રોહિત શર્માને આ વસ્તુથી બચવાની સલાહ, જલ્દી ગૌતમ ગંભીર સાથે થશે BCCI ની બેઠક
ભારતીય ક્રિકેટ ટીમના રોહિત શર્મા અને વિરાટ કોહલીના ODI ભવિષ્ય અંગે BCCI દક્ષિણ આફ્રિકા શ્રેણી બાદ નિર્ણય લેશે.

દક્ષિણ આફ્રિકા સામેની ODI શ્રેણીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને રમશે. આ દરમિયાન એવી માહિતી મળી છે કે આ બે અનુભવી ખેલાડીઓ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠક ODI શ્રેણી પૂરી થયા પછી યોજવાની શક્યતા છે. (ફોટો-PTI)

અહેવાલો અનુસાર BCCIનાં અધિકારીઓ, મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે બેઠક કરશે. આ બેઠકમાં નક્કી થશે કે રોહિત અને વિરાટ 2027 વર્લ્ડ કપની યોજનાઓમાં રહેશે કે નહીં. (ફોટો-PTI)

સમાચાર મુજબ, આ બેઠક આગામી અઠવાડિયે અમદાવાદમાં યોજાઈ શકે છે, જે વિશાખાપટ્ટનમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ODI બાદ યોજાવાની શક્યતા છે. (ફોટો-PTI)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIનાં એક સૂત્રએ જણાવ્યું હતું: “રોહિત અને વિરાટ જેવા ખેલાડીઓને તેમની ભૂમિકા અને વર્તમાન મેનેજમેન્ટની અપેક્ષાઓ વિશે સ્પષ્ટતા હોવી ખૂબ જ જરૂરી છે. અનુભવીઓ ખેલાડીઓ અનિશ્ચિતતા વચ્ચે રમી શકતા નથી.” (ફોટો-PTI)

તે ઉપરાંત, અહેવાલો સૂચવે છે કે BCCIએ રોહિત શર્માને સલાહ આપી છે કે તેઓ તેમની ફિટનેસ અને પ્રદર્શન પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે અને બહારની અટકળો અથવા ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા ન આપે. (ફોટો-PTI)
IND vs SA: રોહિત શર્મા માટે હવે સૌથી મોટી કસોટી, આફ્રિકા સામે 26 મેચોમાં તેનો રેકોર્ડ ખરાબ
