AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flood In South Africa: વરસાદ બાદ પુરથી ભારે તબાહી, 400થી વધુ લોકોના મોત, 40,000થી વધુ લોકો બેઘર બન્યા

રાહત અને બચાવ ટીમો KZNમાં એવા લોકોને શોધી રહી છે, જેઓ તાજેતરના દિવસોમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે ગુમ થયા હતા. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકોના મોત પણ થયા છે. આફ્રિકાના સૌથી વ્યસ્ત બંદરોમાંના એક ડર્બનમાં પૂરને કારણે હજારો લોકો બેઘર થઈ ગયા છે,

Flood In South Africa: વરસાદ બાદ પુરથી ભારે તબાહી, 400થી વધુ લોકોના મોત, 40,000થી વધુ લોકો બેઘર બન્યા
PC- AFP
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 11:20 AM
Share

દક્ષિણ આફ્રિકાના (South Africa) રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ દેશમાં ભયંકર પૂરના કારણે રાષ્ટ્રીય આપત્તિની સ્થિતિ અને તેની સાથે વ્યવહાર કરવા માટેના અનેક પગલાની જાહેરાત કરી છે. ક્વાઝુલુ-નાતાલ, KZNના દરિયાકાંઠાના પ્રાંતમાં પૂરને કારણે 400થી વધુ લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. 40,000થી વધુ લોકો બેઘર પણ બન્યા છે. કોવિડ-19 વૈશ્વિક રોગચાળાને કારણે દેશમાં છેલ્લા બે વર્ષથી લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવાની જાહેરાત કર્યાના પખવાડિયા બાદ રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ (President Cyril Ramaphosa) રાષ્ટ્રીય આપત્તિની સ્થિતિ જાહેર કરી છે.

સોમવારે રામાફોસાએ છેલ્લા ચાર દિવસથી સતત ભારે વરસાદ પછી વરસાદથી સર્જાયેલા વિનાશક પૂર માટે હવામાન પરિવર્તનને જવાબદાર ઠેરવ્યું હતું. પ્રમુખ રામાફોસાએ જણાવ્યું હતું કે જો કે ગયા અઠવાડિયે KZNમાં પ્રાંતીય આપત્તિની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી, પૂરને કારણે હવે સમગ્ર દેશમાં ડરબનથી ઈંધણની લાઈન અને ખાદ્ય પુરવઠો ખોરવાયો છે. ડરબન એ દક્ષિણ આફ્રિકાનું મુખ્ય પ્રવેશ બંદર છે.

દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 400થી વધુ લોકોના મોત થયા

રાહત અને બચાવ ટીમો KZNમાં એવા લોકોને શોધી રહી છે, જેઓ તાજેતરના દિવસોમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે ગુમ થયા હતા. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકોના મોત પણ થયા છે. આફ્રિકાના સૌથી વ્યસ્ત બંદરોમાંના એક ડર્બનમાં પૂરને કારણે હજારો લોકો બેઘર થઈ ગયા છે, વીજળી અને પાણીની સેવાઓ બંધ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ રામાફોસાએ કહ્યું કે એવા સંકેતો છે કે તોળાઈ રહેલી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અન્ય પ્રાંતોને પણ અસર કરી શકે છે. તેથી, રાષ્ટ્રીય આફતની સ્થિતિ જાહેર કરવી જરૂરી બની ગઈ છે. ઘણા રસ્તાઓ અને પુલો નાશ પામ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિપેર કરવાનું કામ સંરક્ષણ દળને સોંપવામાં આવ્યું છે.

આપત્તિનો સામનો કરવા માટે ત્રણ તબક્કાની યોજના તૈયારઃ રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ રામાફોસાએ દેશમાં કુદરતી આપત્તિનો સામનો કરવા માટે ત્રણ તબક્કાની યોજનાની જાહેરાત કરી હતી. “સૌ પ્રથમ, અમે તાત્કાલિક માનવતાવાદી રાહત પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, ખાતરી કરીશું કે તમામ અસરગ્રસ્ત લોકો સલામત છે અને તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય છે,” તેમણે કહ્યું તે પછી બીજા તબક્કામાં અમે સ્થિરતા અને પુનઃપ્રાપ્તિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, જે લોકોએ તેમના ઘર ગુમાવ્યા છે તેમને આશ્રય આપવામાં આવશે અને સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં અમે પૂરથી નાશ પામેલી ઈમારતો અને માળખાકીય સુવિધાઓના પુનઃનિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

આ પણ વાંચો: Jamnagar: ગુજરાતમાં તૈયાર થશે WHOનુ GCTM, આ કેન્દ્રનુ શા માટે છે વિશેષ મહત્વ અને શુ થશે ફાયદા? જાણીએ

આ પણ વાંચો: Surat : સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના 3700 શિક્ષકો માર્ચના પગારની રાહમાં, એપ્રિલ માસ અડધો વીતી ગયો છતાં પગાર નહીં થતા શિક્ષકોના બજેટ ખોરવાયા

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">