AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, અમદાવાદમાં સાબરમતી નદીના પુલના સબસ્ટ્રક્ચર સંબંધિત તમામ કામ પૂર્ણ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં સાબરમતી નદીના પુલ પર બાંધકામ પ્રગતિ પર છે.પુલના નિર્માણ કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેમાં પાયો અને સબસ્ટ્રક્ચર સંબંધિત તમામ કામ પૂર્ણ થઈ ચૂક્યા છે.

Sachin Kolte
| Edited By: | Updated on: Apr 27, 2026 | 2:31 PM
Share
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગ રૂપે, અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળની ઇમારત (આશરે 118 ફૂટ) જેટલી ઊંચાઈ ધરાવતા 36 મીટર ઊંચા પુલનું બાંધકામ સતત આગળ વધી રહ્યું છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગ રૂપે, અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળની ઇમારત (આશરે 118 ફૂટ) જેટલી ઊંચાઈ ધરાવતા 36 મીટર ઊંચા પુલનું બાંધકામ સતત આગળ વધી રહ્યું છે.

1 / 6
આ 480 મીટર લાંબો પુલ પશ્ચિમ રેલવેની અમદાવાદ–દિલ્હી મુખ્ય લાઇનની બાજુમાં બનાવવામાં આવી રહ્યો છે. સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે આવેલો આ પુલ સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનથી અંદાજે 1 કિમી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનથી અંદાજે 4 કિમી દૂર આવેલો છે.

આ 480 મીટર લાંબો પુલ પશ્ચિમ રેલવેની અમદાવાદ–દિલ્હી મુખ્ય લાઇનની બાજુમાં બનાવવામાં આવી રહ્યો છે. સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે આવેલો આ પુલ સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનથી અંદાજે 1 કિમી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનથી અંદાજે 4 કિમી દૂર આવેલો છે.

2 / 6
પુલના તમામ (08) વર્તુળાકાર પિયર્સ, જેમનો વ્યાસ 6 થી 6.5 મીટર છે, પૂર્ણ થઈ ચૂક્યા છે. તેમાંના ચાર (04) નદીના પટમાં, બે (02) નદીના કિનારાઓ પર (એક-એક બન્ને બાજુએ) અને બે (02) નદીના કિનારાથી બહાર સ્થિત છે. પિયર્સની ઊંચાઈ 31 થી 34 મીટર વચ્ચે છે. નદીના પાણીના પ્રવાહમાં ઓછામાં ઓછી અડચણ રહે તે માટે પિયર્સનું વ્યૂહાત્મક આયોજન કરવામાં આવ્યું છે.

પુલના તમામ (08) વર્તુળાકાર પિયર્સ, જેમનો વ્યાસ 6 થી 6.5 મીટર છે, પૂર્ણ થઈ ચૂક્યા છે. તેમાંના ચાર (04) નદીના પટમાં, બે (02) નદીના કિનારાઓ પર (એક-એક બન્ને બાજુએ) અને બે (02) નદીના કિનારાથી બહાર સ્થિત છે. પિયર્સની ઊંચાઈ 31 થી 34 મીટર વચ્ચે છે. નદીના પાણીના પ્રવાહમાં ઓછામાં ઓછી અડચણ રહે તે માટે પિયર્સનું વ્યૂહાત્મક આયોજન કરવામાં આવ્યું છે.

3 / 6
આ પુલ 76 મીટરના 5 સ્પાન અને 50 મીટરના 2 સ્પાનથી બનેલો છે, જેમાં દરેક સ્પાનનું નિર્માણ 23 સેગમેન્ટ દ્વારા સાઇટ પર જ (ઇન-સિટુ) કરવામાં આવી રહ્યું છે.તેનું નિર્માણ બેલેન્સ્ડ કેન્ટિલીવર પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે, જે ઊંડા પાણી અને નદીઓ પર લાંબા સ્પાનવાળા પુલો માટે વિશેષ તકનીક છે.આ પદ્ધતિમાં પુલની નીચે સ્કેફોલ્ડિંગ લગાવ્યા વિના, દરેક પિયર પરથી બન્ને બાજુ સંતુલન જાળવી સેગમેન્ટને ક્રમશઃ જોડીને (પોસ્ટ-ટેન્શનિંગ દ્વારા) સ્પાન તૈયાર કરવામાં આવે છે. આ રીતે સતત અને મજબૂત બ્રિજ ડેક તૈયાર થાય છે.

