AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flood In South Africa: વરસાદ બાદ પુરથી ભારે તબાહી, 400થી વધુ લોકોના મોત, 40,000થી વધુ લોકો બેઘર બન્યા

રાહત અને બચાવ ટીમો KZNમાં એવા લોકોને શોધી રહી છે, જેઓ તાજેતરના દિવસોમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે ગુમ થયા હતા. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકોના મોત પણ થયા છે. આફ્રિકાના સૌથી વ્યસ્ત બંદરોમાંના એક ડર્બનમાં પૂરને કારણે હજારો લોકો બેઘર થઈ ગયા છે,

Flood In South Africa: વરસાદ બાદ પુરથી ભારે તબાહી, 400થી વધુ લોકોના મોત, 40,000થી વધુ લોકો બેઘર બન્યા
PC- AFP
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 11:20 AM
Share

દક્ષિણ આફ્રિકાના (South Africa) રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ દેશમાં ભયંકર પૂરના કારણે રાષ્ટ્રીય આપત્તિની સ્થિતિ અને તેની સાથે વ્યવહાર કરવા માટેના અનેક પગલાની જાહેરાત કરી છે. ક્વાઝુલુ-નાતાલ, KZNના દરિયાકાંઠાના પ્રાંતમાં પૂરને કારણે 400થી વધુ લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. 40,000થી વધુ લોકો બેઘર પણ બન્યા છે. કોવિડ-19 વૈશ્વિક રોગચાળાને કારણે દેશમાં છેલ્લા બે વર્ષથી લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવવાની જાહેરાત કર્યાના પખવાડિયા બાદ રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ (President Cyril Ramaphosa) રાષ્ટ્રીય આપત્તિની સ્થિતિ જાહેર કરી છે.

સોમવારે રામાફોસાએ છેલ્લા ચાર દિવસથી સતત ભારે વરસાદ પછી વરસાદથી સર્જાયેલા વિનાશક પૂર માટે હવામાન પરિવર્તનને જવાબદાર ઠેરવ્યું હતું. પ્રમુખ રામાફોસાએ જણાવ્યું હતું કે જો કે ગયા અઠવાડિયે KZNમાં પ્રાંતીય આપત્તિની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી, પૂરને કારણે હવે સમગ્ર દેશમાં ડરબનથી ઈંધણની લાઈન અને ખાદ્ય પુરવઠો ખોરવાયો છે. ડરબન એ દક્ષિણ આફ્રિકાનું મુખ્ય પ્રવેશ બંદર છે.

દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 400થી વધુ લોકોના મોત થયા

રાહત અને બચાવ ટીમો KZNમાં એવા લોકોને શોધી રહી છે, જેઓ તાજેતરના દિવસોમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે ગુમ થયા હતા. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકોના મોત પણ થયા છે. આફ્રિકાના સૌથી વ્યસ્ત બંદરોમાંના એક ડર્બનમાં પૂરને કારણે હજારો લોકો બેઘર થઈ ગયા છે, વીજળી અને પાણીની સેવાઓ બંધ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ રામાફોસાએ કહ્યું કે એવા સંકેતો છે કે તોળાઈ રહેલી પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓ અન્ય પ્રાંતોને પણ અસર કરી શકે છે. તેથી, રાષ્ટ્રીય આફતની સ્થિતિ જાહેર કરવી જરૂરી બની ગઈ છે. ઘણા રસ્તાઓ અને પુલો નાશ પામ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિપેર કરવાનું કામ સંરક્ષણ દળને સોંપવામાં આવ્યું છે.

આપત્તિનો સામનો કરવા માટે ત્રણ તબક્કાની યોજના તૈયારઃ રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ રામાફોસાએ દેશમાં કુદરતી આપત્તિનો સામનો કરવા માટે ત્રણ તબક્કાની યોજનાની જાહેરાત કરી હતી. “સૌ પ્રથમ, અમે તાત્કાલિક માનવતાવાદી રાહત પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, ખાતરી કરીશું કે તમામ અસરગ્રસ્ત લોકો સલામત છે અને તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય છે,” તેમણે કહ્યું તે પછી બીજા તબક્કામાં અમે સ્થિરતા અને પુનઃપ્રાપ્તિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું, જે લોકોએ તેમના ઘર ગુમાવ્યા છે તેમને આશ્રય આપવામાં આવશે અને સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં અમે પૂરથી નાશ પામેલી ઈમારતો અને માળખાકીય સુવિધાઓના પુનઃનિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

આ પણ વાંચો: Jamnagar: ગુજરાતમાં તૈયાર થશે WHOનુ GCTM, આ કેન્દ્રનુ શા માટે છે વિશેષ મહત્વ અને શુ થશે ફાયદા? જાણીએ

આ પણ વાંચો: Surat : સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના 3700 શિક્ષકો માર્ચના પગારની રાહમાં, એપ્રિલ માસ અડધો વીતી ગયો છતાં પગાર નહીં થતા શિક્ષકોના બજેટ ખોરવાયા

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">