AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Tips and Tricks: વપરાયેલું તેલ ફેંકવાની ભૂલ ન કરતા, ઘરના આ પાંચ કામોમાં ઉપયોગ કરી બચાવો હજારો રૂપિયા, જાણો કામની ટિપ્સ

તળ્યા પછી વધેલા તેલને ફેંકી દેવાને બદલે ઘરની ચીકાશ દૂર કરવા, ફર્નિચર ચમકાવવા અને કાટ રોકવા માટે કેવી રીતે વાપરવું તે જાણો

| Updated on: Jul 06, 2026 | 6:35 PM
Share
ઘરોમાં પૂરી, ભજીયા કે અન્ય કોઈ વાનગી તળ્યા પછી વધેલા તેલને લોકો અવારનવાર સિંકમાં ફેંકી દેતા હોય છે. સિંકમાં આવું તેલ વહાવવાથી પાઇપ જામ થઈ જાય છે અને મોટું આર્થિક નુકસાન પણ થાય છે. પરંતુ, વાસ્તવમાં આ વપરાયેલા તેલને ફેંકી દેવાના બદલે ઘરના અનેક રોજીંદા કામોમાં ઉપયોગમાં લઈ શકાય છે, જે તમારા પૈસાની મોટી બચત કરી આપશે.

ઘરોમાં પૂરી, ભજીયા કે અન્ય કોઈ વાનગી તળ્યા પછી વધેલા તેલને લોકો અવારનવાર સિંકમાં ફેંકી દેતા હોય છે. સિંકમાં આવું તેલ વહાવવાથી પાઇપ જામ થઈ જાય છે અને મોટું આર્થિક નુકસાન પણ થાય છે. પરંતુ, વાસ્તવમાં આ વપરાયેલા તેલને ફેંકી દેવાના બદલે ઘરના અનેક રોજીંદા કામોમાં ઉપયોગમાં લઈ શકાય છે, જે તમારા પૈસાની મોટી બચત કરી આપશે.

1 / 5
ઘરના કચકચ કરતા દરવાજા અને કાટથી મળશે છુટકારો: ચોમાસામાં કે અન્ય ઋતુમાં ઘરના દરવાજા અથવા બારીઓ ખોલતી-બંધ કરતી વખતે કચકચ અવાજ આવવાની સમસ્યા સામાન્ય છે. આ અવાજને બંધ કરવા માટે વપરાયેલા તેલના થોડા ટીપાં દરવાજાના મિજાગરા (કબ્જા) પર નાખી દો.

ઘરના કચકચ કરતા દરવાજા અને કાટથી મળશે છુટકારો: ચોમાસામાં કે અન્ય ઋતુમાં ઘરના દરવાજા અથવા બારીઓ ખોલતી-બંધ કરતી વખતે કચકચ અવાજ આવવાની સમસ્યા સામાન્ય છે. આ અવાજને બંધ કરવા માટે વપરાયેલા તેલના થોડા ટીપાં દરવાજાના મિજાગરા (કબ્જા) પર નાખી દો.

2 / 5
તે એક ઉત્તમ લ્યુબ્રિકન્ટ તરીકે કામ કરીને અવાજ ગાયબ કરી દેશે. આ સિવાય લોખંડના વાસણો, ચપ્પુ કે બગીચાના સાધનો ભેજને કારણે જલ્દી કટાઈ જતા હોય છે. આ તેલવાળા કપડાથી સાધનો પર હલકો હાથ ફેરવી દેવાથી તેને કાટ લાગતો અટકાવી શકાય છે.

તે એક ઉત્તમ લ્યુબ્રિકન્ટ તરીકે કામ કરીને અવાજ ગાયબ કરી દેશે. આ સિવાય લોખંડના વાસણો, ચપ્પુ કે બગીચાના સાધનો ભેજને કારણે જલ્દી કટાઈ જતા હોય છે. આ તેલવાળા કપડાથી સાધનો પર હલકો હાથ ફેરવી દેવાથી તેને કાટ લાગતો અટકાવી શકાય છે.

3 / 5
રસોડાની ચીકાશ અને સ્ટીકર દૂર કરવા માટે રામબાણ ઈલાજ: રસોડાના ગેસના ચૂલા કે પ્લેટફોર્મ પર જામેલા ચીકણા ડાઘને સાફ કરવા માટે વપરાયેલું તેલ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. ડાઘવાળી જગ્યા પર આ તેલ લગાવી થોડીવાર રાખી મૂકો અને પછી ઘસીને સાબુના પાણીથી લૂછી લો. આ ઉપરાંત નવા ડબ્બા કે બરણી પર લગાવેલા સ્ટીકર ઉખાડ્યા પછી જે ગુંદર ચોંટેલો રહે છે, તેના પર થોડું તેલ લગાવી 10 મિનિટ છોડી દો. તે પછી કપડાથી લૂછતા જ સ્ટીકરનો ગુંદર એકદમ સરળતાથી નીકળી જશે.

રસોડાની ચીકાશ અને સ્ટીકર દૂર કરવા માટે રામબાણ ઈલાજ: રસોડાના ગેસના ચૂલા કે પ્લેટફોર્મ પર જામેલા ચીકણા ડાઘને સાફ કરવા માટે વપરાયેલું તેલ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. ડાઘવાળી જગ્યા પર આ તેલ લગાવી થોડીવાર રાખી મૂકો અને પછી ઘસીને સાબુના પાણીથી લૂછી લો. આ ઉપરાંત નવા ડબ્બા કે બરણી પર લગાવેલા સ્ટીકર ઉખાડ્યા પછી જે ગુંદર ચોંટેલો રહે છે, તેના પર થોડું તેલ લગાવી 10 મિનિટ છોડી દો. તે પછી કપડાથી લૂછતા જ સ્ટીકરનો ગુંદર એકદમ સરળતાથી નીકળી જશે.

4 / 5
તમારા લાકડાના ટેબલ, ખુરશી કે દરવાજાની ચમક જો ઝાંખી પડી ગઈ હોય, તો મુલાયમ કપડામાં થોડું તેલ લઈને લાકડા પર ઘસવાથી ફર્નિચર એકદમ નવું જેવું ચમકવા લાગશે. વધેલા તેલને ગાળીને ફરીથી શાક કે અન્ય રસોઈ બનાવવામાં પણ વાપરી શકાય છે, પરંતુ જો તેલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હોય તેવું ખૂબ જ બળેલું તેલ ફરી રસોઈમાં ન વાપરવું જોઈએ.

તમારા લાકડાના ટેબલ, ખુરશી કે દરવાજાની ચમક જો ઝાંખી પડી ગઈ હોય, તો મુલાયમ કપડામાં થોડું તેલ લઈને લાકડા પર ઘસવાથી ફર્નિચર એકદમ નવું જેવું ચમકવા લાગશે. વધેલા તેલને ગાળીને ફરીથી શાક કે અન્ય રસોઈ બનાવવામાં પણ વાપરી શકાય છે, પરંતુ જો તેલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હોય તેવું ખૂબ જ બળેલું તેલ ફરી રસોઈમાં ન વાપરવું જોઈએ.

5 / 5

ઘોડાના પગમાં લોખંડની નાળ કેમ લગાવવામાં આવે છે? જાણો તેની પાછળનું કારણ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">