ગુજરાતની જેમ મહારાષ્ટ્રની શાળાઓના અભ્યાસક્રમમાં પણ ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવે, ભાજપે કરી માંગણી

ભાજપની આધ્યાત્મિક પાંખના વડા તુષાર ભોસલેએ ભગવદ ગીતાને શાળાઓમાં ભણાવવાની માગણી કરતાં કહ્યું છે કે ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક પુસ્તક નથી, પરંતુ જીવન જીવવાની રીત છે.

ગુજરાતની જેમ મહારાષ્ટ્રની શાળાઓના અભ્યાસક્રમમાં પણ ભગવદ ગીતાનો સમાવેશ કરવામાં આવે, ભાજપે કરી માંગણી
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 5:31 PM

ગુજરાત સરકારે (Gujarat Government) રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવત ગીતા (Bhagavad Gita)નો સાર શીખવવાનું નક્કી કર્યું છે. ગુજરાતની નવી શિક્ષણ નીતિ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ જાહેરાત કરી છે. આ નિર્ણય શૈક્ષણિક વર્ષ 2022-23થી લાગુ કરવામાં આવશે. ગુજરાત સરકારનો આ નિર્ણય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તમામ સરકારી શાળાઓમાં લાગુ પડશે. આ પછી કર્ણાટકના શિક્ષણ મંત્રીએ પણ કર્ણાટકની શાળાના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાને સામેલ કરવાનો સંકેત આપ્યો છે. આ રાજ્યો બાદ હવે મહારાષ્ટ્ર (Maharashtra)માં પણ ભાજપે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ પાસે ભગવદ ગીતા અને સંત સાહિત્યને શાળાઓના અભ્યાસક્રમમાં સામેલ કરવાની માંગ કરી છે.

ભાજપની આધ્યાત્મિક પાંખના વડા તુષાર ભોસલેએ ભગવદ ગીતાને શાળાઓમાં ભણાવવાની માગણી કરતાં કહ્યું છે કે ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક પુસ્તક નથી, પરંતુ જીવન જીવવાની રીત છે. તેમનું કહેવું છે કે શાળા શિક્ષણમાં ભગવદ ગીતાનો સમાવેશ કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય ઘણો સારો છે. મહારાષ્ટ્ર સરકારે ભગવદ ગીતા, જ્ઞાનેશ્વરી, તુકારામ ગાથા જેવા સંત સાહિત્યનો પણ શાળાના અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. આનાથી આવનારી પેઢીઓમાં સારા મૂલ્યો કેળવવામાં આવશે. મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને પરંપરાનું જ્ઞાન હોવું જરૂરી છે. આથી કોઈપણ રાજનીતિ લાવ્યા વિના ભગવદ્ ગીતા અને સંત સાહિત્યનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. ભાજપ વતી તુષાર ભોસલેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ સમક્ષ આ માંગણી કરી છે.

ગુજરાત બાદ કર્ણાટકમાં પણ ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે, એમ રાજ્ય સરકારે સંકેત આપ્યા

ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા બાદ કર્ણાટક સરકારે પણ ભગવદ ગીતાને શાળાના અભ્યાસક્રમમાં સામેલ કરવાના સંકેત આપ્યા છે. રાજ્યના શિક્ષણ પ્રધાન બીસી નાગેશે શુક્રવારે આ સંદર્ભમાં ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે ભગવદ્ ગીતા માત્ર હિંદુઓ માટે નથી, પરંતુ દરેક માટે છે. નિષ્ણાતોનું માનવું છે કે તેને શાળાઓમાં ભણાવવું જોઈએ. પરંતુ પહેલા એ નક્કી કરવું જોઈએ કે શાળામાં મોરલ સાયન્સનો અભ્યાસ શરૂ કરવો કે નહીં.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કર્ણાટક સરકાર આ સંબંધમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત નિષ્ણાતોની એક સમિતિની રચના કરવાનું વિચારી રહી છે. આ સમિતિ એ તારણ પર આવશે કે જો શાળાઓમાં નૈતિક શિક્ષણ શરૂ કરવું હોય તો નૈતિક શિક્ષણમાં કયા વિષયોનો સમાવેશ કરવો જોઈએ જે વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરમાં મદદરૂપ થઈ શકે. તે વિષયો ભગવદ ગીતા, રામાયણ અથવા મહાભારત અથવા બીજે ક્યાંય પણ હોઈ શકે છે. હાલમાં તે અંગે નિર્ણય લેવાનો બાકી છે.

આ પણ વાંચો: જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા, પીએમ મોદી સાથે કરશે મુલાકાત

આ પણ વાંચો: Ahmedabad : મોબાઈલ ચોરીની આશંકાએ આધેડનું અપહરણ કરીને હત્યા કરાઈ, ઈસ્ત્રીથી ડામ આપી અને ગેસની પાઇપથી ક્રૂરતાથી માર માર્યો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">