AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહાશિવરાત્રીના દિવસે કરવામાં આવી ‘મોટી આગાહી’… સોના-ચાંદીમાં ‘તોફાન’ આવવાના સંકેત, રોકાણકારો માટે છેલ્લો મોકો કે પછી?

મહાશિવરાત્રીના પવિત્ર દિવસે સોના-ચાંદીના બજારમાં એક મોટો ખુલાસો થયો છે, જેણે રોકાણકારોની ઊંઘ ઉડાડી દીધી છે. એવામાં સવાલ એ છે કે, શું ગોલ્ડ-સિલ્વર જેવી કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાનો આ 'છેલ્લો મોકો' છે?

| Updated on: Feb 15, 2026 | 10:44 AM
Share
મહાશિવરાત્રીના દિવસે એટલે કે આજે સોના અને ચાંદીની ચમક સ્થિર રહી છે. સતત બે દિવસના ઘટાડા બાદ એક દિવસ સોનાની ચમક વધી હતી પરંતુ આજે આ ઉતાર-ચઢાવ પર બ્રેક લાગી ગઈ છે. આ પહેલા સતત ત્રણ દિવસમાં રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹1850 અને 22 કેરેટ સોનાના ભાવમાં ₹1700નો ઘટાડો થયો હતો. હવે ચાંદીની વાત કરીએ તો, તેની ચમક પણ આજે સ્થિર છે પરંતુ આ પહેલા સતત બે દિવસ તેની ચમક ફીકી પડી હતી.

મહાશિવરાત્રીના દિવસે એટલે કે આજે સોના અને ચાંદીની ચમક સ્થિર રહી છે. સતત બે દિવસના ઘટાડા બાદ એક દિવસ સોનાની ચમક વધી હતી પરંતુ આજે આ ઉતાર-ચઢાવ પર બ્રેક લાગી ગઈ છે. આ પહેલા સતત ત્રણ દિવસમાં રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹1850 અને 22 કેરેટ સોનાના ભાવમાં ₹1700નો ઘટાડો થયો હતો. હવે ચાંદીની વાત કરીએ તો, તેની ચમક પણ આજે સ્થિર છે પરંતુ આ પહેલા સતત બે દિવસ તેની ચમક ફીકી પડી હતી.

1 / 6
અહીં ભારતના 10 મુખ્ય શહેરના સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ) મુજબ આપવામાં આવેલ છે. એવામાં ચેન્નાઈમાં સોનાના ભાવ સૌથી વધુ છે, જ્યાં 24 કેરેટનો ભાવ ₹1,58,840, 22 કેરેટનો ₹1,45,600 અને 18 કેરેટનો ₹1,24,500 છે. દિલ્હી, લખનઉ અને જયપુરમાં ભાવ એક સમાન છે, જ્યાં 24 કેરેટ સોનું ₹1,57,900 અને 22 કેરેટ સોનું ₹1,44,750 પર મળી રહ્યું છે. મુંબઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં પણ કિંમતો એકસરખી છે, જ્યાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,57,750 અને 22 કેરેટ સોનાનો ₹1,44,600 છે. બીજીબાજુ પટણા અને અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત ₹1,57,800 અને 22 કેરેટની કિંમત ₹1,44,650 નોંધવામાં આવી છે.

અહીં ભારતના 10 મુખ્ય શહેરના સોનાના ભાવ (પ્રતિ 10 ગ્રામ) મુજબ આપવામાં આવેલ છે. એવામાં ચેન્નાઈમાં સોનાના ભાવ સૌથી વધુ છે, જ્યાં 24 કેરેટનો ભાવ ₹1,58,840, 22 કેરેટનો ₹1,45,600 અને 18 કેરેટનો ₹1,24,500 છે. દિલ્હી, લખનઉ અને જયપુરમાં ભાવ એક સમાન છે, જ્યાં 24 કેરેટ સોનું ₹1,57,900 અને 22 કેરેટ સોનું ₹1,44,750 પર મળી રહ્યું છે. મુંબઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં પણ કિંમતો એકસરખી છે, જ્યાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,57,750 અને 22 કેરેટ સોનાનો ₹1,44,600 છે. બીજીબાજુ પટણા અને અમદાવાદમાં 24 કેરેટ સોનાની કિંમત ₹1,57,800 અને 22 કેરેટની કિંમત ₹1,44,650 નોંધવામાં આવી છે.

