ક્રિકેટ જગતના આ ‘5 મોટા ચહેરા’, જે વર્ષ 2026માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે
વર્ષ 2025 માં ક્રિકેટ જગતમાં ચેમ્પિયન્સ ટ્રોફી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને મહિલા ODI વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ યોજાઈ હતી. એવામાં ઘણા ક્રિકેટરોએ વર્ષ 2025 રેકોર્ડ બનાવ્યા છે પરંતુ તેની સાથે ઘણા દિગ્ગજોએ ક્રિકેટની રમતને અલવિદા કહી દીધું છે.

વર્ષ 2025 માં વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે, જ્યારે સ્ટીવ સ્મિથે વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જો કે, વર્ષ 2026માં પણ આ 5 ખેલાડીઓ નિવૃત્ત થઈ શકે છે.

સૂર્યકુમાર યાદવે વર્ષ 2021 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને થોડા વર્ષોમાં તે T20 ટીમનો કેપ્ટન બની ગયો. સૂર્યકુમાર T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતો જોવા મળશે પરંતુ સૂર્યકુમાર યાદવનું ખરાબ ફોર્મ તેની કારકિર્દીને ડૂબાડી શકે છે. સૂર્યકુમાર યાદવ છેલ્લી 25 T20 મેચમાં માત્ર 244 રન જ બનાવી શક્યો છે. જો સૂર્યકુમાર આ ખરાબ ફોર્મમાંથી બહાર નહીં આવે તો તેની કારકિર્દીનો અંત વધુ દૂર હોય તેમ લાગતું નથી.

37 વર્ષીય ગ્લેન મેક્સવેલે ODI ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. મેક્સવેલ વર્ષ 2017 પછી ટેસ્ટ મેચ રમ્યો નથી અને હાલમાં તે માત્ર T20 ફોર્મેટમાં જ એક્ટિવ છે. એવામાં શક્યતા છે કે, T20 વર્લ્ડ કપ 2026 મેક્સવેલની છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હોઈ શકે છે, કારણ કે તે બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ વર્ષ 2028 માટે નવી ટીમ તૈયાર કરવા માંગશે.

ડેવિડ મિલર વર્ષ 2010 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. મિલરે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 7 હજારથી વધુ રન બનાવ્યા છે. જો કે, મિલરનું '2024 T20 વર્લ્ડ કપ' જીતવાનું સપનું અધૂરું રહ્યું હતું. એવામાં તે વર્ષ 2026માં પોતાના દેશ માટે વર્લ્ડ કપ જીતવાનો છેલ્લો પ્રયાસ કરી શકે છે.

ગયા વર્ષે અફઘાનિસ્તાનના અનુભવી ખેલાડી મોહમ્મદ નબીએ કહ્યું હતું કે, ચેમ્પિયન્સ ટ્રોફી 50 ઓવરના ફોર્મેટમાં તેની છેલ્લી મોટી ટૂર્નામેન્ટ હશે. નબીએ વધુમાં કહ્યું કે, ત્યારબાદ તે કદાચ વધુ એક વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે. હવે આ નિવેદનના આધારે, નબી છેલ્લી વખત T20 વર્લ્ડ કપ 2026 માં અફઘાનિસ્તાનની જર્સીમાં જોવા મળી શકે છે.

અજિંક્ય રહાણે જુલાઈ 2023 પછી ભારતીય ટીમ માટે કોઈ મેચ રમ્યો નથી. રહાણે ભારતીય ટેસ્ટ ટીમમાં ઘણો એક્ટિવ છે પરંતુ છેલ્લા કેટલાંક વર્ષોથી તેને ટેસ્ટમાં સ્થાન મળી રહ્યું નથી. ટૂંકમાં કહીએ તો, તે IPL માં કોલકાતા તરફથી રમતો જોવા મળશે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે તેનું કમબેક હવે મુશ્કેલ લાગી રહ્યું છે. આનું મુખ્ય કારણ એ જ છે કે, ગૌતમ ગંભીરની આગેવાની હેઠળનું મેનેજમેન્ટ યુવાનોને વધુ તક આપી રહ્યું છે.
વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો
