AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધ્રુવ જુરેલ

ધ્રુવ જુરેલ

ધ્રુવનું પૂરું નામ ધ્રુવચંદ જુરેલ છે. તેમના પિતા નેમ સિંહ જુરેલ ભારતીય સેનામાં હતા અને 1999 કારગિલ યુદ્ધ લડ્યા હતા. તેની માતા રજની જુરેલ ગૃહિણી છે. ધ્રુવને એક મોટી બહેન નેરુ જુરેલ છે. 15 ફેબ્રુઆરી 2024ના રોજ, રાજકોટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ધ્રુવ જુરેલે ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. ડેબ્યુ કરતાની સાથે 30 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ધ્રુવ ટેસ્ટ ડેબ્યુમાં 46 રન બનાવી આઉટ થયો હતો. જુરેલે 10 જાન્યુઆરી 2021ના રોજ ઉત્તર પ્રદેશ માટે 2020-21 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટ્વેન્ટી20માં પ્રવેશ કર્યો હતો.

ધ્રુવ જુરેલના ટી20 ડેબ્યૂ પહેલા, તેને 2020 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની ટીમના વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. ધ્રુવ જુરેલ આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. ધ્રુવ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રોયલ્સ માટે રમે છે. તે જમણા હાથનો બેટ્સમેન અને વિકેટ-કીપર છે

Read More

IND vs SA: ધ્રુવ જુરેલ કોલકાતા ટેસ્ટમાં રમશે, આ સ્ટાર ખેલાડી થશે ટીમની બહાર, કોચે કરી મોટી જાહેરાત

કોલકાતા ટેસ્ટ મેચ: ઈડન ગાર્ડન્સ ખાતે રમાનારી પહેલી ટેસ્ટ મેચ પહેલા જ ધ્રુવ જુરેલે પોતાની શાનદાર બેટિંગથી પ્લેઈંગ 11 માં સ્થાન મેળવવાનો દાવો કર્યો હતો. જુરેલે દક્ષિણ આફ્રિકા એ સામેની મેચની બંને ઈનિંગ્સમાં સદી ફટકારી હતી. હવે કોચે ટીમ પહેલી ટેસ્ટમાં ટીમ કોમ્બિનેશન અંગે મોટી વાત કહી છે અને ધ્રુવના રમવા અંગે મોટો ખુલાસો કર્યો છે.

ધ્રુવ જુરેલે એક જ મેચમાં બે સદી ફટકારી, ટેસ્ટ શ્રેણી પહેલા આ સ્ટાર ખેલાડી માટે બની ગયો ખતરો!

વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે દક્ષિણ આફ્રિકા A સામેની બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં વધુ એક શાનદાર ઈનિંગ રમી. તેણે બંને ઈનિંગમાં સદી ફટકારીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું. હવે તે આગામી સિરીઝમાં સ્ટાર વિકેટકીપર માટે ખતરો બની ગયો છે.

IND vs AUS : 2 ખેલાડીઓનું નસીબ ચમક્યું, પહેલી વખત ODI ટીમમાં સ્થાન મળ્યું

ટીમ ઈન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરુઆત 19 ઓક્ટોમ્બરથી થવા જઈ રહી છે. સૌથી પહેલા બંન્ને ટીમો વચ્ટે વનડે સીરિઝ રમાશે. આ સીરિઝ માટે ટીમમાં 2 નવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ બંન્ને ખેલાડીઓ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝનો ભાગ છે.

IND vs WI : ધ્રુવ જુરેલ હવે આ ખેલાડી માટે બની ગયો છે ખતરો! પંતની વાપસી પછી થશે બહાર?

ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે વેસ્ટ ઈન્ડિઝ સામે અમદાવાદ ટેસ્ટમાં એક મૂલ્યવાન ઈનિંગ રમી હતી. તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની પહેલી સદી ફટકારી હતી. આ સાથે, તેણે ટીમમાં પોતાનું સ્થાન મેળવવા માટે મજબૂત દાવો કર્યો હતો. અને હવે તે અન્ય એક ભારતીય ખેલાડી માટે ખતરો બની શકે છે.

IND vs WI : અમદાવાદ ટેસ્ટમાં ધ્રુવ જુરેલે પોતાના આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચના બીજા દિવસે યુવા વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે સદી ફટકારી હતી. રિષભ પંતની ઈજાને કારણે આ ટેસ્ટ શ્રેણીમાં ધ્રુવ જુરેલે ટીમમાં તક મળી હતી અને તેણે તેનો પૂરો ફાયદો ઉઠાવતા કારકિર્દીની પહેલી સદી ફટકારી હતી.

Breaking News : બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો, કેપ્ટન શ્રેયસ ઐયર બહાર થયો

IND A vs AUS A: ઈન્ડિયા એ અને ઓસ્ટ્રેલિયા એ વચ્ચે રમાનારી બીજી મેચમાં શ્રેયસ અય્યર કેપ્ટનશીપ કરતો જોવા મળશે નહી.પહેલી ટેસ્ટ મેચમાં તેનું સારું પ્રદર્શન રહ્યું ન હતું.બીજી મેચમાં કેપ્ટન શ્રેયસ અય્યર બહાર રહેશે.

