AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ- ગાંધીનગરના કર્મચારીઓ અને સચિવાલયમાં કામકાજ માટે આવતા નાગરિકો માટે 70 નવી ST બસનું કરાયુ લોકાર્પણ- જુઓ Photos

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પોઈન્ટ સેવાની 70 નવી ST બસનું લોકાર્પણ કર્યુ. રોજના 5000 કર્મચારીઓ આ બસ સેવાનો લાભ લેશે. એટલુ જ નહીં પોતાના કામકાજ કે રજૂઆત માટે સચિવાલયમાં આવતા રાજ્યભરના સામાન્ય નાગરિકોને પણ આ પરિવહન સેવા સરળતાથી મળી રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2024 | 9:23 PM
Share
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સેવામાં મુકાયેલી 70 નવી એસ.ટી. બસોનું લોકાર્પણ કર્યુ. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યમંત્રીમંડળના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સેવામાં મુકાયેલી 70 નવી એસ.ટી. બસોનું લોકાર્પણ કર્યુ. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યમંત્રીમંડળના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

1 / 8
અમદાવાદ- ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત 5000થી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઈન્ટ સેવામાં નવી 70 ST બસની સુવિધા મળશે.

અમદાવાદ- ગાંધીનગરની વિવિધ કચેરીઓમાં કાર્યરત 5000થી વધુ કર્મયોગીઓને સચિવાલય પોઈન્ટ સેવામાં નવી 70 ST બસની સુવિધા મળશે.

2 / 8
આ સચિવાલય પોઈન્ટ સેવા ઉપરાંત ગુજરાત એસટી નિગમ દૈનિક 8 હજારથી વધુ બસોના કાફલા સાથે 33 લાખ કિલોમીટરનું સંચાલન કરે છે તથા 25 લાખથી વધુ મુસાફરોને સલામતી, સુરક્ષિતતા અને સમયબદ્ધતા સાથે તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા-આવવાની સેવાઓ પૂરી પાડે છે.

આ સચિવાલય પોઈન્ટ સેવા ઉપરાંત ગુજરાત એસટી નિગમ દૈનિક 8 હજારથી વધુ બસોના કાફલા સાથે 33 લાખ કિલોમીટરનું સંચાલન કરે છે તથા 25 લાખથી વધુ મુસાફરોને સલામતી, સુરક્ષિતતા અને સમયબદ્ધતા સાથે તેમના ગંતવ્ય સ્થાન સુધી જવા-આવવાની સેવાઓ પૂરી પાડે છે.

3 / 8
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર મુસાફરોને વધુ સહુલિયત આપવાના અભિગમ સાથે પ્રતિ વર્ષ નવી બસોની ખરીદી માટે એસ.ટી. નિગમને નાણાંકીય સહાય પૂરી પાડે છે. 2022-23 અને 2023-24ના બજેટમાં કરાયેલી જોગવાઈ મુજબ સુપર એક્સપ્રેસ, ગુર્જર નગરી અને સ્લીપર કોચ મળી કુલ 2,812 નવા વાહનો પેસેન્‍જર સેવા માટે સંચાલનમાં મૂકવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર મુસાફરોને વધુ સહુલિયત આપવાના અભિગમ સાથે પ્રતિ વર્ષ નવી બસોની ખરીદી માટે એસ.ટી. નિગમને નાણાંકીય સહાય પૂરી પાડે છે. 2022-23 અને 2023-24ના બજેટમાં કરાયેલી જોગવાઈ મુજબ સુપર એક્સપ્રેસ, ગુર્જર નગરી અને સ્લીપર કોચ મળી કુલ 2,812 નવા વાહનો પેસેન્‍જર સેવા માટે સંચાલનમાં મૂકવામાં આવશે.

4 / 8
 નવી બસો પૈકી રૂ. 26 કરોડના ખર્ચે 70 બસો સચિવાલય પોઈન્ટ સેવા માટે શરૂ કરવામાં આવી છે, તેનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

નવી બસો પૈકી રૂ. 26 કરોડના ખર્ચે 70 બસો સચિવાલય પોઈન્ટ સેવા માટે શરૂ કરવામાં આવી છે, તેનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યુ હતુ.

5 / 8
વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશનમાં એસ.ટી. નિગમે છેલ્લા 14 મહિનામાં1520 નવીન બસો પ્રજાની સેવામાં મૂકી છે. આગામી સમયમાં આવી વધુ નવી બસ સેવાઓ મુસાફરોની સુવિધા માટે સેવામાં મૂકવાનું આયોજન પણ એસ.ટી. નિગમે હાથ ધર્યું છે.

વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશનમાં એસ.ટી. નિગમે છેલ્લા 14 મહિનામાં1520 નવીન બસો પ્રજાની સેવામાં મૂકી છે. આગામી સમયમાં આવી વધુ નવી બસ સેવાઓ મુસાફરોની સુવિધા માટે સેવામાં મૂકવાનું આયોજન પણ એસ.ટી. નિગમે હાથ ધર્યું છે.

6 / 8
વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશનમાં એસ.ટી. નિગમે છેલ્લા 14 મહિનામાં1520 નવીન બસો પ્રજાની સેવામાં મૂકી છે. આગામી સમયમાં આવી વધુ નવી બસ સેવાઓ મુસાફરોની સુવિધા માટે સેવામાં મૂકવાનું આયોજન પણ એસ.ટી. નિગમે હાથ ધર્યું છે.

વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીના દિશા નિર્દેશનમાં એસ.ટી. નિગમે છેલ્લા 14 મહિનામાં1520 નવીન બસો પ્રજાની સેવામાં મૂકી છે. આગામી સમયમાં આવી વધુ નવી બસ સેવાઓ મુસાફરોની સુવિધા માટે સેવામાં મૂકવાનું આયોજન પણ એસ.ટી. નિગમે હાથ ધર્યું છે.

7 / 8
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પોઇન્ટ સેવાની આ 70 નવી બસોને ફ્લેગ ઓફ કરાવ્યું તે સમયે વાહનવ્યવહારના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, એસ.ટી. નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક અશોક શર્મા તેમજ વરિષ્ઠ અધિકારીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ અને કર્મયોગીઓ પણ સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય પોઇન્ટ સેવાની આ 70 નવી બસોને ફ્લેગ ઓફ કરાવ્યું તે સમયે વાહનવ્યવહારના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, એસ.ટી. નિગમના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક અશોક શર્મા તેમજ વરિષ્ઠ અધિકારીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ અને કર્મયોગીઓ પણ સહભાગી થયા હતા.

8 / 8
g clip-path="url(#clip0_868_265)">