તખ્તાપલટ

તખ્તાપલટ

સત્તાપલટો અથવા રાજકીય તખ્તાપલટનો મતલબ વર્તમાન સરકાર પાસેથી બળપૂર્વક સત્તા કબજે કરવી. તખ્તાપલટ કે સત્તાપલટો રાજકીય, સામાજિક અથવા આર્થિક કારણોને કારણે થતો હોય છે અને તેની પાછળ સરકારી સત્તાનો કબજો મેળવવાનો હેતુ હોય છે.

વિવિધ દેશોમાં અને સમયગાળામાં તખ્તાપલટ કે સત્તાપલટા થયા છે અને વિવિધ કારણો અને પરિસ્થિતિઓ હેઠળ થયા છે. તખ્તાપલટ કે સત્તાપલટો સામાન્ય રીતે બહુ ઝડપથી અને અચાનક થાય છે, કારણ કે વર્તમાન સરકારને પ્રતિક્રિયા આપવાનો સમય ન મળે.

Read More

બાંગ્લાદેશ બાદ હવે પાકિસ્તાનમાં તખ્તાપલટની તૈયારી ! શાહબાઝ સરકાર પાસે છે 2 અઠવાડિયાનો સમય

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની જેલમાંથી મુક્તિ માટે પાકિસ્તાનમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. ઈમરાન ખાનની પાર્ટી PTIએ દેશભરમાં વિરોધ ઉગ્ર બનાવ્યો છે. બીજી તરફ સરકારે ઈસ્લામાબાદ અને રાવલપિંડીને સીલ કરી દીધા છે. ત્યારે વિરોધને જોતા લાગી રહ્યું છે કે, ક્યાંક બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ પણ પાકિસ્તાનમાં સર્જાઈ શકે છે.

Breaking news : ક્રિકેટ જગતમાં મચ્યો હડકંપ, દિગ્ગજ ક્રિકેટ ખેલાડી સામે હત્યાનો કેસ નોંધાયો

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન સામે હત્યાનો કેસ નોંધાયો છે. શાકિબ અલ હસન હાલમાં પાકિસ્તાન પ્રવાસ પર છે. જ્યાં બાંગ્લાદેશની ટીમ યજમાન દેશ વિરુદ્ધ 2 મેચની ટેસ્ટ સીરિઝ રમી રહી છે.

બાંગ્લાદેશમાં ફરી થઈ શકે છે મોટો બળવો, કાઉન્ટર ક્રાંતિની તૈયારી કરી રહી છે અવામી લીગ

બાંગ્લાદેશ ફરી એકવાર બળી શકે છે. આ બદલાની આગ ભભુકી શકે છે. નવી વચગાળાની સરકારના તમામ દાવાઓ વચ્ચે ધીમે-ધીમે એક ચિનગારી બળી રહી છે. અવામી લીગના સમર્થકો તેને મોટું સ્વરૂપ આપી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અવામી લીગ સમર્થકો મોટો બળવો કરી શકે છે.

બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલા પર બોલ્યા પ્રિયંકા ગાંધી…ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે પરિસ્થિતિ

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત થઈ રહેલા હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ધર્મ, જાતિ, ભાષા કે ઓળખના આધારે ભેદભાવ, હિંસા અને હુમલા કોઈપણ સંસ્કારી સમાજમાં અસ્વીકાર્ય છે. અમને આશા છે કે બાંગ્લાદેશમાં ટૂંક સમયમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.

Bangladesh : બાંગ્લાદેશના તખ્તાપલટમાં રાહુલ ગાંધીનો હાથ? બાંગ્લાદેશી પત્રકારનો આરોપ, કહ્યું- લંડનમાં કરી મીટિંગ

બાંગ્લાદેશી અખબાર બ્લિટ્ઝ લાઈવના તંત્રી સલાહુદ્દીન શોએબ ચૌધરીએ આજે ​​જે સત્ય લખવાની, બોલવાની અને કહેવાની અદમ્ય હિંમત બતાવી છે તે ભારતના પેલા કોંગ્રેસી દલાલ પત્રકારોના મોઢા પર થપ્પડ સમાન છે. ભારતના મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લંડનની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશના કટ્ટરપંથી નેતા ખાલિદા ઝિયાના ભાગેડુ પુત્ર તારિક રહેમાનને મળ્યા હતા.

દુર્ગા પૂજા માટે 5 દિવસની રજાની કરી માગ, Bangladesh ના હિંદુઓ થયા લાલઘુમ, માંગણીઓને લઈને આજે મળશે મોહમ્મદ યુનુસને

Bangladesh News update : શનિવારે ઢાકા સહિત બાંગ્લાદેશના વિવિધ ભાગોમાં હિંદુ સમુદાયના વિરોધ બાદ વચગાળાની સરકારના વડા ડૉ. યુનુસે હિંદુ વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિમંડળને મળવા બોલાવ્યા છે. હિન્દુ વિદ્યાર્થી સંગઠનોએ વચગાળાની સરકાર પાસે દુર્ગા પૂજા માટે 5 દિવસની રજા સહિત આઠ મુદ્દાની માંગણી કરી છે.

ચીન કે પાકિસ્તાન નહીં, આ દેશ હતો તખ્તાપલટનું કારણ…શેખ હસીનાએ પહેલીવાર કર્યો ખુલાસો

બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ હતો અને તેઓ તેને નાબૂદ કરવા માટે દેશભરમાં વિરોધ કરી રહ્યા હતા. વિદ્યાર્થીઓના ભારે વિરોધ અને મોટા પાયે હિંસાના ડરને કારણે, શેખ હસીનાએ 5 ઓગસ્ટે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું અને દેશ છોડી દીધો.