આ પુલ 76 મીટરના 5 સ્પાન અને 50 મીટરના 2 સ્પાનથી બનેલો છે, જેમાં દરેક સ્પાનનું નિર્માણ 23 સેગમેન્ટ દ્વારા સાઇટ પર જ (ઇન-સિટુ) કરવામાં આવી રહ્યું છે.તેનું નિર્માણ બેલેન્સ્ડ કેન્ટિલીવર પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે, જે ઊંડા પાણી અને નદીઓ પર લાંબા સ્પાનવાળા પુલો માટે વિશેષ તકનીક છે.આ પદ્ધતિમાં પુલની નીચે સ્કેફોલ્ડિંગ લગાવ્યા વિના, દરેક પિયર પરથી બન્ને બાજુ સંતુલન જાળવી સેગમેન્ટને ક્રમશઃ જોડીને (પોસ્ટ-ટેન્શનિંગ દ્વારા) સ્પાન તૈયાર કરવામાં આવે છે. આ રીતે સતત અને મજબૂત બ્રિજ ડેક તૈયાર થાય છે.

4 / 6
પુલના નિર્માણ કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેમાં પાયો અને સબસ્ટ્રક્ચર સંબંધિત તમામ કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. 76 મીટરના ત્રણ સ્પાન પૂર્ણ થઈ ગયા છે, જ્યારે સુપરસ્ટ્રક્ચર સંબંધિત કામગીરી, જેમ કે પિયર હેડ નિર્માણ અને સેગમેન્ટ કાસ્ટિંગ, હાલમાં પ્રગતિ પર છે.

પુલના નિર્માણ કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેમાં પાયો અને સબસ્ટ્રક્ચર સંબંધિત તમામ કામ પૂર્ણ થઈ ચૂક્યા છે. 76 મીટરના ત્રણ સ્પાન પૂર્ણ થઈ ગયા છે, જ્યારે સુપરસ્ટ્રક્ચર સંબંધિત કામગીરી, જેમ કે પિયર હેડ નિર્માણ અને સેગમેન્ટ કાસ્ટિંગ, હાલમાં પ્રગતિ પર છે.

5 / 6
નિર્માણ દરમિયાન નદીના પાણીનો પ્રવાહ અવિરત રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તાત્કાલિક એમ્બેન્કમેન્ટમાં હ્યુમ પાઇપ કલ્વર્ટ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે અને સાથે જ કુદરતી ડ્રેનેજ ચેનલ જાળવી રાખવામાં આવી છે, જેથી પાણીનો સતત અને મુક્ત પ્રવાહ સુનિશ્ચિત થાય.આ પગલાંઓ ખાતરી આપે છે કે નિર્માણ પ્રવૃત્તિઓ છતાં નદીનો પ્રવાહ સતત અને અસરરહિત રહે છે.

નિર્માણ દરમિયાન નદીના પાણીનો પ્રવાહ અવિરત રહે તે માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તાત્કાલિક એમ્બેન્કમેન્ટમાં હ્યુમ પાઇપ કલ્વર્ટ્સ સ્થાપિત કરવામાં આવ્યા છે અને સાથે જ કુદરતી ડ્રેનેજ ચેનલ જાળવી રાખવામાં આવી છે, જેથી પાણીનો સતત અને મુક્ત પ્રવાહ સુનિશ્ચિત થાય.આ પગલાંઓ ખાતરી આપે છે કે નિર્માણ પ્રવૃત્તિઓ છતાં નદીનો પ્રવાહ સતત અને અસરરહિત રહે છે.

6 / 6

ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો

Follow Us
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
નંબર પ્લેટ વગર વાહન અને નો ઇંધણ જાહેરનામું: રાજકોટના વીડિયો પર સવાલો
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
g clip-path="url(#clip0_868_265)">