AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ શાળાઓમાં ભણાવવામાં આવશે ભગવત ગીતા, 25 ડિસેમ્બરથી શરૂ થશે વર્ગો

હવે બાળકોને શાળાઓમાં ભગવદ ગીતાના પાઠ ભણાવવામાં આવશે. શિક્ષણ સમિતિ દ્વારા દક્ષિણ MCDની શાળાઓમાં ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

આ શાળાઓમાં ભણાવવામાં આવશે ભગવત ગીતા, 25 ડિસેમ્બરથી શરૂ થશે વર્ગો
Bhagwat Gita
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 2:37 PM
Share

હવે બાળકોને દિલ્હીની દક્ષિણ MCDની શાળાઓમાં ભગવદ ગીતાના પાઠ (Bhagavad Gita Lessons in School) ભણાવવામાં આવશે. શિક્ષણ સમિતિ દ્વારા દક્ષિણ MCDની શાળાઓમાં ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સમિતિએ તેની એક શાળાનું નામ સ્વર્ગસ્થ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતના નામ પર રાખવાનો પણ નિર્ણય કર્યો છે.

ગયા અઠવાડિયે દક્ષિણ MCD ખાતે શિક્ષણ સમિતિ દ્વારા રજૂ કરાયેલા બજેટ પ્રસ્તાવમાં જણાવાયું હતું કે, “ઇસ્કોનની મદદથી કોર્પોરેશનની શાળાઓમાં દર 15 દિવસે બેગ-મુક્ત દિવસોમાં એક કલાક ભગવદ ગીતા ભણાવવામાં આવશે એવો પ્રસ્તાવ છે. દક્ષિણ MCDના મેયર મુકેશ સુર્યને કહ્યું કે, શાળાઓમાં ગીતા શીખવવાની અને તેનું વિતરણ કરવાની યોજના છે.

ગીતાનો ફર્સ્ટ ક્લાસ 25 ડિસેમ્બરથી શરૂ થશે

શિક્ષણ સમિતિના ચેરપર્સન અને દ્વારકાના કાઉન્સિલર નીતિકા શર્માએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી શાળાઓ ફરી ન ખુલે ત્યાં સુધી આ વર્ગો ઓનલાઈન રહેશે. તેમણે કહ્યું કે ઇસ્કોન મંદિરે પણ “ગીતાના પાઠ શીખવવામાં” રસ દાખવ્યો છે. તેમણે કહ્યું, ‘અટલજીના જન્મદિવસ પર ફર્સ્ટ ક્લાસ વર્ચ્યુઅલ રીતે 25 ડિસેમ્બરે યોજાશે. શર્માએ કહ્યું, “ભગવદ ગીતા જીવનની કળા શીખવે છે કે આજની દુનિયામાં વ્યક્તિ કેવી રીતે અર્થપૂર્ણ જીવન જીવી શકે છે… તે બાળકોને પણ મદદ કરશે જેઓ એકાગ્રતાના અભાવ જેવી સમસ્યાઓનો સામનો કરે છે.”

દ્વારકા સેક્ટર 3માં આવેલી એક શાળાનું નામ સીડીએસ રાવતના નામ પર રાખવાની દરખાસ્ત પણ કરવામાં આવી છે. ઠરાવમાં જણાવાયું છે કે વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના કેળવાય તે માટે શહીદોની જીવનકથાઓનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવશે. અન્ય જે દરખાસ્તો કરવામાં આવી છે તેમાં તમામ શાળાઓમાં સાયન્સ ક્લબની સ્થાપના, વિશેષ શિક્ષકોની નિમણૂક અને સ્પોર્ટ્સ સેલ બનાવવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: NCL Recruitment 2021: આવતીકાલે એપ્રેન્ટિસની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ, 1295 જગ્યાઓ પર ભરતી થશે

આ પણ વાંચો: Youngest UPSC Toppers: દેશના 5 સૌથી યુવા IAS ઓફિસર, જાણો આ UPSC ટોપર વિશે

Follow Us
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">