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે ગુજરાતના વેપારીઓને મોટો આંચકો, ફસાયા 12,00,00,00,000 રૂપિયા, જાણો કારણ

બાંગ્લાદેશે ગુજરાતના વેપારીઓ પાસેથી 1200 રૂપિયાનો માલ લીધો હતો, પરંતુ હજુ સુધી તે વેપારીઓને પૈસા આપ્યા નથી. આ ઘટના બાદ ગુજરાતના વેપારીઓમાં ભયનો માહોલ છે.

હિટલરથી લઈને શેખ હસીના સુધી…જાણો વિશ્વના કયા કયા દેશોમાં થયો છે તખ્તાપલટ

તખ્તાપલટનો મતલબ વર્તમાન સરકાર પાસેથી બળપૂર્વક સત્તા કબજે કરવી. સત્તાપલટો રાજકીય, સામાજિક અથવા આર્થિક કારણોને કારણે થતો હોય છે અને તેની પાછળ સરકારી સત્તાનો કબ્જો મેળવવાનો હેતુ હોય છે. વિશ્વના અનેક દેશોમાં વિવિધ સમયગાળા દરમિયાન અલગ અલગ કારણો અને પરિસ્થિતિઓ હેઠળ તખતાપલટ થયા છે.

અમે હિંસા વિરુદ્ધ છીએ…સંયુક્ત રાષ્ટ્રએ બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાની કરી નિંદા

સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, અમે બાંગ્લાદેશની સરકાર અને લોકોને જરૂરી લાગે તે કોઈપણ રીતે સમર્થન આપવા તૈયાર છીએ. આ દરમિયાન ભારતે શુક્રવારે ભારત-બાંગ્લાદેશ સરહદ પરની સ્થિતિ અને બાંગ્લાદેશમાં ભારતીયો અને હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા પર નજર રાખવા માટે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી.

Bangladesh Violence : બાંગ્લાદેશમાં અટકી રહી નથી હિંસા, હિન્દુઓની સુરક્ષા માટે મોદી સરકારે બનાવી કમિટી

બાંગ્લાદેશમાં તખ્તાપલટ પછી હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાયો વિરોધીઓના નિશાને છે. લોકો પર હુમલાની સાથે તેમના ઘર અને ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ સમિતિ બાંગ્લાદેશમાં તેના સમકક્ષ અધિકારીઓ સાથે વાતચીત જાળવી રાખશે.

49 વર્ષ પહેલા પરિવારની હત્યા થઈ,19 વખત હત્યાના પ્રયાસોમાંથી બચેલી શેખ હસીનાનો આવો છે પરિવાર

તમને જણાવી દઈએ કે, શેખ હસીનાની રાજકીય કારકિર્દી દરમિયાન, શેખ હસીના પર કુલ 19 હત્યાના પ્રયાસો થયા હતા. જેમાં તે બચી ગઈ છે. તો ચાલો જાણીએ કે શેખ હસીનાના પરિવારમાં કોણ કોણ છે.

Nobel prize વિજેતા મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારનું નેતૃત્વ કરશે, જાણો તેઓ ક્યારે લેશે શપથ

Muhammad Yunus take oath : નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા હશે. તેઓ પેરિસથી ઢાકા પરત ફરી રહ્યા છે અને ગુરુવારે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લેશે. તેમની સલાહકાર સમિતિમાં 15 સભ્યોનો સમાવેશ થાય તેવી શક્યતા છે.

બાંગ્લાદેશમાં કત્લેઆમ, શેખ હસીનાના પક્ષના નેતાઓ-હિંદુ સહિતના લઘુમતીઓની હત્યા, ટોળાથી ડરીને ભાગી રહી છે પોલીસ

બાંગ્લાદેશમાં લગભગ 450 પોલીસ સ્ટેશનોને આગ ચાંપી દેવામાં આવી છે. આ સિવાય અવામી લીગના કાર્યાલયોને પણ આગ લગાવી દેવામાં આવી છે. અહેવાલો અનુસાર, અત્યાર સુધી અવામી લીગના નેતાઓ અને તેમના પરિવારના સભ્યોના 29 મૃતદેહ મળી આવ્યા છે. તો બીજીબાજૂ હિંદુ સહીતના લઘુમતીઓને પણ વ્યાપક હિંસાનો ભોગ બનાવવામાં આવી છે.

બાંગ્લાદેશમાં ઈસ્લામિક ટોળાએ હિંદુ ગાયકના 140 વર્ષ જૂનુ ઘર સળગાવ્યું, 3000 થી વધુ સંગીતનાં સાધનો બળીને ખાક

રાહુલ આનંદનું ઘર ધાનમંડી 32 માં આવેલું હતું. ઇસ્લામિક ટોળાએ તેમના 140 વર્ષ જૂના આવાસને લૂંટી લીધા બાદ સળગાવી દીધું હતું. આ લૂંટફાટ અને આગચંપીમાં, તેના 3000 સંગીતનાં સાધનો પણ નાશ પામ્યા હતા, જેમાંથી ઘણા તેણે પોતાના હાથે બનાવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
g clip-path="url(#clip0_868_265)">