T20 વર્લ્ડ કપ: શું ભારત-પાકિસ્તાન વચ્ચેની સેમિફાઇનલની આશા પર કાયમ માટે પૂર્ણવિરામ મુકાઈ ગયું?
ક્રિકેટના મેદાનમાં જેનો ડર હતો એ જ થયું! ઈંગ્લેન્ડની જીતે ભારત-પાકિસ્તાન સેમીફાઈનલનું આખું ગણિત ઉથલાવી દીધું છે. શું હજુ પણ કોઈ ચમત્કાર થઈ શકે?

જ્યારે આખું ભારત 5 માર્ચે વાનખેડેમાં ભારત-પાકિસ્તાન જંગની રાહ જોતું હતું, ત્યારે પલ્લેકેલેમાં ઈંગ્લેન્ડના એક ખેલાડીએ કરોડો ફેન્સના દિલ તોડી નાખ્યા

પાકિસ્તાનના બોલરોને બરાબરના ફટકારી હેરી બ્રુકે માત્ર 51 બોલમાં સેંચુરી ફટકારી દીધી. આ ઇનિંગે પાકિસ્તાનને એવી જગ્યાએ લાવી દીધું છે જ્યાંથી પાછા વળવું અશક્ય છે

ઈંગ્લેન્ડ ગ્રુપ 2 માં 'કિંગ' બની ગયું છે. હવે સવાલ એ છે કે શું પાકિસ્તાન માત્ર નસીબના જોરે આગળ વધી શકશે? જવાબ ઘણો ડરામણો છે

આઈસીસીના નવા ક્રોસ-ઓવર ફોર્મેટ મુજબ, ભારત અને પાકિસ્તાન હવે જે રસ્તા પર છે, તે ક્યારેય સેમીફાઈનલમાં એકબીજાને મળી શકશે નહીં

માત્ર પાકિસ્તાન જ નહીં, ભારતીય ટીમ પણ હાલમાં એવી સ્થિતિમાં છે જ્યાં તેણે ટેબલમાં ટોપ પર રહેવા માટે જંગ લડવી પડશે. જો ભારત બીજા ક્રમે રહ્યું, તો રસ્તો સાવ બદલાઈ જશે

BCCI અને PCB વચ્ચે જે ન્યુટ્રલ વેન્યુ (આર. પ્રેમદાસા સ્ટેડિયમ) ના કરાર થયા હતા, તે હવે કાગળ પર જ રહી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે

5 માર્ચની તારીખ નક્કી છે, વાનખેડે સ્ટેડિયમ તૈયાર છે, પણ પાકિસ્તાન ત્યાં પહોંચશે કે નહીં? હાલના આંકડા તો 'ના' પાડી રહ્યા છે

શું કુદરતનો કોઈ કરિશ્મો આ બંને ટીમોને ફાઈનલમાં સામસામે લાવી શકશે? હવે બધું જ 'જો અને તો' પર ટકેલું છે
હાર બાદ સૂર્યાનું રૌદ્ર સ્વરૂપ : શું આ એક ખેલાડીના કારણે તૂટ્યું ભારતનું વિજય સપનું, વાંચવા માટે અહીં ક્લિક કરો
