તખ્તાપલટ
સત્તાપલટો અથવા રાજકીય તખ્તાપલટનો મતલબ વર્તમાન સરકાર પાસેથી બળપૂર્વક સત્તા કબજે કરવી. તખ્તાપલટ કે સત્તાપલટો રાજકીય, સામાજિક અથવા આર્થિક કારણોને કારણે થતો હોય છે અને તેની પાછળ સરકારી સત્તાનો કબજો મેળવવાનો હેતુ હોય છે.
વિવિધ દેશોમાં અને સમયગાળામાં તખ્તાપલટ કે સત્તાપલટા થયા છે અને વિવિધ કારણો અને પરિસ્થિતિઓ હેઠળ થયા છે. તખ્તાપલટ કે સત્તાપલટો સામાન્ય રીતે બહુ ઝડપથી અને અચાનક થાય છે, કારણ કે વર્તમાન સરકારને પ્રતિક્રિયા આપવાનો સમય ન મળે.
Breaking News : વધુ એક તખ્તા પલટ! આ દેશમાં સૈનિકોએ ટીવી પર રાષ્ટ્રપતિને હટાવવાની કરી જાહેરાત
પશ્ચિમ આફ્રિકાના બેનિનમાં સૈનિકોએ રાષ્ટ્રપતિ પેટ્રિસ ટેલોનને પદભ્રષ્ટ કરવાનો દાવો કર્યો, પરંતુ સરકારે બળવો નિષ્ફળ બનાવ્યો હોવાનું જણાવ્યું.
- Sagar Solanki
- Updated on: Dec 7, 2025
- 6:35 pm
Breaking News : ઢાકામાં નાગરિકો પર ગોળી ચલાવવાના કેસમાં શેખ હસીના દોષિત જાહેર
બાંગ્લાદેશ સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલ યુનુસે શેખ હસીના માટે ફાંસીની માંગણી કરી છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે, હસીના સામે આવા 1,400 આરોપો છે. જો તેને મૃત્યુની સજા ન આપવામાં આવી તો એ લોકો સામે અન્યાય છે. જે શેખ હસીનાના કારણે મૃત્યુ પામ્યા હતા.
- Nirupa Duva
- Updated on: Nov 17, 2025
- 1:28 pm
નેપાળ બાદ આ દેશમાં Gen-Z એ કર્યો તખ્તા પલટ, રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગ્યા
મેડાગાસ્કરમાં પાણીની તંગી અંગે વ્યાપક Gen-Z વિરોધ પ્રદર્શનો બાદ, રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોએલિના દેશ છોડીને ભાગી ગયા છે. વિપક્ષ, સૈન્ય અને વિદેશી રાજદ્વારીઓએ તેમના ભાગી જવાની પુષ્ટિ કરી છે. નેપાળ પછી, આ બીજી વખત છે જ્યારે Gen-Z જૂથોએ બળવાનો પ્રયાસ કર્યો છે.
- Sagar Solanki
- Updated on: Oct 14, 2025
- 10:07 pm
Nepal Violent Protests : ઓલીના રાજીનામા પછી બાલેન્દ્ર શાહને વચગાળાના પીએમ બનાવવાની કેમ થઈ રહી છે માંગ ?
નેપાળના વડાપ્રધાન કે પી શર્મા ઓલીના રાજીનામા પછી બાલેન્દ્ર શાહનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દેશના ખૂની (કેપી શર્મા ઓલી) રાજગાદી છોડી ચૂક્યા છે. જનરેશન-ઝેડએ સંયમ રાખવો જોઈએ અને દેશની સંપત્તિને નુકસાન ન પહોંચાડવું જોઈએ. નેપાળમાં પ્રદર્શનકારીઓ બાલેન્દ્ર શાહને વચગાળાના પીએમ બનાવવાની માંગ કરી રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Sep 9, 2025
- 4:48 pm
નેપાળી નેતાઓના બાળકોની ઐયાશી જોઈને ભડક્યુ Gen Z, એ બે દિવસના ઘટનાક્રમ પર નજર જ્યાથી ઉઠી વિદ્રોહની આગ
નેપાળમાં Gen Zના વિદ્રોહની કહાની #NepoKid અને #NepoChild જેવા હેશટેગથી શરૂ થઈ છે. એવામાં આવો જાણીએ કે આખરે નેપાળમાં 5 થી 7 સપ્ટેમ્બર દરમિયાન એવુ શું થયુ કે આ ક્રાંતિ આટલી વધુ ફેલાઈ ગઈ.
