AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જો KKR vs PBKS મેચમાં વરસાદ પડે, તો વિજેતા કેવી રીતે નક્કી થશે? જાણો નિયમ

IPL 2026માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો રમાવાનો છે, પરંતુ હવામાન મોટી ભૂમિકા ભજવી શકે છે. કોલકાતામાં વરસાદ અને વીજળીની શક્યતા હોવાથી મેચમાં વિક્ષેપ આવી શકે છે. આવી સ્થિતિમાં મેચનું પરિણામ કેવી રીતે નક્કી થશે તે મુદ્દે ચાહકોમાં ઉત્સુકતા વધતી જોવા મળી રહી છે.

| Updated on: Apr 06, 2026 | 5:36 PM
Share
આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે KKR અને PBKS વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. બંને ટીમો માટે આ મુકાબલો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પંજાબ કિંગ્સ જીતની હેટ્રિક માટે મેદાનમાં ઉતરશે, જ્યારે કોલકાતા પોતાની પ્રથમ જીત મેળવવા આતુર છે.

આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે KKR અને PBKS વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે. બંને ટીમો માટે આ મુકાબલો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પંજાબ કિંગ્સ જીતની હેટ્રિક માટે મેદાનમાં ઉતરશે, જ્યારે કોલકાતા પોતાની પ્રથમ જીત મેળવવા આતુર છે.

1 / 6
હવામાન વિભાગ મુજબ કોલકાતામાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે. ખાસ કરીને સાંજના સમયમાં વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે.

હવામાન વિભાગ મુજબ કોલકાતામાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે. ખાસ કરીને સાંજના સમયમાં વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે.

2 / 6
વરસાદના કારણે બંને ટીમોની તૈયારી પર પણ અસર પડી છે. રવિવારે ભારે વરસાદને કારણે ખેલાડીઓ પ્રેક્ટિસ કરી શક્યા નહોતા. જેના કારણે ટીમોની વ્યૂહરચનામાં પણ ફેરફાર જોવા મળી શકે છે.

વરસાદના કારણે બંને ટીમોની તૈયારી પર પણ અસર પડી છે. રવિવારે ભારે વરસાદને કારણે ખેલાડીઓ પ્રેક્ટિસ કરી શક્યા નહોતા. જેના કારણે ટીમોની વ્યૂહરચનામાં પણ ફેરફાર જોવા મળી શકે છે.

3 / 6
જો મેચ દરમિયાન વરસાદ પડે તો IPLના નિયમો અનુસાર ઓવરોમાં ઘટાડો કરવામાં આવશે. પહેલા મેચને પૂરી કરવા માટે સમય વધારવામાં આવશે, પરંતુ જો શક્ય ન બને તો ઓવરો ઘટાડીને ઓછામાં ઓછા પાંચ ઓવરની મેચ રમાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

જો મેચ દરમિયાન વરસાદ પડે તો IPLના નિયમો અનુસાર ઓવરોમાં ઘટાડો કરવામાં આવશે. પહેલા મેચને પૂરી કરવા માટે સમય વધારવામાં આવશે, પરંતુ જો શક્ય ન બને તો ઓવરો ઘટાડીને ઓછામાં ઓછા પાંચ ઓવરની મેચ રમાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

4 / 6
જો પરિસ્થિતિ એટલી ખરાબ થાય કે પાંચ ઓવર પણ રમાઈ ન શકે, તો મેચને રદ જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે.

જો પરિસ્થિતિ એટલી ખરાબ થાય કે પાંચ ઓવર પણ રમાઈ ન શકે, તો મેચને રદ જાહેર કરવામાં આવશે. આવી સ્થિતિમાં બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવશે.

5 / 6
હાલ પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પંજાબ કિંગ્સ બે અને ચાર પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ સતત બે હાર બાદ નવમા સ્થાને છે. (PC: PTI/X)

હાલ પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પંજાબ કિંગ્સ બે અને ચાર પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સ સતત બે હાર બાદ નવમા સ્થાને છે. (PC: PTI/X)

6 / 6

Breaking News: IPL ઈતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સને સૌથી વધુ વખત ઓલઆઉટ કરનાર ટોપ 5 ટીમ કઈ છે?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">