Cyclone Biparjoy : પોરબંદરમાં વાવાઝોડાની જોવા મળી વિનાશક અસરો, તોફાની પવનની દરિયામાં લહેરો ઉઠતા જોવા મળ્યો કરંટ
Porbandar: વાવાઝોડા બિપરજોયની સ્થિતિને પગલે દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં તોફાની લહેરો ઉઠવાની શરૂ થતા જ લોલાઈન એરિયામાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.

પોરબંદરના દરિયામાં વાવાઝોડાની વિનાશક અસરો દેખાવાની શરૂ થઈ ગઈ છે. દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. ભારે પવન ફુંકાવાને કારણે દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે

વાવાઝોડાને કારણે દરિયાકાંઠામાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. સુભાષનગર વિસ્તારમાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કુલ 200 જેટલા લોકોને આશ્રયસ્થાન પર રાખવામાં આવ્યા છે.

રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા દ્વારા પણ સ્થળ સમીક્ષા કરવામાં આવી હતી અને સ્થાનિક આગેવાનોની મદદથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ભારે પવન ફુંકાવાને કારણે લોકો પવનથી બચવાના પ્રયાસ કરી રહ્યા છે. પોરબંદરના સર્કિટ હાઉસને પણ ભારે પવનને કારણે કોઈ નુકસાન ન થાય તે માટે પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવ્યુ છે.

Biparjoy

ભારે પવનની ગતિને ધ્યાને રાખી તંત્ર ખડેપગે સજ્જ છે. લોકોને સલામત સ્થળે ખસેડવાથી લઈ તેમના રહેવા, જમવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યા છે. તો દરિયાકાંઠાના ગામોમાં કલમ 144 અમલી કરાઈ છે. લોકોને દરિયાકાંઠે ન જવા ખાસ તાકીદ કરાઈ છે. સાગરખેડૂઓને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.