2 / 6
ચાંદીની વાત કરીએ તો, સતત બે દિવસના ઘટાડા બાદ આજે તેના ભાવ સ્થિર છે. બે દિવસમાં એક કિલો ચાંદી ₹20,000 સસ્તી થઈ છે. આજે 15 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ચાંદી ₹2,75,000 પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે. આજે તેના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. બાકીના મહત્વના મહાનગરોની વાત કરીએ તો, મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદી આ જ ભાવે વેચાઈ રહી છે. નોંધનીય છે કે, ચેન્નાઈમાં એક કિલો ચાંદીનો ભાવ ₹2.80 લાખ છે. ટૂંકમાં, ચારેય મહાનગરોમાં ચાંદી સૌથી વધુ ચેન્નાઈમાં જ ચમકી રહી છે.

ચાંદીની વાત કરીએ તો, સતત બે દિવસના ઘટાડા બાદ આજે તેના ભાવ સ્થિર છે. બે દિવસમાં એક કિલો ચાંદી ₹20,000 સસ્તી થઈ છે. આજે 15 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ચાંદી ₹2,75,000 પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે. આજે તેના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. બાકીના મહત્વના મહાનગરોની વાત કરીએ તો, મુંબઈ અને કોલકાતામાં પણ ચાંદી આ જ ભાવે વેચાઈ રહી છે. નોંધનીય છે કે, ચેન્નાઈમાં એક કિલો ચાંદીનો ભાવ ₹2.80 લાખ છે. ટૂંકમાં, ચારેય મહાનગરોમાં ચાંદી સૌથી વધુ ચેન્નાઈમાં જ ચમકી રહી છે.

3 / 6
ટેરિફ વોર અને જીઓ-પોલિટિકલ ટેન્શનની સાથે નરમ નાણાકીય નીતિઓની અપેક્ષાએ છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીની ચમકમાં ઝડપથી વધારો કર્યો છે. જો કે, મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં કોમોડિટી અને કરન્સી રિસર્ચના હેડ નવનીત દામાણીનું માનવું છે કે, ચાંદીમાં તાજેતરમાં જે તેજી જોવા મળી હતી, તે મોટેભાગે મોમેન્ટમ (વેગ) પર આધારિત હતી, મજબૂત ફંડામેન્ટલ્સ પર નહીં.

ટેરિફ વોર અને જીઓ-પોલિટિકલ ટેન્શનની સાથે નરમ નાણાકીય નીતિઓની અપેક્ષાએ છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીની ચમકમાં ઝડપથી વધારો કર્યો છે. જો કે, મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં કોમોડિટી અને કરન્સી રિસર્ચના હેડ નવનીત દામાણીનું માનવું છે કે, ચાંદીમાં તાજેતરમાં જે તેજી જોવા મળી હતી, તે મોટેભાગે મોમેન્ટમ (વેગ) પર આધારિત હતી, મજબૂત ફંડામેન્ટલ્સ પર નહીં.

