Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Navy Day 2024 : 26 રાફેલ-M, 3 સ્કોર્પિન સબમરીન, 96 જહાજો… આગામી 10 વર્ષમાં ભારતીય નૌકાદળ કેટલી મજબૂત હશે?

Navy Day Special : ભારતીય નેવી નેવી ડે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. નૌકાદળ દિવસની ઉજવણીની તૈયારીઓ વિશે માહિતી આપતા નૌકાદળના વડાએ કહ્યું છે કે, આગામી 10 વર્ષમાં નૌકાદળને વધુ મજબૂત કરવા માટે 26 રાફેલ-M ફાઇટર એરક્રાફ્ટ, 3 સ્કોર્પિન સબમરીન અને 96 નવા જહાજોને સામેલ કરવામાં આવશે.

Indian Navy Day 2024 : 26 રાફેલ-M, 3 સ્કોર્પિન સબમરીન, 96 જહાજો… આગામી 10 વર્ષમાં ભારતીય નૌકાદળ કેટલી મજબૂત હશે?
Indian Navy Day 2024
Follow Us:
| Updated on: Dec 04, 2024 | 7:32 AM

ભારતીય નૌકાદળ દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય નૌકાદળના ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’ની અદભૂત સફળતાને યાદ કરે છે. આ દિવસ પાકિસ્તાન પર ભારતીય નૌકાદળની ઐતિહાસિક જીત અને દેશની દરિયાઈ શક્તિના મહત્વને દર્શાવે છે.

કહેવાય છે કે, “કોઈપણ દેશની સમૃદ્ધિનો માર્ગ સમુદ્રમાંથી પસાર થાય છે.” આ જ કારણ છે કે નૌકાદળની તાકાત વધારવા માટે દુનિયાભરમાં દોડધામ ચાલી રહી છે. ભારતીય નેવી પણ આ રેસમાં પાછળ નથી. તે પહેલેથી જ વિશ્વની સૌથી શક્તિશાળી નૌકાદળમાંની એક માનવામાં આવે છે અને આગામી વર્ષોમાં તેને વધુ અજેય બનાવવા માટે કામ ચાલી રહ્યું છે.

સરકાર નૌકાદળમાં આધુનિક યુદ્ધ જહાજો, અત્યાધુનિક સબમરીન અને એરક્રાફ્ટ કેરિયરનો સમાવેશ કરવાની યોજના બનાવી રહી છે. આગામી 10 વર્ષમાં 26 રાફેલ-એમ ફાઇટર એરક્રાફ્ટ, 3 સ્કોર્પિન સબમરીન અને 96 નવા જહાજો ભારતીય નૌકાદળનો ભાગ બનશે. તો ચાલો જાણીએ આવનારા દાયકામાં ભારતીય નૌસેના કેટલી મજબૂત અને અભેદ્ય બનવા જઈ રહી છે?

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો
એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો
શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો
Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!
સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?

ઓડિશાના પુરીમાં નેવી તાકાત બતાવશે

ઓડિશાના પુરીમાં નેવી ડેની ઉજવણી કરવામાં આવશે. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ભાગ લેશે. આ કાર્યક્રમમાં ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ, સબમરીન, જહાજો અને હેલિકોપ્ટર પુરી બ્લુ બીચના કિનારે તેમની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. 15થી વધુ જહાજો, 40 થી વધુ એરક્રાફ્ટ, ઘણા હેલિકોપ્ટર, સબમરીન અને ડ્રોન તેમની શક્તિનું પ્રદર્શન કરશે. આ પછી લેસર અને ડ્રોન શો પણ થશે.

ભારતીય નૌકાદળ કેટલી મજબૂત છે?

ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ 2024 અનુસાર ભારતીય નૌકાદળ વિશ્વના 145 દેશોની યાદીમાં 8મા સ્થાને છે. તો પાડોશી દેશ પાકિસ્તાન 32મા સ્થાને છે. જો કે આ યાદીમાં રશિયા પછી ચીન બીજા સ્થાને છે. પરંતુ ભારતીય નૌકાદળ ડ્રેગનનો સામનો કરવા માટે મોટી તૈયારીઓ કરી રહી છે.

