જેઠાલાલ બાદ આ ક્રિકેટરે પણ 17 કિલો વજન ઘટાડ્યું,આ રીતે ફિટ બન્યો
ઘરેલું ક્રિકેટમાં રનના ઢગલા કરનાર સરફરાઝ ખાન ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. સરફરાઝ ખાન હવે પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છે અને તેમણે 2 મહિનામાં 17 કિલો વજન ઘટાડ્યું છે

ડોમેસ્ટિક ક્રિેકટમાં રનના ઢગલા કરનાર સરફરાઝ ખાન ઈંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો.સરફરાઝ ખાને ઘરેલું ક્રિકેટમાં રનનો વરસાદ કર્યો છે. 2024માં તેમણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલું ટેસ્ટ સીરિઝમાં ડેબ્યુ કર્યું હતુ.

ત્યારબાદ તેમણે ટીમ ઈન્ડિયાની કેટલીક ઈનિગ્સ રમી હતી પરંતુ સરફરાઝ ખાન હંમેશા પોતાની ખરાબ ફિટનેસને લઈ ચર્ચામાં રહે છે.

તે ખુબ ઓવરવેટ હતો.જેના કારણે તેને અનેક મેણા ટોણા પણ સાંભળવા મળતા હતા પરંતુ સરફરાઝ ખાન ખુબ લાંબા સમયથી પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યો હતો.

ઈંગ્લેન્ડ પ્રવાસથી ડ્રોપ થયા બાદ તેમણે પોતાની ફિટનેસ પર કામ કરવાનું શરુ કર્યું હતુ. હવે સરફરાઝ ખાને એક ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે શાનદાર ટ્રાન્સફોર્મેશન જોવા મળી રહ્યું છે.

27 વર્ષના સરફરાઝ ખાને 2 કિલો નહી પરંતુ 17 કિલો વજન ઘટાડ્યું છે. હવે તે ખુબ ફિટ જોવા મળી રહ્યો છે. આ ફિટનેસની સાથે હવે સરફરાઝ ખાનનું પ્રદર્શન જબરદસ્ત જોવા મળશે. તેના આ ટ્રાન્સફોર્મેશનની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, સરફરાઝ ખાને ભારત માટે કુલ 6 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 11 ઈનિગ્સમાં 3 અડધી સદી અને 1 સદીની મદદથી 371 રન બનાવ્યા છે. તેમના ફર્સ્ટ ક્લાસ કરિયરની વાત કરીએ તો તેમણે 55 મેચમાં 4685 રન બનાવ્યા છે. સરફરાઝ ખાનના નામ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 16 સદી અને 15 અડધી સદી ફટકારી છે.
સરફરાઝ ખાનના પિતા નૌશાદ ખાને પોતાની આખી જીંદગી ક્રિકેટને સમર્પિત કરી છે. સરફરાઝ ખાનના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો
