Breaking News Narmada: ગુજરાત માટે સારા સમાચાર! નર્મદા ડેમમાં 24 કલાકમાં 24 સેમીનો વધારો, Watch Video
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે વધારો થયો છે. મધ્યપ્રદેશ-મહારાષ્ટ્રમાંથી 50,616 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 126.43 મીટર પર પહોંચી છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ઉપરવાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં મેઘરાજાએ મહેર કરતા નર્મદા નદીમાં નવા નીર આવ્યા છે, જેના પરિણામે ડેમમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો છે.
50,616 ક્યુસેક પાણીની આવક
હાલમાં ઉપરવાસમાંથી 50,616 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ પાણીની ભારે આવકને કારણે સરદાર સરોવર ડેમની જળસપાટી 126.43 મીટર સુધી પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 24 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે, જે પાણીની આવકની તીવ્રતા દર્શાવે છે.
ગુજરાત માટે સારા સંકેત આપી રહી છે
ડેમ હાલમાં તેની કુલ ક્ષમતાના આશરે 65% ભરાયેલો જોવા મળી રહ્યો છે. પાણીની આવકને પહોંચી વળવા અને વીજળી ઉત્પાદન માટે નર્મદાના આરબીપીએચ (રિવર બેડ પાવર હાઉસ)ના બે યુનિટ ચાલુ કરવામાં આવ્યા છે. આ સ્થિતિ ગુજરાત માટે સારા સંકેત આપી રહી છે, કારણ કે પાણીનો પૂરતો જથ્થો રાજ્યની સિંચાઈ અને પીવાના પાણીની જરૂરિયાતોને સંતોષવામાં મદદરૂપ થશે.
