પદ્મ વિભૂષણ
પદ્મ પુરસ્કારો દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર જાહેર કરવામાં આવે છે. ભારત રત્ન પછી આ પુરસ્કારનો બીજો નંબર આવે છે.
પદ્મ વિભૂષણ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. તે એવા નાગરિકોને આપવામાં આવે છે જેઓ દેશ માટે મૂલ્યવાન યોગદાન આપે છે. આ સન્માન દેશના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. જો આ એવોર્ડ મેળવ્યા પછી તેનો દુરુપયોગ થાય છે તો આ એવોર્ડ જપ્ત પણ કરવામાં આવે છે.
પદ્મ પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે “પદ્મ વિભૂષણ”; ઉત્કૃષ્ટ સેવા માટે “પદ્મ ભૂષણ” અને કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ સેવા માટે “પદ્મશ્રી” આપવામાં આવે છે. પદ્મ વિભૂષણમાં કોઈ રોકડ રકમ આપવામાં આવતી નથી. તે માત્ર એક ઇનામના ભાગ રુપે આપવામાં આવે છે.
પદ્મ વિભૂષણ એવોર્ડમાં રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર કરાયેલા પ્રમાણપત્ર અને મેડલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક પ્રતિકૃતિ પણ આપવામાં આવે છે. જે કોઈપણ રાજ્યના કાર્યો વગેરેમાં પણ પહેરી શકાય છે. આવી વ્યક્તિને જ આ એવોર્ડ આપવામાં આવે છે. જેમણે દેશ માટે સારું કામ કર્યું છે. પદ્મ ભૂષણ દેશના કોઈપણ નાગરિકને ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. જ્યારે પદ્મ વિભૂષણ સામાન્ય અને વિશેષ સેવા માટે આપવામાં આવે છે.
Breaking News : 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 25 મેના રોજ એવોર્ડ આપશે
Padma Awards 2026 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આ મહિનાની 25મી તારીખે રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કારો રજૂ કરશે, જેમાં કુલ 131 લોકોને સન્માનિત કરવામાં આવશે. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ વ્યક્તિઓને પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એનાયત કરવામાં આવશે.
- Nirupa Duva
- Updated on: May 18, 2026
- 8:56 am
Padma Awards 2026: પદ્મ પુરસ્કારોનું નામ પદ્મ કેમ રાખવામાં આવ્યું છે? તેની પાછળનો આધ્યાત્મિક અર્થ જાણો
પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, જ્યારે દેશના નાયકોના નામ જાહેર કરવામાં આવે છે, ત્યારે પદ્મ શબ્દ ગુંજતો રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પ્રતિષ્ઠિત પુરસ્કારોનું નામ પદ્મ કેમ રાખવામાં આવ્યું છે?
- Meera Kansagara
- Updated on: Jan 26, 2026
- 11:27 am
Breaking News : દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર સિંહ દેઓલને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા
પદ્મ પુરસ્કારોની જાહેરાત થઈ ચૂકી છે. આ વર્ષે દેશભરમાંથી 131 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે. નામોની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2026 માટે પાંચ પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે.
- Nirupa Duva
- Updated on: Jan 26, 2026
- 11:03 am