હાલમાં ભારતીય નૌકાદળ પાસે બે ઓપરેશનલ એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત છે. ભારતીય નૌકાદળના વિનાશક યુદ્ધ જહાજોની સંખ્યા 12 છે. જ્યારે ભારતીય નૌકાદળ પાસે 18 સબમરીન છે. તેમાંથી 3 સબમરીન પરમાણુ મિસાઇલ ફાયર કરવામાં સક્ષમ છે – INS અરિહંત, INS અરિઘાટ અથવા S-3 અને S4.

INS અરિહંતને જુલાઈ 2009માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તે 700 કિલોમીટર દૂર સુધીના લક્ષ્યાંકોને હિટ કરી શકે છે. INS અરિઘાટ 2017માં નેવીમાં જોડાઈ હતી. તે 700 કિલોમીટર દૂર સુધીના લક્ષ્યો પર પણ હુમલો કરી શકે છે. S4 નવેમ્બર 2021માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેની લક્ષ્ય શ્રેણી પણ INS અરિઘાટ અને INS અરિહંત જેવી જ છે.

10 વર્ષની બ્લૂ પ્રિન્ટ તૈયાર

નેવી ચીફ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠીનું કહેવું છે કે ભારતીય નૌકાદળને વધુ મજબૂત કરવા માટે 10 વર્ષની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. તેમના મતે ફ્રાન્સ સાથે નેવી વેરિઅન્ટમાં 26 રાફેલ-એમ માટેનો સોદો ફાઈનલ થવાનો છે. ગયા વર્ષે એટલે કે જુલાઈ 2023માં સંરક્ષણ મંત્રાલયે ફ્રાન્સ પાસેથી રાફેલ-એમ જેટ ખરીદવાની મંજૂરી આપી હતી. જેને સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે.

આ સાથે 3 સ્કોર્પિયન સબમરીન માટે ડીલ પર પણ વાતચીત અંતિમ તબક્કામાં છે. જેની પુષ્ટિ જાન્યુઆરી 2025 સુધીમાં થવાની શક્યતા છે. એટલું જ નહીં ભારતીય નૌકાદળમાં 96 જહાજ અને સબમરીનનો સમાવેશ કરવામાં આવશે. 62 જહાજ અને એક સબમરીન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ડિસેમ્બર 2025 સુધી દર મહિને એક જહાજ નેવલ ફ્લીટમાં સામેલ કરવામાં આવશે.

પ્રથમ સ્વદેશી સબમરીન પણ તૈનાત કરવામાં આવશે

જાણકારી અનુસાર સ્વદેશી પરમાણુ સંચાલિત સબમરીન 2036 સુધીમાં તૈનાત કરવામાં આવશે. ભારતમાં બનેલી આ પહેલી ન્યુક્લિયર પાવર્ડ સબમરીન હશે. તેના બાંધકામની મંજૂરી 2 મહિના પહેલા જ સરકાર તરફથી મળી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એકવાર આ પહેલી સબમરીન કાર્યરત થઈ જશે તો બીજી સબમરીન પણ બે વર્ષમાં કાર્યરત થઈ જશે. ભારતીય નૌકાદળ આવી 6 સબમરીન બનાવશે.

પરમાણુ સંચાલિત સબમરીનની એક વિશેષતા એ છે કે તે લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકે છે. ભારતમાં હાલમાં ડીઝલ ઈલેક્ટ્રીક અને ડીઝલ સેમ્બ્રીન છે. ડીઝલ-ઇલેક્ટ્રિક સબમરીનને બેટરી ચાર્જ કરવા માટે દિવસમાં ઓછામાં ઓછું એક વખત સપાટી પર આવવું પડે છે. આ સમયગાળા દરમિયાન સબમરીન પર હુમલાનો ભય રહે છે.

સ્વામીનારાયણનો વધુ એક હરીભક્તે ગંગા નદી અંગે આપ્યુ વિવાદી નિવેદન
સ્વામીનારાયણનો વધુ એક હરીભક્તે ગંગા નદી અંગે આપ્યુ વિવાદી નિવેદન
અમરેલીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમના ચક્કરમાં હાથમાં માર્યા કાપા
અમરેલીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગેમના ચક્કરમાં હાથમાં માર્યા કાપા
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
g clip-path="url(#clip0_868_265)">