AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રાચીન સમયમાં જમીન નીચે ખજાનો કેમ છુપાવવામાં આવતો? જાણો તેની રહસ્યમય કહાની

પ્રાચીન સમયમાં રાજાઓ, વેપારીઓ અને લોકો પોતાના મૂલ્યવાન ખજાનાને જમીનમાં કેમ છુપાવતા હતા? તેની પાછળના ઐતિહાસિક કારણો અને પરંપરાની શરૂઆત વિશે જાણો રસપ્રદ માહિતી.

| Updated on: Jul 06, 2026 | 2:51 PM
Share
પ્રાચીન સમયથી જમીન નીચે દફનાયેલા ખજાનાની વાર્તાઓ લોકોમાં હંમેશા ઉત્સુકતા અને રહસ્યભાવ જગાડતી આવી છે. પ્રાચીન રાજ્યો હોય કે સમુદ્રી લૂટારાઓની કહાનીઓ- જમીન નીચે છુપાયેલું સોનું હંમેશા રહસ્ય અને સાહસનું પ્રતીક રહ્યું છે. પરંતુ આ માત્ર અંધશ્રદ્ધા નહોતી, તેના પાછળ ઘણા વ્યવહારુ કારણો પણ હતા. (Image Credit: AI Generated)

પ્રાચીન સમયથી જમીન નીચે દફનાયેલા ખજાનાની વાર્તાઓ લોકોમાં હંમેશા ઉત્સુકતા અને રહસ્યભાવ જગાડતી આવી છે. પ્રાચીન રાજ્યો હોય કે સમુદ્રી લૂટારાઓની કહાનીઓ- જમીન નીચે છુપાયેલું સોનું હંમેશા રહસ્ય અને સાહસનું પ્રતીક રહ્યું છે. પરંતુ આ માત્ર અંધશ્રદ્ધા નહોતી, તેના પાછળ ઘણા વ્યવહારુ કારણો પણ હતા. (Image Credit: AI Generated)

1 / 8
બેંકિંગ સિસ્ટમ નહોતી, તેથી ખજાનો છુપાવવો પડતો: પ્રાચીન સમયમાં આજ જેવી બેંકિંગ સુવિધાઓ, લોકર અથવા સુરક્ષિત તિજોરીઓ નહોતી. તેથી રાજાઓ, વેપારીઓ અને ધનિક પરિવારો પોતાના સોનાના સિક્કા, દાગીના અને કિંમતી ધાતુઓને માટીના વાસણો અથવા લાકડાના બોક્સમાં રાખીને જમીનમાં દફનાવતા હતા. વાડી, ખેતર, ગુપ્ત ઓરડા અથવા કૂવા જેવી જગ્યાઓ પસંદ કરવામાં આવતી, કારણ કે ત્યાં ચોરીનો ખતરો ઓછો રહેતો. (Image Credit: AI Generated)

બેંકિંગ સિસ્ટમ નહોતી, તેથી ખજાનો છુપાવવો પડતો: પ્રાચીન સમયમાં આજ જેવી બેંકિંગ સુવિધાઓ, લોકર અથવા સુરક્ષિત તિજોરીઓ નહોતી. તેથી રાજાઓ, વેપારીઓ અને ધનિક પરિવારો પોતાના સોનાના સિક્કા, દાગીના અને કિંમતી ધાતુઓને માટીના વાસણો અથવા લાકડાના બોક્સમાં રાખીને જમીનમાં દફનાવતા હતા. વાડી, ખેતર, ગુપ્ત ઓરડા અથવા કૂવા જેવી જગ્યાઓ પસંદ કરવામાં આવતી, કારણ કે ત્યાં ચોરીનો ખતરો ઓછો રહેતો. (Image Credit: AI Generated)

2 / 8
યુદ્ધ અને હુમલાનો સતત ભય: પ્રાચીન સમયમાં રાજ્યોને વારંવાર યુદ્ધો અને વિદેશી આક્રમણોનો સામનો કરવો પડતો હતો. આવા સમયમાં લોકો પોતાના કિંમતી ખજાનાને ઝડપથી જમીનમાં દફનાવી દેતા જેથી યુદ્ધ બાદ ફરીથી પાછું મેળવી શકાય. પરંતુ ઘણી વાર એવું બનતું કે લોકો યુદ્ધમાં મૃત્યુ પામતા અથવા સ્થળાંતર કરી જતા, જેના કારણે આ ખજાના વર્ષો સુધી છુપાયેલા જ રહી જતા. (Image Credit: AI Generated)

યુદ્ધ અને હુમલાનો સતત ભય: પ્રાચીન સમયમાં રાજ્યોને વારંવાર યુદ્ધો અને વિદેશી આક્રમણોનો સામનો કરવો પડતો હતો. આવા સમયમાં લોકો પોતાના કિંમતી ખજાનાને ઝડપથી જમીનમાં દફનાવી દેતા જેથી યુદ્ધ બાદ ફરીથી પાછું મેળવી શકાય. પરંતુ ઘણી વાર એવું બનતું કે લોકો યુદ્ધમાં મૃત્યુ પામતા અથવા સ્થળાંતર કરી જતા, જેના કારણે આ ખજાના વર્ષો સુધી છુપાયેલા જ રહી જતા. (Image Credit: AI Generated)

