AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્ષત્રિય સમાજ સામે થયેલા કેસ પરત લેવા મામલે હવે રાજનીતિ થઈ તેજ, હવે કોળી સમાજ સામે થયેલા કેસ પરત લેવાની ઉઠી માગ

ક્ષત્રિય યુવાઓ સામેના કેસ પરત ખેંચાતા કોળી સમાજ પણ મેદાને આવ્યો છે. પૂર્વ MLA ઋત્વીક મકવાણાએ પણ સમાજ સામે થયેલા કેસ પરત ખેંચવા માગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2026 | 9:32 PM
Share

રાજ્યમાં ક્ષત્રિય યુવાઓ સામેના કેસ પરત ખેંચાયા બાદ રાજનીતિ તેજ થઈ છે. પદ્માવતનો વિરોધ કરવા ઉતરેલા યુવાઓએ હિંસક વિરોધ કરતા તેમની સામે કેસ કરવામાં આવ્યા હતા. આ કેસ પરત લેવા માટે સરકાર સમક્ષ ઉત્તર ગુજરાતની 50 કરતા વધુ સામાજિક સંસ્થાઓએ રજૂઆત કરી હતી. જે બાદ તેમની સામે થયેલા તમામ કેસ પરત લેવામાં આવ્યા છે. ત્યારે હવે કોળી સમાજ પણ મેદાને આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય અને કોળી આગેવાન ઋત્વિક મકવાણા માગ કરી છે કે સરકાર કોળી સમાજ સામે થયેલા કેસ પણ પરત લે. તેમની રજૂઆત છે કે પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચાયા ત્યારે પણ અમે આ માંગ કરી હતી, ક્ષત્રિય સમાજના યુવાઓ સામે કેસ પરત ખેંચાયા તેની ખુશી છે, પરંતુ અન્ય સમાજ સાથે કોળી સમાજ પરના કેસો પણ પરત ખેંચો. તેમણે કહયુ LRD આંદોલન, નિરમા સામેના આંદોલનના કેસ પણ પરત ખેંચાવા જોઈએ. વિંછીયામાં કોળી સમાજ પર થયેલા કેસો પરત ખેંચવા ઋત્વિક મકવાણાએ માગ કરી છે.

આપને જણાવી દઈએ કે પદ્માવત ફિલ્મમાં ક્ષત્રિયોનાં ચિત્રણને લઇને થયો હતો ઉગ્ર વિરોધ થયો હતો અને અમદાવાદમાં પણ ક્ષત્રિય યુવાનોના કેટલાક ટોળાએ મોલમાં ફિલ્મ રિલિજ ન થવા મામલે તોડફોડ કરી હતી અને મોલની બહાર વાહનોને આગચંપી પણ કરી હતી. જેને લઈને હિંસક વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાઓ ઉપર અનેક પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતના મહુડી, વિજાપુર પોલીસ સ્ટેશનમાં પણ અનેક કેસ નોંધાયા હતા. આ તમામ કેસ સરકારે પરત ખેંચવા માટે સરકારે તૈયારી બતાવી છે.

આ થયેલા પોલીસ કેસો પાછા ખેંચવા માટે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ અને ભાજપના ગુજરાત પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ શ્રી રાજપૂત કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેનાના પ્રમુખ વિજયસિંહ ચાવડા , રાજપૂત વિદ્યાસભાના અશ્વિનસિંહ સરવૈયા , કિરપાલસિંહ ચાવડા સહીત એક હજાર કરતા વધુ આગેવાનોએ ધારાસભ્ય સી. જે. ચાવડા સહીત CM ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી

લાલા…રિસ્ક હૈ તો ઈશ્ક હૈ! એફડી નહીં હવે શેર બજારમાં વધુ રોકાણ કરી રહ્યા છે ભારતીયો- વાંચી લો RBI નો આ રિપોર્ટ

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">