4 / 6
તેમનું કહેવું છે કે, પ્રતિ ઔંસ $100 થી ઉપર જવા પર જ તેમાં તેજી આવી શકે છે. એકંદરે સિલ્વર એક મોટી રેન્જમાં રહેશે. નવનીત મુજબ, સારી સ્થિતિમાં તે પ્રતિ ઔંસ $95 અને નબળી સ્થિતિમાં $65 ના નીચલા સ્તર સુધી જોવા મળી શકે છે, એટલે કે ચાંદી હાલમાં એક નક્કી કરેલી રેન્જમાં જ ફરી શકે છે. નવનીતના મતે, સિલ્વરની માંગ સોલર સેક્ટર અને AI સાથે જોડાયેલા ઔદ્યોગિક ઉપયોગ પર નિર્ભર છે પરંતુ કિંમતોની અસલી દિશા ડોલરના ચાલ પર નિર્ભર રહેશે.

તેમનું કહેવું છે કે, પ્રતિ ઔંસ $100 થી ઉપર જવા પર જ તેમાં તેજી આવી શકે છે. એકંદરે સિલ્વર એક મોટી રેન્જમાં રહેશે. નવનીત મુજબ, સારી સ્થિતિમાં તે પ્રતિ ઔંસ $95 અને નબળી સ્થિતિમાં $65 ના નીચલા સ્તર સુધી જોવા મળી શકે છે, એટલે કે ચાંદી હાલમાં એક નક્કી કરેલી રેન્જમાં જ ફરી શકે છે. નવનીતના મતે, સિલ્વરની માંગ સોલર સેક્ટર અને AI સાથે જોડાયેલા ઔદ્યોગિક ઉપયોગ પર નિર્ભર છે પરંતુ કિંમતોની અસલી દિશા ડોલરના ચાલ પર નિર્ભર રહેશે.

5 / 6
બ્રોકરેજ ફર્મ એમકે વેલ્થ મેનેજમેન્ટે તેના લેટેસ્ટ નેવિગેટર મેગેઝિનમાં જણાવ્યું છે કે, સોના અને ચાંદીની વર્તમાન તેજી 3-5 વર્ષ સુધી જળવાઈ રહી શકે છે. વર્તમાન રોકાણકારોને એમકે વેલ્થે સલાહ આપી છે કે, ઘટાડા દરમિયાન રોકાણ ધીમે-ધીમે વધારતા રહો પરંતુ જો પોર્ટફોલિયોમાં સોના અને ચાંદીનો હિસ્સો મળીને કુલ અસેટ્સના 25–30% થી વધી જાય, તો એલોકેશનનું રિવ્યુ કરો. આ સિવાય નવા રોકાણકારોને સલાહ આપી છે કે, થોડું-થોડું રોકાણ કરો અને કુલ પોર્ટફોલિયોના લગભગ 5–10% સોના-ચાંદીમાં એલોકેટ કરવા જોઈએ.

બ્રોકરેજ ફર્મ એમકે વેલ્થ મેનેજમેન્ટે તેના લેટેસ્ટ નેવિગેટર મેગેઝિનમાં જણાવ્યું છે કે, સોના અને ચાંદીની વર્તમાન તેજી 3-5 વર્ષ સુધી જળવાઈ રહી શકે છે. વર્તમાન રોકાણકારોને એમકે વેલ્થે સલાહ આપી છે કે, ઘટાડા દરમિયાન રોકાણ ધીમે-ધીમે વધારતા રહો પરંતુ જો પોર્ટફોલિયોમાં સોના અને ચાંદીનો હિસ્સો મળીને કુલ અસેટ્સના 25–30% થી વધી જાય, તો એલોકેશનનું રિવ્યુ કરો. આ સિવાય નવા રોકાણકારોને સલાહ આપી છે કે, થોડું-થોડું રોકાણ કરો અને કુલ પોર્ટફોલિયોના લગભગ 5–10% સોના-ચાંદીમાં એલોકેટ કરવા જોઈએ.

6 / 6

આ પણ વાંચો: ચીને રાતોરાત બદલી નાખી રમત! ડ્રેગને મોટો ‘ખેલ’ ખેલ્યો, કરોડો રોકાણકારોના ‘શ્વાસ અધ્ધર’ થયા

g clip-path="url(#clip0_868_265)">