Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG : ટીમ ઈન્ડિયાનો ચોંકાવનારો નિર્ણય, એકસાથે 3 ખેલાડીઓને કર્યા બહાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ પૂણેમાં રમાઈ રહી છે. આ મેચ માટે ભારતીય ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર કર્યા છે. સૂર્યકુમાર યાદવે પ્લેઈંગ ઈલેવનમાંથી ત્રણ ખેલાડીઓને પડતા મૂક્યા હતા.

| Updated on: Jan 31, 2025 | 8:22 PM
રાજકોટ T20માં હાર બાદ ટીમ ઈન્ડિયાએ ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. સૂર્યકુમારની કપ્તાનીમાં ભારતીય ટીમે પ્લેઈંગ 11 માં 3 મોટા ફેરફાર કર્યા છે. રિંકુ સિંહ અને અર્શદીપ સિંહ ટીમમાં પાછા ફર્યા. શિવમ દુબે પણ ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ ધ્રુવ જુરેલ, મોહમ્મદ શમી, વોશિંગ્ટન સુંદરને બહાર કર્યા છે.

રાજકોટ T20માં હાર બાદ ટીમ ઈન્ડિયાએ ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. સૂર્યકુમારની કપ્તાનીમાં ભારતીય ટીમે પ્લેઈંગ 11 માં 3 મોટા ફેરફાર કર્યા છે. રિંકુ સિંહ અને અર્શદીપ સિંહ ટીમમાં પાછા ફર્યા. શિવમ દુબે પણ ટીમમાં વાપસી કરવામાં સફળ રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ ધ્રુવ જુરેલ, મોહમ્મદ શમી, વોશિંગ્ટન સુંદરને બહાર કર્યા છે.

1 / 7
T20 સિરીઝની આ મેચ ઘણી મહત્વની છે. એક તરફ ઈંગ્લેન્ડ T20 સિરીઝમાં ટકી રહેવા માટે આ મેચ જીતવા ઈચ્છશે, તો ટીમ ઈન્ડિયા પુણેમાં જ સિરીઝ પર કબજો કરવા ઈચ્છશે. હાલમાં ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે.

T20 સિરીઝની આ મેચ ઘણી મહત્વની છે. એક તરફ ઈંગ્લેન્ડ T20 સિરીઝમાં ટકી રહેવા માટે આ મેચ જીતવા ઈચ્છશે, તો ટીમ ઈન્ડિયા પુણેમાં જ સિરીઝ પર કબજો કરવા ઈચ્છશે. હાલમાં ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે.

2 / 7
મોહમ્મદ શમી લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે. તેને રાજકોટ T20માં તક આપવામાં આવી હતી, પરંતુ તે કોઈ સફળતા મેળવી શક્યો નહોતો. શમીને બીજી જ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. મોટો સવાલ એ છે કે મોહમ્મદ શમીને કેમ પડતો મૂકવામાં આવ્યો? શું તેનું પ્રદર્શન સારું ન હતું? અથવા તો શમી ફિટનેસના કારણે બહાર થયો હતો.

મોહમ્મદ શમી લાંબા સમય બાદ ક્રિકેટના મેદાનમાં પરત ફર્યો છે. તેને રાજકોટ T20માં તક આપવામાં આવી હતી, પરંતુ તે કોઈ સફળતા મેળવી શક્યો નહોતો. શમીને બીજી જ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. મોટો સવાલ એ છે કે મોહમ્મદ શમીને કેમ પડતો મૂકવામાં આવ્યો? શું તેનું પ્રદર્શન સારું ન હતું? અથવા તો શમી ફિટનેસના કારણે બહાર થયો હતો.

3 / 7
વોશિંગ્ટન સુંદરે છેલ્લી 2 T20 મેચ રમી હતી અને બંને મેચમાં તે બોલ અને બેટથી કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે બે T20માં 32 રન બનાવ્યા અને માત્ર એક જ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

વોશિંગ્ટન સુંદરે છેલ્લી 2 T20 મેચ રમી હતી અને બંને મેચમાં તે બોલ અને બેટથી કંઈ ખાસ કરી શક્યો નહોતો. તેણે બે T20માં 32 રન બનાવ્યા અને માત્ર એક જ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

4 / 7
બંને T20 મેચમાં જુરેલનું બેટ પણ ચાલ્યું ન હતું. તેને રિંકુ સિંહની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, આ ખેલાડીને યોગ્ય તક પણ મળી ન હતી. હવે પુણેમાં જુરેલને પ્લેઈંગ 11 માંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

બંને T20 મેચમાં જુરેલનું બેટ પણ ચાલ્યું ન હતું. તેને રિંકુ સિંહની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, આ ખેલાડીને યોગ્ય તક પણ મળી ન હતી. હવે પુણેમાં જુરેલને પ્લેઈંગ 11 માંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

5 / 7
શિવમ દુબેની ટીમ ઈન્ડિયાએ પસંદગી કરી ન હતી પરંતુ નીતિશ રેડ્ડીની ઈજાને કારણે તેને ટીમમાં તક મળી હતી. હવે શિવમ દુબેને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી છે. તેનું મહત્વનું કારણ સ્પિનરો સામે તેની તાકાત છે. આદિલ રાશિદે ટીમ ઈન્ડિયાને T20 સિરીઝમાં ઘણા પરેશાન કર્યા છે, તેનો સામનો કરવા માટે શિવમ દુબેને ટીમમાં રાખવામાં આવ્યો છે.

શિવમ દુબેની ટીમ ઈન્ડિયાએ પસંદગી કરી ન હતી પરંતુ નીતિશ રેડ્ડીની ઈજાને કારણે તેને ટીમમાં તક મળી હતી. હવે શિવમ દુબેને પ્લેઈંગ ઈલેવનમાં તક આપવામાં આવી છે. તેનું મહત્વનું કારણ સ્પિનરો સામે તેની તાકાત છે. આદિલ રાશિદે ટીમ ઈન્ડિયાને T20 સિરીઝમાં ઘણા પરેશાન કર્યા છે, તેનો સામનો કરવા માટે શિવમ દુબેને ટીમમાં રાખવામાં આવ્યો છે.

6 / 7
ભારતની પ્લેઈંગ ઈલેવન :સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી. (All Photo Credit :X / BCCI)

ભારતની પ્લેઈંગ ઈલેવન :સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી. (All Photo Credit :X / BCCI)

7 / 7

ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ ખબરો વિશે જાણવા કરો ક્લિક

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">