
પદ્મ ભૂષણ
ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન છે. તે પછી ઉતરતા ક્રમમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી આવે છે. પહેલા તેને ત્રણ કેટેગરીમાં વહેંચવાની સિસ્ટમ બનાવવામાં આવી હતી પરંતુ વર્ષ 1955માં તેને પદ્મ શ્રી, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ નામ આપવામાં આવ્યું હતું. ત્યારથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પદ્મ ભૂષણ પુરસ્કાર ભારત સરકાર દ્વારા આપવામાં આવતો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે દેશ માટે મૂલ્યવાન યોગદાન માટે આપવામાં આવે છે.
કોઈપણ વ્યક્તિ આ સન્માન માટે અરજી કરી શકે છે. સરકાર દર વર્ષે આ માટે અરજીઓ મંગાવે છે. કોઈપણ જેને લાગે છે કે તેણે આપેલ ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કર્યું છે તે અરજી કરી શકે છે. ભારત સરકાર તમારી અરજીની તપાસ કરે છે. ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા તમારા નામની ભલામણ પણ કરી શકે છે. સાંસદ, ધારાસભ્ય, મંત્રી પણ યોગ્ય ચેનલ દ્વારા તમારા નામની ભલામણ કરી શકે છે. પરંતુ, અંતિમ નિર્ણય ભારત સરકાર દ્વારા રચાયેલી સમિતિ દ્વારા લેવામાં આવે છે. તમામ અરજીઓની તપાસ કર્યા બાદ અંતિમ નિર્ણય આવે છે.
સુવિધાઓ : રાષ્ટ્રપતિ પદ્મ પુરસ્કાર મેળવનારી પ્રતિષ્ઠિત વ્યક્તિઓને મેડલ અને પ્રમાણપત્રો આપે છે. પ્રતિકૃતિ આપવાની પણ જોગવાઈ છે. આ નાગરિક સન્માન છે, પદવી નથી. નિયમો મુજબ, તેનો ઉપયોગ નામની આગળ કે પાછળ થઈ શકતો નથી. આ સન્માન સાથે કોઈ રોકડ રકમ આપવામાં આવતી નથી, ન તો રેલવે અથવા હવાઈ ભાડામાં કોઈપણ પ્રકારનું ડિસ્કાઉન્ટ અથવા અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ નથી.
ઝાયડસના પંકજ પટેલને મળ્યુ પદ્મ ભૂષણ સન્માન, જાણો તેમની પ્રેરણાદાયક સફર અને યોગદાન વિશે
ભારત સરકારે ઝાયડસ લાઇફસાયન્સના ચેરમેન પંકજ પટેલને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા છે. આ સન્માન તેમના ઉદ્યોગસાહસિકતા અને જીવન વિજ્ઞાન ક્ષેત્રે યોગદાન માટે છે. 27,000 થી વધુ લોકો સાથે, ઝાયડસ ભારતને આત્મનિર્ભર બનાવવા અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે કાર્ય કરે છે. પટેલે તેમની સફળતાનો શ્રેય તેમના પિતા અને ટીમને આપ્યો છે.
- Sagar Solanki
- Updated on: Jan 26, 2025
- 9:24 pm
કુમુદિની લાખિયા , તુષાર શુક્લ સહિત ગુજરાતના 8 રત્નોને પદ્મ સન્માન
પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ કુલ 139 પદ્મ એવોર્ડ, 2 કિર્તી ચક્ર તેમજ 14 શૌર્ય ચક્રની જાહેરાત કરી છે. 7 પદ્મવિભૂષણ, 19 પદ્મભૂષણ તેમજ 113 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. જેમાં ગુજરાતના 8 લોકોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
- Disha Thakar
- Updated on: Jan 26, 2025
- 8:55 am
પદ્મ એવોર્ડથી સન્માનિત લોકોને સરકાર કઈ સુવિધાઓ પૂરી પાડે છે? શું ઈનામમાં રુપિયા પણ મળે છે?
પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) ની પૂર્વસંધ્યાએ વર્ષ 2025 માટે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. માહિતી અનુસાર આ માટે દેશભરમાંથી કુલ 139 સેલિબ્રિટીઓની પસંદગી કરવામાં આવી છે. આ યાદીમાં 7 લોકોને પદ્મ વિભૂષણ, 19 લોકોને પદ્મ ભૂષણ અને 113 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેમાં 30 અજાણ્યા હીરોને પણ સ્થાન મળ્યું છે.
- Meera Kansagara
- Updated on: Jan 26, 2025
- 7:42 am
Padma Award : રાષ્ટ્રપતિ મુર્મૂએ વેંકૈયા નાયડુ, ડો. તેજસ પટેલ, મિથુન ચક્રવર્તી સહિતનાઓને પદ્મ પુરસ્કાર કર્યો અર્પણ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સોમવારે પદ્મ પુરસ્કારો માટે પસંદ કરાયેલી હસ્તીઓને એવોર્ડ આપ્યા હતા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, અભિનેતા મિથુન ચક્રવર્તી, ગાયિકા ઉષા ઉથુપ, ભજન-ગાયક કાલુરામ બામણિયા, જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડોકટર તેજસ મધુસુદન પટેલ, બાંગ્લાદેશી ગાયિકા રેઝવાના ચૌધરી સહીતની હસ્તીઓએ એવોર્ડ મેળવ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Apr 22, 2024
- 9:39 pm