AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કપૂર પરિવાર આખો સેલિબ્રિટીથી ભરેલો, એક તો બોલિવુડનો હતો રોમેન્ટિક હિરો જુઓ પરિવાર

કપૂર પરિવારે (Kapoor Family) હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એટલા બધા કલાકારો આપ્યા છે કે આ પરિવારનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. પૃથ્વીરાજ કપૂરથી લઈને રણબીર કપૂર સુધીના તમામ સ્ટાર્સ વિશે જાણીએ.

| Updated on: Sep 04, 2025 | 9:22 AM
Share
પૃથ્વીરાજની ગણતરી હિન્દી સિનેમાના મુખ્ય સ્તંભોમાં થાય છે. તેણે પોતાના કરિયરની શરૂઆત મૂંગી ફિલ્મોથી કરી હતી. ત્યારબાદ પૃથ્વી થિયેટરની સ્થાપના કરી. તે સમયે નાટકો દેશભરમાં ફરતા હતા. અહીંથી જ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કપૂર પરિવારની શરૂઆત થઈ હતી.  'કપૂર ફેમિલી'નું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.

પૃથ્વીરાજની ગણતરી હિન્દી સિનેમાના મુખ્ય સ્તંભોમાં થાય છે. તેણે પોતાના કરિયરની શરૂઆત મૂંગી ફિલ્મોથી કરી હતી. ત્યારબાદ પૃથ્વી થિયેટરની સ્થાપના કરી. તે સમયે નાટકો દેશભરમાં ફરતા હતા. અહીંથી જ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કપૂર પરિવારની શરૂઆત થઈ હતી. 'કપૂર ફેમિલી'નું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.

1 / 6
મીડિયા  અહેવાલો અનુસાર, 1999 સુધી, કપૂર પરિવારે હિન્દી ફિલ્મ ઉદ્યોગને 24 કલાકારો આપ્યા, જે એક વિશ્વ રેકોર્ડ છે અને ગિનીસ બુકમાં નોંધાયેલ છે. કપૂર પરિવાર 1929થી બોલિવૂડમાં સક્રિય છે. પૃથ્વીરાજ કપૂરથી લઈને કરીના-કરિશ્મા અને રણબીર કપૂર સુધી, આજ સુધી આ પરિવારના સભ્યોએ અભિનયની દુનિયામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આવો એક નજર કરીએ આ કપૂર પરિવાર પર.  રિપોર્ટ અનુસાર કરિના કપુર અને કરિશ્મા કપુર  રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે.

મીડિયા અહેવાલો અનુસાર, 1999 સુધી, કપૂર પરિવારે હિન્દી ફિલ્મ ઉદ્યોગને 24 કલાકારો આપ્યા, જે એક વિશ્વ રેકોર્ડ છે અને ગિનીસ બુકમાં નોંધાયેલ છે. કપૂર પરિવાર 1929થી બોલિવૂડમાં સક્રિય છે. પૃથ્વીરાજ કપૂરથી લઈને કરીના-કરિશ્મા અને રણબીર કપૂર સુધી, આજ સુધી આ પરિવારના સભ્યોએ અભિનયની દુનિયામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આવો એક નજર કરીએ આ કપૂર પરિવાર પર. રિપોર્ટ અનુસાર કરિના કપુર અને કરિશ્મા કપુર રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે.

2 / 6
 કપૂર પરિવારને અભિનયની દુનિયામાં લાવનાર પૃથ્વીરાજ કપૂર એ વ્યક્તિ હતા, જેમણે હિન્દી ફિલ્મ ઉદ્યોગને નવા આયામો આપ્યા હતા. તેમના ભાઈ ત્રિલોક કપૂરે પણ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને તે આ યુગના સફળ અભિનેતા હતા.

કપૂર પરિવારને અભિનયની દુનિયામાં લાવનાર પૃથ્વીરાજ કપૂર એ વ્યક્તિ હતા, જેમણે હિન્દી ફિલ્મ ઉદ્યોગને નવા આયામો આપ્યા હતા. તેમના ભાઈ ત્રિલોક કપૂરે પણ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો અને તે આ યુગના સફળ અભિનેતા હતા.

3 / 6
આ પછી પૃથ્વીરાજ કપૂરના પુત્રો રાજ કપૂર, શમ્મી કપૂર અને શશિ કપૂર બીજી પેઢીમાં આવ્યા. રાજ કપૂરને બોલિવૂડનો શોમેન કહેવામાં આવતો હતો. તેમનો અભિનય ચાહકોના દિલને સ્પર્શી ગયો. શમ્મી કપૂરે પણ પોતાના અભિનયથી લોકોને આકર્ષિત કર્યા હતા. શશિ કપૂર પણ અભિનયમાં નિષ્ણાત નીકળ્યા. ત્રણેય ભાઈઓએ બોલિવૂડમાં સફળ રહ્યા હતા.