3 / 8
ચોરી અને લૂંટફાટથી બચાવવાનો ઉપાય: તે સમયમાં આધુનિક પોલીસ વ્યવસ્થા કે સુરક્ષા સિસ્ટમ નહોતી. મોટા પ્રમાણમાં સોનું-ચાંદી ઘરમાં રાખવું જોખમભર્યું હતું. તેથી વેપારીઓ અને ધનિક લોકો માટે જમીન નીચે ખજાનો છુપાવવો વધુ સુરક્ષિત વિકલ્પ માનવામાં આવતો. (Image Credit: AI Generated)

ચોરી અને લૂંટફાટથી બચાવવાનો ઉપાય: તે સમયમાં આધુનિક પોલીસ વ્યવસ્થા કે સુરક્ષા સિસ્ટમ નહોતી. મોટા પ્રમાણમાં સોનું-ચાંદી ઘરમાં રાખવું જોખમભર્યું હતું. તેથી વેપારીઓ અને ધનિક લોકો માટે જમીન નીચે ખજાનો છુપાવવો વધુ સુરક્ષિત વિકલ્પ માનવામાં આવતો. (Image Credit: AI Generated)

4 / 8
અચાનક મૃત્યુથી ખજાના ભૂલાઈ ગયા: ઘણા કિસ્સાઓમાં જે વ્યક્તિ ખજાનો દફનાવતો, તેનું અચાનક મૃત્યુ થઈ જતું. યુદ્ધ, બીમારી અથવા અન્ય કારણોથી તેઓ ખજાનાની જગ્યાની માહિતી આપી શકતા નહોતા. પરિણામે આવા અનેક ખજાના જમીનમાં જ દબાયેલા રહી ગયા. (Image Credit: AI Generated)

અચાનક મૃત્યુથી ખજાના ભૂલાઈ ગયા: ઘણા કિસ્સાઓમાં જે વ્યક્તિ ખજાનો દફનાવતો, તેનું અચાનક મૃત્યુ થઈ જતું. યુદ્ધ, બીમારી અથવા અન્ય કારણોથી તેઓ ખજાનાની જગ્યાની માહિતી આપી શકતા નહોતા. પરિણામે આવા અનેક ખજાના જમીનમાં જ દબાયેલા રહી ગયા. (Image Credit: AI Generated)

5 / 8
આ પરંપરાની શરૂઆત ક્યાંથી થઈ? આ પરંપરા દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓથી જોડાયેલી છે. મિસર, મેસોપોટેમિયા અને સિંધુ ઘાટી જેવી સંસ્કૃતિઓમાં લોકો માનતા હતા કે મૃત્યુ પછી જીવન પણ હોય છે. તેથી તેઓ રાજાઓ અને ધનિકોને સોના-ચાંદીના આભૂષણો સાથે દફનાવતા હતા, જેથી તે પરલોકમાં ઉપયોગી બને. (Image Credit: AI Generated)

આ પરંપરાની શરૂઆત ક્યાંથી થઈ? આ પરંપરા દુનિયાની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓથી જોડાયેલી છે. મિસર, મેસોપોટેમિયા અને સિંધુ ઘાટી જેવી સંસ્કૃતિઓમાં લોકો માનતા હતા કે મૃત્યુ પછી જીવન પણ હોય છે. તેથી તેઓ રાજાઓ અને ધનિકોને સોના-ચાંદીના આભૂષણો સાથે દફનાવતા હતા, જેથી તે પરલોકમાં ઉપયોગી બને. (Image Credit: AI Generated)

6 / 8
સિક્કાઓના ઉપયોગથી પરંપરા વધુ લોકપ્રિય બની: આશરે ઈ.સ.પૂર્વ છઠ્ઠી સદીથી ધાતુના સિક્કાઓનો ઉપયોગ વધતાં લોકોમાં ખજાનો સંગ્રહવાની અને તેને જમીનમાં છુપાવવાની પ્રથા વધુ સામાન્ય બની. (Image Credit: Social Media)

સિક્કાઓના ઉપયોગથી પરંપરા વધુ લોકપ્રિય બની: આશરે ઈ.સ.પૂર્વ છઠ્ઠી સદીથી ધાતુના સિક્કાઓનો ઉપયોગ વધતાં લોકોમાં ખજાનો સંગ્રહવાની અને તેને જમીનમાં છુપાવવાની પ્રથા વધુ સામાન્ય બની. (Image Credit: Social Media)

7 / 8
ગ્રીક, રોમન સામ્રાજ્ય અને ભારતમાં પણ લોકો માટીના ઘડામાં સિક્કા રાખીને જમીનમાં દફનાવતા હતા. (Image Credit: Social Media)

ગ્રીક, રોમન સામ્રાજ્ય અને ભારતમાં પણ લોકો માટીના ઘડામાં સિક્કા રાખીને જમીનમાં દફનાવતા હતા. (Image Credit: Social Media)

8 / 8

આ પણ વાંચો: Unique Temples Of India: ભારતના રહસ્યમય મંદિરો, જ્યાં ઘંટના આપમેળે વાગવાના દાવા આજે પણ ભક્તોમાં આસ્થા જગાવે છે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">