર્જ વસૂલવામાં આવી શકે છે અને જેલની સજા પણ ભોગવવી પડી શકે છે. તહેવારોની સીઝનમાં ટિકિટ ચેકિંગ વધુ કડક છે.

તહેવારો દરમિયાન, લોકો ઘણીવાર બીજા મુસાફરોની સીટ પર કબજો કરે છે અથવા તો જોર-જબરદસ્તી છે. આ કલમ 155 અને 156 હેઠળ સજાપાત્ર ગુનો છે. આવા કિસ્સામાં રેલવે પોલીસ (RPF) તાત્કાલિક કાર્યવાહી કરી શકે છે. આ ઘટનામાં સંડોવાયેલા લોકોને સીધા જેલમાં પણ જવું પડી શકે છે.

રેલવે કાયદાની કલમ 145 મુજબ, ટ્રેનમાં બીજા મુસાફરોને ખલેલ પહોંચાડતી કોઈપણ વર્તણૂકને ગુનો ગણવામાં આવે છે. આમાં મોબાઇલ ફોન પર મોટેથી વાત કરવી, મોટેથી સંગીત વગાડવું અથવા કામ વગર બખાડો કરવો તે બધી બાબતોનો સમાવેશ થાય છે.

કલમ 145 હેઠળ, નશામાં ટ્રેનમાં ચઢવું, કકરાટ કરવો અથવા નશામાં મુસાફરોને હેરાન કરવું એ પણ એક ગુનો છે. આવું કરનાર વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે છે અને જેલમાં મોકલી દેવામાં આવે છે.

કારણ વગર ટ્રેનની ચેન ખેંચવી એ કલમ 141 હેઠળ ગુનો માનવામાં આવે છે. આમ કરતા પકડાયેલા કોઈપણ વ્યક્તિને એક વર્ષ સુધીની જેલ અથવા 1000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. તહેવારોની ભીડ દરમિયાન આ ભૂલ ઘણીવાર મજાકમાં કરવામાં આવે છે પરંતુ તેના કારણે જેલની સજા થઈ શકે છે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
