કુમુદિની લાખિયા , તુષાર શુક્લ સહિત ગુજરાતના 8 રત્નોને પદ્મ સન્માન
પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ કુલ 139 પદ્મ એવોર્ડ, 2 કિર્તી ચક્ર તેમજ 14 શૌર્ય ચક્રની જાહેરાત કરી છે. 7 પદ્મવિભૂષણ, 19 પદ્મભૂષણ તેમજ 113 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતના 8 લોકોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

કુમુદિની લાખિયા કલા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન માટે પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ગુજરાતના પંકજ પટેલને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ચંદ્રકાંત શેઠને મરણોત્તર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. ચંદ્રકાંત શેઠને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન આપવા માટે એવોર્ડ આપવામાં આવ્યો છે.

ગુજરાતના ચંદ્રકાંત સોમપુરાને સ્થાપત્ય ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન માટે પદ્મશ્રી સન્માનિત કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરના પરમાર લવજીભાઈ નાગજીભાઈને તેમના કલા ક્ષેત્રે તેમના યોગદાન બદલ એનાયત કરવામાં આવ્યો છે. 700 વર્ષ જૂની ટાંગલીયા કળાને ટકાવી રાખવા બદલ સન્માન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિએ જાહેર કુલ 113 પદ્મ એવોર્ડમાંથી એક પદ્મશ્રી એવોર્ડ ગુજરાતના રતન કુમાર પરીમુને કલા ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

સુરેશ હરિલાલ સોનીને સમાજ સેવા ક્ષેત્રે તેમના ઉમદા કાર્ય માટે પદ્મશ્રી સન્માનિત કરવામાં આવ્યા છે.

તુષાર દુર્ગેશભાઈ શુક્લાને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મશ્રી એનાયત કરાયો છે.