- Mina Pandya
- Updated on: Sep 9, 2025
- 4:03 pm
Breaking News : નેપાળમાં થયો તખ્તાપલટ, વડાપ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપ્યું
નેપાળમાં હિંસાને કારણે કાઠમંડુ અને નજીકના શહેરોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. નેપાળમાં તખ્તાપલટ થયો છે, વડાપ્રધાન કેપી ઓલીએ રાજીનામું આપ્યું
- Nirupa Duva
- Updated on: Sep 9, 2025
- 2:48 pm
Breaking News : બાંગ્લાદેશમાં ફરી તખ્તા પલટ ! યુનુસ નિરાશ, શેખ હસીનાની થશે વાપસી ? કેમ બાંગ્લાદેશમાં ફરી હંગામો, જાણો
બાંગ્લાદેશમાં હાલની વચગાળાની સરકારે હજુ સુધી ચૂંટણી માટે કોઈ તારીખ નક્કી કરી નથી. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ તાજેતરમાં ઢાકામાં ચૂંટણીની તારીખો ઘોષિત કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
- Sagar Solanki
- Updated on: May 26, 2025
- 10:11 pm
Breaking News : પાકિસ્તાનમાં તખ્તા પલટ નક્કી, આ રહ્યા પુરાવા, મૌલાના મુનિરે શરુ કરી તૈયારી
ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને કરાવેલા સીઝ ફાયરને લઈને પાકિસ્તાનમાં સરકાર અને આર્મી સામસામે આવી ગઈ છે. પાકિસ્તાનમાં આર્મીનો હાથ સરકાર કરતા હંમેશા ઉપર રહ્યો છે. એવા સંજોગોમાં સીઝ ફાયરે મતભેદ અને મનભેદમાં વધુ મોટી તિરાડ પાડી છે. પાકિસ્તાનમાં શાહબાઝ શરીફની સરકારને ઘર ભેગી કરીને આર્મી સત્તા મેળવી લે તેવી સ્થિતિ સર્જાઈ છે.
- TV9 Gujarati
- Updated on: May 12, 2025
- 10:28 pm
Breaking News : પાકિસ્તાનમાં તખ્તાપલટ ! સરકારનો સેના પર નથી રહ્યો કાબૂ, જાણો ક્યારે ક્યારે પાકિસ્તાનમાં બની છે આવી ઘટના
ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામના માત્ર ત્રણ કલાક બાદ જ પાકિસ્તાને ફરી એકવાર ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા છે. આ ઘટના બાદ પાકિસ્તાનમાં સેના દ્વારા તખ્તાપલટની શક્યતાઓની ચર્ચા શરૂ થઈ છે. જાણો અત્યાર સુધી ક્યારે ક્યારે અને કેવી સ્થિતિમાં થયું છે તખ્તાપલટ
- Sagar Solanki
- Updated on: May 10, 2025
- 10:11 pm
4 બાળકના પિતાએ મિત્ર સાથે મળી પાર્ટી બનાવી, આવો છે તુર્કીના રાષ્ટ્રપતિનો પરિવાર
રેસેપ તૈયપ એર્દોગનની ગણતરી તુર્કીના મહાન નેતાઓમાં થાય છે અને તેઓ મધ્ય પૂર્વીય દેશ 'તુર્કી'ના રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ પદ પર પહોંચતા પહેલા તેઓ દેશના વડા પ્રધાન અને ઇસ્તંબુલના મેયર પણ રહી ચૂક્યા છે. તેમની ગણતરી મધ્ય પૂર્વ ક્ષેત્રના અગ્રણી નેતાઓમાં થાય છે. ધાર્મિક આધાર પર તેમને કટ્ટરવાદી નેતા માનવામાં આવે છે.આજે આપણે રેસેપ તૈયપ એર્દોગનના પરિવાર વિશે જાણીએ.
- Nirupa Duva
- Updated on: Mar 22, 2025
- 7:12 am
Coup In Turkey: બાગ્લાંદેશ-સિરીયા બાદ હવે તુર્કીમાં પણ તખ્તાપલટ ? રાષ્ટ્રપતિ અર્દોગન દેશ છોડીને ભાગ્યા ! જુઓ-Video
સોશિયલ મીડિયામાં ચાલી રહેલા સમાચારના આધારે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોગન દેશ છોડીને ભાગી ગયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે
- Devankashi rana
- Updated on: Mar 20, 2025
- 3:37 pm