શ્રેયસ અય્યર બન્યો કેપ્ટન, ધ્રુવ જુરેલને મળી મોટી જવાબદારી, ભારતીય ટીમની થઈ જાહેરાત

16 સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા-A સામે શરૂ થનારી બે ચાર દિવસીય મેચ માટે ઈન્ડિયા-A ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રેયસ અય્યરને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે ધ્રુવ જુરેલને મોટી જવાબદારી મળી છે.

ટીમ ઈન્ડિયાના 2 ખેલાડીઓ ઈજાને કારણે બહાર, રજત પાટીદાર-રિયાન પરાગને મળી તક

દુલીપ ટ્રોફી શરૂ થઈ ગઈ છે. મેચ પહેલા જ સેન્ટ્રલ ઝોન અને ઈસ્ટ ઝોનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. બંને ટીમોના કેપ્ટનને પડતા મૂકવામાં આવ્યા છે. તેમના સ્થાને રિયાન પરાગ અને રજત પાટીદારને કેપ્ટનશીપની તક મળી છે.

Asia Cup 2025 : આ 5 ખેલાડીઓને એશિયા કપ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી નથી મળી, છતાં રમી શકે છે

બીસીસીઆઈએ એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 15 ખેલાડીઓ સિવાય 5 ખેલાડીઓને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. તો ચાલો કોણ છે આ 5 ખેલાડીઓ તેમને પણ રમવાની તક મળી શકે છે.

ટીમ ઈન્ડિયાનો લકી ચાર્મ, જ્યારે પણ રમે છે ત્યારે ટીમ ઈન્ડિયા જીતે છે, નથી હાર્યો એક પણ ટેસ્ટ

શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ યુવા ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચમાં જીત મેળવી સીરિઝ 2-2થી ડ્રો કરી હતી. અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં પંતની જગ્યાએ એક યુવા ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું હતું અને ભારત આ મેચ જીત્યું હતું. ખાસ વાત એ છે કે આ ખેલાડી જ્યારે પણ રમે છે ત્યારે ભારત મેચ જીતે છે. તે અત્યાર સુધી એક પણ ટેસ્ટ મેચ હાર્યો નથી. જાણો કોણ છે આ ખેલાડી.

IND vs ENG : ઓવલ ટેસ્ટમાંથી 3 ખેલાડીઓ બહાર, જાણો કેવી છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા. ટોસ હાર્યા બાદ કેપ્ટન શુભમન ગિલે અ નાગે જાણકારી આપી હતી. સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ આ ટેસ્ટમાં નહીં રમે. જાણો કેવી છે ભારતની પ્લેઈંગ 11.

IND vs ENG : ધ્રુવ જુરેલ-અંશુલ કંબોજ માન્ચેસ્ટર ટેસ્ટમાં રમશે? આવી હવે ભારતની પ્લેઈંગ ઈલેવન

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન શું હશે તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. આકાશ ચોપરાએ માન્ચેસ્ટર ટેસ્ટ માટે ભારતની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી છે જેમાં બે યુવા ખેલાડીઓનો સમાવેશ કર્યો છે અને બંનેના ચોથી ટેસ્ટમાં રમવાના પૂરા ચાન્સ પણ છે.

IND vs ENG : ધ્રુવ જુરેલે ઈંગ્લેન્ડની ‘હેટ્રિક’, ટેસ્ટ શ્રેણી પહેલા તબાહી મચાવી

IPLમાં પોતાની બેટિંગ કુશળતા બતાવ્યા બાદ, ઈન્ડિયા-A વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ ઈંગ્લેન્ડમાં પણ શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તેણે અત્યાર સુધીમાં ઈંગ્લેન્ડની ધરતી પર સતત ત્રણ અડધી સદી ફટકારી છે. તેણે ઈંગ્લેન્ડ લાયન્સ સામેની બીજી બિનસત્તાવાર ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 52 રન બનાવ્યા હતા.

IND vs ENG : ઈશાન કિશન ટીમ ઈન્ડિયામાંથી બહાર, આ બે ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલા, ઈન્ડિયા A અને ઈંગ્લેન્ડ લાયન્સ વચ્ચે બે મેચની શ્રેણી રમાઈ રહી છે, જે કેન્ટરબરીમાં શરૂ થઈ હતી. આ મેચમાં કેટલાક એવા ખેલાડીઓ પણ ભાગ લઈ રહ્યા છે જે 20 જૂનથી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન ભારતીય ટીમમાં રમતા જોવા મળશે. ખાસ વાત એ છે કે લાંબા સમયથી ટીમમાં સ્થાન મેળવવા પ્રયાસ કરી રહેલ ઈશાન કિશનને ટીમમાં સ્થાન મળ્યું નથી, જ્યારે બે યુવા ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક મળી છે.

IND vs ENG : ટીમ ઈન્ડિયાનો ચોંકાવનારો નિર્ણય, એકસાથે 3 ખેલાડીઓને કર્યા બહાર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ પૂણેમાં રમાઈ રહી છે. આ મેચ માટે ભારતીય ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર કર્યા છે. સૂર્યકુમાર યાદવે પ્લેઈંગ ઈલેવનમાંથી ત્રણ ખેલાડીઓને પડતા મૂક્યા હતા.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">