આ પછી પૃથ્વીરાજ કપૂરના પુત્રો રાજ કપૂર, શમ્મી કપૂર અને શશિ કપૂર બીજી પેઢીમાં આવ્યા. રાજ કપૂરને બોલિવૂડનો શોમેન કહેવામાં આવતો હતો. તેમનો અભિનય ચાહકોના દિલને સ્પર્શી ગયો. શમ્મી કપૂરે પણ પોતાના અભિનયથી લોકોને આકર્ષિત કર્યા હતા. શશિ કપૂર પણ અભિનયમાં નિષ્ણાત નીકળ્યા. ત્રણેય ભાઈઓએ બોલિવૂડમાં સફળ રહ્યા હતા.

4 / 6
ત્યારબાદ કપૂર પરિવાર આગળ વધ્યો. રાજ કપૂરે કૃષ્ણા રાજ સાથે લગ્ન કર્યા છે. તેમને પાંચ બાળકો હતા રણધીર કપૂર, ઋષિ કપૂર, રાજીવ કપૂર, રિતુ નંદા અને રીમા જૈન.  શમ્મી કપૂરે બે વાર લગ્ન કર્યા. ગીતા બાલી સાથે પ્રથમ લગ્ન, જેનાથી તેમને બે બાળકો આદિત્ય રાજ ​​કપૂર અને કંચન કપૂર હતા. ગીતાના મૃત્યુ પછી, તેમણે નીલા દેવી સાથે બીજી વાર લગ્ન કર્યા, જેમનાથી તેમને કોઈ સંતાન નહોતું. શશિ કપૂરે જેનિફર કેન્ડલ સાથે લગ્ન કર્યા, જેમને ત્રણ બાળકો હતા  કુણાલ કપૂર, કરણ કપૂર અને પુત્રી સંજના.

ત્યારબાદ કપૂર પરિવાર આગળ વધ્યો. રાજ કપૂરે કૃષ્ણા રાજ સાથે લગ્ન કર્યા છે. તેમને પાંચ બાળકો હતા રણધીર કપૂર, ઋષિ કપૂર, રાજીવ કપૂર, રિતુ નંદા અને રીમા જૈન. શમ્મી કપૂરે બે વાર લગ્ન કર્યા. ગીતા બાલી સાથે પ્રથમ લગ્ન, જેનાથી તેમને બે બાળકો આદિત્ય રાજ ​​કપૂર અને કંચન કપૂર હતા. ગીતાના મૃત્યુ પછી, તેમણે નીલા દેવી સાથે બીજી વાર લગ્ન કર્યા, જેમનાથી તેમને કોઈ સંતાન નહોતું. શશિ કપૂરે જેનિફર કેન્ડલ સાથે લગ્ન કર્યા, જેમને ત્રણ બાળકો હતા કુણાલ કપૂર, કરણ કપૂર અને પુત્રી સંજના.

5 / 6
આ પછી ત્રીજી પેઢીમાં રણધીર કપૂર અને ઋષિ કપૂરે બોલિવૂડ પર રાજ કર્યું. ઋષિ કપૂર પર છોકરીઓ પાગલ હતી. જો કે રણધીર કપૂર અને રાજીવ કપૂરને એટલી સફળતા મળી ન હતી જેટલી ઋષિ કપૂરને મળી હતી. રણધીર કપુરે બબીતા કપુર સાથે લગ્ન કર્યા હતા. તેને 2 પુત્રીઓ છે કરીના કપુર અને કરિશ્મા કપુર, ઋષિ કપુરે નીતુ સિંહ સાથે લગ્ન કર્યા તેમને પણ 2 બાળકો છે રિદ્ધિમા કપુર અને રણબીર કપુર છે. રણબીર કપુરના લગ્ન અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે થયા છે. બંન્ને એક પુત્રીના માતા-પિતા પણ છે.

આ પછી ત્રીજી પેઢીમાં રણધીર કપૂર અને ઋષિ કપૂરે બોલિવૂડ પર રાજ કર્યું. ઋષિ કપૂર પર છોકરીઓ પાગલ હતી. જો કે રણધીર કપૂર અને રાજીવ કપૂરને એટલી સફળતા મળી ન હતી જેટલી ઋષિ કપૂરને મળી હતી. રણધીર કપુરે બબીતા કપુર સાથે લગ્ન કર્યા હતા. તેને 2 પુત્રીઓ છે કરીના કપુર અને કરિશ્મા કપુર, ઋષિ કપુરે નીતુ સિંહ સાથે લગ્ન કર્યા તેમને પણ 2 બાળકો છે રિદ્ધિમા કપુર અને રણબીર કપુર છે. રણબીર કપુરના લગ્ન અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે થયા છે. બંન્ને એક પુત્રીના માતા-પિતા પણ છે.

6 / 6

 

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">